મિસ વર્લ્ડનો તાજ ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિઝ્કોવાના શિરે, ભારતની સીની શેટ્ટી રહી આ સ્થાને…

71મી મિસ વર્લ્ડ 2024 સ્પર્ધાનો ગ્રાન્ડ ફિનાલે 27 વર્ષ બાદ મુંબઈમાં યોજવામાં આવ્યો. દુનિયાભરનાં લાખો લોકોની હાજરી વચ્ચે ફિનાલેમાં નવી મિસ વર્લ્ડનો તાજ પહેરાવવામાં આવ્યો. આ ઇવેન્ટ અગાઉ UAE માં યોજાવાની હતી, પણ બાદમાં હવે મુંબઈના સિટી ઑફ ડ્રીમ્સમાં Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાવામાં આવી. આ સ્પર્ધાની શરુઆત 18 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં શરૂ થઈ હતી.

ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિઝ્કોવાએ ભવ્ય કાર્યક્રમમાં પ્રખ્યાત મિસ વર્લ્ડ 2024નો ખિતાબ જીત્યો હતો, જેમાં ભારતીય સ્પર્ધક સીની શેટ્ટી માત્ર ટોચના 8માં સ્થાન મેળવી શકી હતી. મિસ લેબનોન યાસ્મિના ઝૈતુનને પ્રથમ રનર અપ જાહેર કરવામાં આવી હતી.

મિસ ઇન્ડિયા વર્લ્ડ 2022 સીની શેટ્ટીએ મિસ વર્લ્ડ 2023 માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.  બોલિવૂડ સિંગર્સ શાન, નેહા કક્કર, ટોની કક્કર અને ટોની-એન સિંહે મુંબઈમાં 71મી મિસ વર્લ્ડ ઈવેન્ટમાં પરફોર્મ કર્યું હતું.

મિસ બ્રાઝિલે યુગાન્ડા, યુક્રેન અને નેપાળ પોતપોતાના ખંડોમાં જીત સાથે ‘બ્યુટી વિથ ધ પર્પઝ’નો ખિતાબ જીત્યો.

ફાસ્ટ-ટ્રેક ચેલેન્જમાં મિસ માર્ટીનિક, ક્રોએશિયા અને વિયેતનામ વિજેતા રહી હતી. મિસ વર્લ્ડ ફાસ્ટ-ટ્રેકના વિજેતાઓ બનનારી સુંદરીઓને વધાવી લેવામાં આવી હતી.

મિસ વર્લ્ડ ફાસ્ટ-ટ્રેકના વિજેતાઓ

મિસ વર્લ્ડની ટોપ મોડલ: મિસ માર્ટીનિક
સ્પોર્ટ્સ ચેલેન્જ વિનર: મિસ ક્રોએશિયા
સોશિયલ મીડિયા ચેલેન્જ વિનર: મિસ વિયેતનામ

મિસ વર્લ્ડની વિજેતા ભારતીય સુંદરીઓ

  • રીટા ફારિયા પોવેલ (1966)
  • ઐશ્વર્યા રાય બચ્ચન (1994)
  • ડાયેના હેડન (1997)
  • યુક્તા મુખી (1999)
  • પ્રિયંકા ચોપરા જોનાસ (2000)
  • માનુષી છિલ્લર (2017)

આ વર્ષની મિસ વર્લ્ડ સ્પર્ધા માટે 12 જજોની પેનલ બનાવવામાં આવી હતી. આ પેનલમાં ભારતીય મનોરંજન ક્ષેત્રની અગ્રણી હસ્તીઓનો સમાવેશ કરાયો હતો.

મિસ વર્લ્ડ 2024ના નિર્ણાયકોમાં ફિલ્મ નિર્માતા સાજિદ નડિયાદવાલા, ક્રિકેટર હરભજન, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ, મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશનના ચેરમેન અને સીઈઓ જુલિયા મોર્લી, અભિનેત્રી કૃતિ સેનન, અભિનેત્રી પૂજા હેગડે અને ત્રણ ભૂતપૂર્વ મિસ વર્લ્ડનો સમાવેશ કરાયો હતો.  બિગ બોસ 17નો વિજેતા મુનવ્વર ફારુકી અને અન્ય સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ સાથે ઈવેન્ટમાં પહોંચ્યા હતા.

મુંબઈમાં આવતીકાલે મિસ વર્લ્ડ ફિનાલેઃ ભારતમાં 27 વર્ષ બાદ યોજાઈ ઈવેન્ટ, સિની શેટ્ટી કરે છે ભારતનું પ્રતિનિધિત્વ

મિસ વર્લ્ડ 2023 ફિનાલે 9 માર્ચ 2024ના રોજ જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, મુંબઈ ખાતે યોજાશે. ભારતમાં આ ઈવેન્ટ 27 વર્ષ પછી યોજાઈ રહી છે. અગાઉ 1996માં બેંગલુરુમાં મિસ વર્લ્ડ ફિનાલે યોજાઈ હતી. આ વખતે મિસ ઈન્ડિયા 2022 સિની શેટ્ટી ભારતનું પ્રતિનિધિત્વ કરશે. મુંબઈમાં ઉછરેલી 22 વર્ષની સિની એકાઉન્ટ્સ અને ફાયનાન્સ ગ્રેજ્યુએટ છે.

એક સમય એવો હતો કે જ્યારે સિનીની માતા હેમા શેટ્ટી નહોતી ઈચ્છતી કે તે અભ્યાસ પરથી ધ્યાન હટાવે અને મોડલિંગની દુનિયામાં પ્રવેશ કરે. તે તેની પુત્રીને સુરક્ષિત નોકરી કરતી જોવા માંગતી હતી.

સિની શેટ્ટી પ્રિયંકા ચોપરાને પોતાની આઈડલ માને

સિનીની માતા હેમા આગળ કહે છે, સિની પ્રિયંકા ચોપરાને ખૂબ પસંદ કરે છે. તે પોતાની યાત્રાથી ખૂબ જ પ્રેરિત છે. તે તેને પોતાની મૂર્તિ માને છે. મને યાદ છે કે એક સમય હતો જ્યારે સિની આખો દિવસ ઘરે બેસીને પ્રિયંકા ચોપરાના વીડિયો જોતી હતી. પ્રિયંકાના કામ પ્રત્યેના સમર્પણથી સિની ખૂબ જ પ્રેરિત છે. તેણી પણ તેના પગલે ચાલવાની ઈચ્છા રાખે છે.

એકાઉન્ટિંગ અને ફાઇનાન્સ ડિગ્રી પૂર્ણ કર્યા પછી CAF કરે છે

શરૂઆતમાં સિની શેટ્ટીએ મુંબઈની સેન્ટ ડોમિનિક સેવિયો સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું હતું. આગળ તેમણે એસ.કે. સોમૈયાએ ડિગ્રી કોલેજ ઓફ આર્ટસ, સાયન્સ એન્ડ કોમર્સ, વિદ્યા વિહારમાંથી સ્નાતક થયા. તેણે એકાઉન્ટિંગ અને ફાઇનાન્સમાં ડિગ્રી મેળવી. હાલમાં તે CFA (ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ એનાલિસ્ટ) કરી રહી છે.

સિનીના પિતા શિકિન હોટલના માલિક

સિની શેટ્ટીનો જન્મ વર્ષ 2000માં મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં થયો હતો. તેમનો પરિવાર મૂળ કર્ણાટકનો છે. સિનીના પિતા સદાનંદ શેટ્ટી નવી મુંબઈમાં આવેલી હોટલ શિકિનના માલિક છે. સિનીના ભાઈનું નામ શિકિન શેટ્ટી છે, જે કેલિફોર્નિયામાં એન્જિનિયર છે.

ભારતમાં 27 વર્ષ બાદ મિસ વર્લ્ડ ફિનાલે યોજાઈ રહી છે

13 ફેબ્રુઆરી 2023ના રોજ મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશનના ચેરપર્સન જુલિયા મોર્લીએ જાહેરાત કરી હતી કે મિસ વર્લ્ડ 2023 યુએઈમાં યોજાશે. જો કે, 8 જૂન 2023 ના રોજ, જાહેરાત કરવામાં આવી હતી કે ફાઇનલે UAE ને બદલે ભારતમાં યોજાશે. મિસ વર્લ્ડના ઈતિહાસમાં આ બીજી વખત છે જ્યારે ભારત તેની મેજબાની કરી રહ્યું છે. અગાઉ મિસ વર્લ્ડ 1996નું આયોજન બેંગલુરુમાં થયું હતું. પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા કરણ જોહર અને મિસ વર્લ્ડ 2013 મેગન યંગ (ફિલિપાઈન્સ) ફિનાલેમાં પ્રસ્તુતકર્તા હશે.

મિસ વર્લ્ડ 2023 ફાઇનલની તારીખ બે વાર બદલાઈ

શરૂઆતમાં, મિસ વર્લ્ડની ફિનાલે 16 ડિસેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં યોજાવાની હતી, પરંતુ વિધાનસભાની ચૂંટણીને કારણે તેને 2 માર્ચ 2024 સુધી મુલતવી રાખવામાં આવી હતી. હવે પેજન્ટનો ફાઇનલ 9 માર્ચે છે. આ ફિનાલે સાંજે 7:30 વાગ્યાથી જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, મુંબઈ ખાતે યોજાશે.

પ્રોડ્યુસર પાસે વેનિટીની ડિમાન્ડ કરતા બોલિવૂડ સેલેબ્સને મુકેશ અંબાણીએ બસમાં બેસાડી દીધા

બોલિવૂડ સ્ટાર્સ કોઈપણ ફિલ્મ કરતા પહેલા પોતાના માટે વેનિટી વેનની માંગ કરે છે. ઘણા એવા સ્ટાર્સ છે જેઓ જો વેનિટી ન મળે તો ફિલ્મ છોડી દે છે. કેટલાક પોતાની વેનિટી વેન લઈને આવે છે.

પરંતુ અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં કંઈક અલગ જ થયું. મુકેશ અંબાણીના ઈશારા પર તમામ સેલેબ્સ સામાન્ય લોકોની જેમ બસમાં બેસી ગયા. કોઈએ કશું કહ્યું પણ નહીં. હવે તેનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે.

વીડિયોમાં અનિલ કપૂર, સોનાક્ષી સિંહા, રકુલપ્રિતસિંહ, રિતેશ દેશમુખ, ત્નૂ પત્ની જેનેલિયા ડિસોઝા, આદિત્યરોય કપુર, વરુણ ધવન, તેના ડાયરેક્ટર પિતા ડેવિડ ધવનથી લઈને હાજર રહેલા તમામ સ્ટાર્સ ચૂં કે ચા કર્યા વિના બસમાં બેસી ગયા હતા.

પ્રિ-વેડિંગમાં કેટલાકને રોલ્સ રોયસ જેવી વીઆઈઆઈપી ટ્રીટમેન્ટ પણ આપવામાં આવી હતી.શાહરુખ ખાન, સલમાન ખાન, હોલિવૂડ સિંગર રિહાના, બિલ ગેટ્સને વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી.

 

આંખ મારીને રાતોરાત સેન્સેશન બનેલી પ્રિયા પ્રકાશ વારિયરનું ડાઉન થયું ફિલ્મી કેરિયર

તમને બધાને ખબર જ હશે કે ઈન્ટરનેટ પર માત્ર આંખ મારવાની લાક્ષણિક અદાથી સનસનાટી મચાવનારી પ્રિયા પ્રકાશ વારિયર ફિલ્મી પડદેથી ગાયબ થઈ ગઈ હોવાની અટકલો લાગ્યા કરે છે. પ્રિયા આજકાલ શું કરે છે અને તેની પાસે કેટલી ફિલ્મો છે તે વિશે જાણવાની કોશીશ કરી છે અને અત્યાર તેની ફિલ્મી કરિયર શા માટે ડાઉન ચાલી રહી છે.

પ્રિયા પ્રકાશ વારિયરને અત્યાર સુધી કેટલી ફિલ્મો મળી છે તેની ચર્ચા થયા કરે છે. વાસ્તવમાં તેની ડેબ્યૂ ફિલ્મ પછી ફિલ્મો મળવાનું થયું પણ બોક્સ ઓફિસ અને પ્રેક્ષકો પર છાપ છોડી ગઈ નથી. એવું નથી કે તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત પછી રાતોરાત ગાયબ થઈ ગઈ. ઓરુ અદાર લવ બાદ તે ચેકમાં જોવા મળી હતી, ત્યાર બાદ ઇશ્ક, શ્રીદેવી બંગલો અને વિષ્ણુ પ્રિયા જેવી ફિલ્મોમાં ભૂમિકા ભજવી છે.

ડેબ્યુ પછી ફિલ્મો ઝાઝી ફિલ્મો કરી શકી નથી અને મેળવી પણ શકી નથી. છતાં પણ ઓનલાઈન પ્લેટફોર્મ્સ અને સ્ક્રીન પર અલપઝલપ હાજરી જોવા મળી છે.

નિલાવુકુ એન્મેલ એન્નાદી કોબમ(તામિલ),યારિયાં-2 હિન્દી ડેબ્યુ ફિલ્મ), BRO (2023-તેલગુ), લાઈવ (2023-મલયાલમ), 4 યર(2022-મલયાલમ), ઇશ્ક: નોટ અ લવ સ્ટોરી(તેલગુ), ચેક (2021-તેલગુ), કિરિક લવ સ્ટોરી (2019-કનાડા), શ્રીદેવી બંગલો(હિન્દી), લવર્સ ડે (2019 તેલગુ), ઓરુ અદાર લવ (2019-મલયાલમ) સહિતની ફિલ્મોમાં જોવા મળી છે.

જોકે અકલ્પ્ય કારણોસર, એવું લાગે છે કે સાઉથ અને બોલિવૂડ પ્રિયાને કાસ્ટ કરવા માટે ખૂબ ઉત્સાહિત નથી.

ઈન્ટરનેટ ટ્રોલ્સ કોઈની કારકિર્દી પર નકારાત્મક અસર કરી શકે છે. જોકે, પ્રિયાના કેસમાં એ મુદ્દો નહોતો. તેણીની ખ્યાતિ એક અભિનેતા તરીકેની તેણીની યોગ્યતા પર આધારિત ન હતી પરંતુ 5 સેકન્ડના ઇન્ટરનેટ ફેડને કારણે હતી. તેણીની એકમાત્ર મલયાલમ મૂવી ‘ઓલુ અદાર લવ’ હતી. ત્યારર બાદ  કેટલીક કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં જોવા મળી હતી, જે કેરળના પ્રેક્ષકો માટે ક્યારેય બનાવવામાં આવી ન હતી. તેથી ફક્ત ઈન્ટરનેટ ટ્રોલ્સને તેની કારકિર્દી બરબાદ કરવા માટે દોષી ઠેરવી શકાય નહી. તેણીએ હજુ પણ પ્રેક્ષકોને સાબિત કરવાની જરૂર છે કે તે યોગ્યતાથી એક ઉત્તમ અભિનેત્રી છે અને માત્ર આંખ મારનારી અભિનેત્રી નથી.

આ ઉપરાંક પ્રિયાે અબ્બાસ મસ્તાનની થ્રી મંકી,લવ હેકર્સ અને વિષ્ણુપ્રિયા જેવી ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું છે. પ્રિયા માટે નાની ઉંમરમાં મોટી સફળતા પણ એક પ્રકારે બાધારુપ બની ગઈ છે. બોલિવૂડના સુપરસ્ટારોની સાથે તેની ફિલ્મ માટે રાહ જોવી પડશે.

 

 

 

હોલિવૂડ સિંગર રિહાના સૌથી મોંઘીઃ પ્રાઈવેટ ફંક્શનોમાં વસૂલે છે 66 કરોડ રૂપિયા સુધીનો ચાર્જ

અનંત-રાધિકાના પ્રિ-વેડીંગ સેરેમનીમાં ટોપ પર ઈન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાના પણ છે જે દુનિયામાં હાઈએસ્ટ પેઈડ મ્યુઝિક આર્ટિસ્ટ પૈકી એક છે. રોબિન રિહાના ફેન્ટી ગુરુવારે જામનગર એરપોર્ટ પર દેખાઈ હતી અને તેનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો હતો.

બારબેડિયન સિંગર, બિઝનેસવૂમન અને અભિનેત્રી રિહાના અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડીંગમાં પરફોર્મ કરવા ભારે ભરખમ ફી વસૂલવાની છે, જો કે તેની એમાઉન્ટ તો જાહેર કરાઈ નથી, પરંતુ મીડિયાના અહેવાલો અને સૂત્રોના દાવા અનુસાર રિહાના એક પ્રાઈવેટ ઈવેન્ટમાં પરફોર્મ કરવા માટે ૬૬ કરોડ રૂપિયા એટલે કે ૯.પ મિલિયન ડોલર જેટલી ફી વસૂલે છે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી જુલાઈ મહિનામાં વીરેન મર્ચન્ટ તથા શૈલા મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન તાંતણે બંધાવા જઈ રહ્યા છે. તેમના લગ્ન પહેલા એક પ્રિ-વેડીંગ ફંકશનની શરૂઆત આજથી ત્રણ દિવસ સુધી જામનગરમાં થઈ ચૂકી છે, જેમાં દેશ-વિદેશથી અનેક હસ્તીઓ પહોંચી રહી છે.

આ સેરેમનીમાં અરિજિતસિંહ, પ્રીતમ, બી. પ્રાક, દિલજિત દોસાંજ, હરિહરન અને અજય-અતુલ ઉપસ્થિત રહેશે.

ટાઇગર vs પઠાણઃ આ વખતે શાહરૂખ અને સલમાનની જોડી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે, તમામ રેકોર્ડ તોડી નાખશે

YRF સ્પાય યુનિવર્સે વર્ષ 2023માં એક પછી એક સારી ફિલ્મો આપી હતી. પહેલા શાહરૂખ ખાનની ‘પઠાણ’એ બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવ્યા. આ પછી સલમાન ખાનની ‘ટાઈગર 3’ એ સ્ક્રીન પર પોતાનો જાદુ ચલાવ્યો. આ ફિલ્મો પછી ટાઈગર vs પઠાણને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. શાહરૂખ અને સલમાનની જોડી ‘ટાઈગર વર્સીસ પઠાણ’માં સાથે જોવા મળશે. બંનેને સ્ક્રીન પર એકસાથે જોવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. હવે આ ફિલ્મને લગતું લેટેસ્ટ અપડેટ સામે આવી રહ્યું છે.

ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે

શાહરૂખ ખાન અને સલમાન ખાનને મોટા પડદા પર એકસાથે જોવું તેમના ચાહકો માટે સપનાથી ઓછું નથી. તાજેતરમાં, મીડિયા રિપોર્ટ્સમાં ફિલ્મના શૂટિંગ સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા હતા, જેમાં એવી ચર્ચા છે કે ફિલ્મ વર્ષ 2026 માં ફ્લોર પર જશે. તે જ સમયે, હવે ‘ટાઈગર વર્સિસ પઠાણ’ની રિલીઝને લઈને એક અપડેટ પણ સામે આવ્યું છે. રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મ વર્ષ 2027માં રિલીઝ થશે.

આ ફિલ્મ 100 દિવસમાં શૂટ કરવામાં આવશે

જણાવવામાં આવ્યું છે કે આ ફિલ્મ 100 દિવસમાં શૂટ કરવામાં આવશે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ‘ટાઈગર વર્સીસ પઠાણ’નું પ્રી-પ્રોડક્શન કામ શરૂ થઈ ગયું છે. વર્ષ 2023 માં, YRF સ્પાય યુનિવર્સ ની ફિલ્મ ‘પઠાણ’ જબરદસ્ત હિટ બની છે અને તેણે વિશ્વભરમાં 1,000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. તે જ સમયે, ‘ટાઈગર 3’ એ પણ બોક્સ ઓફિસ પર 500 કરોડથી વધુની કમાણી કરી હતી.

‘બિનાકા ગીતમાલાથી જાણીતા ‘રેડિયો કિંગ’ અમીન સયાનીનું હાર્ટ એટેકથી અવસાન

‘રેડિયો કિંગ’ અમીન સયાનીનું નિધન થયું છે. અવાજની દુનિયાના સર્જક તરીકે જાણીતા અમીન સાયનીએ 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. જે લોકો રેડિયોની દુનિયા જાણે છે તેઓ જાણે છે કે અમીન સયાની કોણ હતા. રેડિયોના શ્રોતાઓ હજુ પણ ‘બિનાકા ગીતમાલા’ના ઉદ્ઘોષકને ભૂલી શક્યા નથી, જેઓ ‘બહેનો અને ભાઈઓ’ ખૂબ જ જોરદાર અને મધુર રીતે કહેતા હતા. આજે તેમણે દુનિયાને અલવિદા કહ્યું, તેમના નિધનના સમાચારે લોકોને દુઃખી કરી દીધા છે. 21 ડિસેમ્બર, 1932ના રોજ મુંબઈમાં જન્મેલા પ્રખ્યાત રેડિયો પ્રસ્તુતકર્તા અમીન સયાનીએ 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

પ્રખ્યાત રેડિયો પ્રસ્તુતકર્તા અમીન સાયનીએ 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. મળતી માહિતી મુજબ તેમનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું. તેમના પુત્ર રાજિલ સાયનીએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. પુત્રએ જણાવ્યું કે મંગળવારે એટલે કે 20 ફેબ્રુઆરીના રોજ તેના પિતાને મુંબઈમાં તેના ઘરે હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેને નજીકના એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરોએ તેને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા. થોડી સારવાર બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ટીવી એક્ટર ઋતુરાજ સિંહનું 59 વર્ષની વયે નિધન, અનુપમા સિરિયલમાં કર્યો હતો દમદાર અભિનય

ટેલિવિઝન અભિનેતા ઋતુરાજ સિંહનું નિધન થયું છે. અનુપમા, દિયા ઔર બાતી હમ અને હિટલર દીદી જેવી ટીવી સિરિયલો માટે જાણીતા અભિનેતા ઋતુરાજ સિંહનું કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થયું છે. તેઓ 59 વર્ષના હતા. ઋતુરાજ સિંહ સિરિયલ બનેગી અપની બાત, જ્યોતિ, હિટલર દીદી, શપથ, વોરિયર હાઈ, આહત અને અદાલતમાં પણ જોવા મળી ચૂક્યા છે. તેણે લાડો 2 માં બળવંત ચૌધરીનું પાત્ર પણ ભજવ્યું હતું. આ દિવસોમાં તે અનુપમા સિરિયલમાં પણ જોવા મળ્યો હતો. ઋતુરાજે શો તોલ મોલ કે બોલ દ્વારા ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. તેમના મિત્ર અને CINTAAના માનદ જનરલ સેક્રેટરી અમિત બહલે NDTVને તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે.

ઋતુરાજ સિંહની જીવનયાત્રા

ઋતુરાજ સિંહનું પૂરું નામ ઋતુરાજ સિંહ ચંદ્રાવત સિસોદિયા હતું. તેમનો જન્મ રાજસ્થાનના કોટામાં થયો હતો. તેમનું શાળાકીય શિક્ષણ દિલ્હીમાં થયું હતું અને તેઓ નાની ઉંમરે અમેરિકા ગયા હતા. જોકે, 12 વર્ષની ઉંમરે તેઓ ભારત પાછા ફર્યા અને 1993માં મુંબઈ આવ્યા. તેણે દિલ્હીમાં બેરી જોનના થિયેટર એક્શન ગ્રુપ સાથે 12 વર્ષ સુધી થિયેટર કર્યું.

ઋતુરાજ સિંહની ટીવી સિરિયલો

ઋતુરાજ સિંહ ઘણી લોકપ્રિય ટીવી સિરિયલોમાં જોવા મળ્યો હતો. જેમાં વજન, તપાસ, બનાગી અપની બાત, કુટુમ્બ, કહાની ઘર ઘર કી, જ્યોતિ, હિટલર દીદી, દિયા ઔર બાતી હમ, સરતંગી સસુરાલ, આહત, મેરી વાઝ હી પહેચાન હૈ, ત્રિદેવિયાં, લાડો 2- વીરપુર કી મર્દાની, ના શબ્દો. આ તે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને અનુપમામાં જોવા મળ્યો હતો.

ઋતુરાજ સિંહની વેબ સિરીઝ

ઋતુરાજ સિંહે ટેલિવિઝન સિવાય ઓટીટીની દુનિયામાં પણ ઘણું કામ કર્યું હતું. તે ધ ટેસ્ટ કેસ (2017), હે પ્રભુ (2019), ક્રિમિનલ જસ્ટિસ (2019), અભય (2019), બંદિશ બેન્ડિટ્સ (2020), મેડ ઇન હેવન (2022)માં પણ જોવા મળ્યો હતો. તેમનું કામ પણ ઘણું પસંદ કરવામાં આવ્યું હતું.

ઋતુરાજ સિંહની ફિલ્મો

ઋતુરાજ સિંહ ફિલ્મોની દુનિયામાં પણ સક્રિય હતા. બદ્રીનાથ કી દુલ્હનિયામાં તેઓ વરુણ ધવનના પિતા બન્યા હતા. આ સિવાય તે સત્યમેવ જયતેમાં પણ જોવા મળ્યો હતો અને સાઉથની ફિલ્મ થુનિવુમાં પણ કામ કર્યું હતું. તેની છેલ્લી રિલીઝ યારિયાં 2 હતી.

રાજકુમાર સંતોષીને મોટી રાહત, સજા સામે અપીલ કરાતા અપાયો સ્ટે

જામનગરના શીપીંગના વ્યવસાયીની હિન્દી ફિલ્મજગત ના દિગ્દર્શક સામે ચેક પરતની ફરિયાદોમાં બે વર્ષની કેદ અને ચેકથી બમણી રકમનો દંડ ફટકારાયો હતો. આરોપી આ હુકમ સામે અપીલમાં ગયા છે. અદાલતે તેઓની સજા સામે સ્ટે ફરમાવી અપીલ સ્વીકારી છે.

જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અને શીપીંગના વ્યવસાયી અશોકભાઈ લાલ પાસેથી સંબંધદાવે એક કરોડ હાથઉછીના મેળવનાર હિન્દી ફિલ્મજગતના દિગ્દર્શક રાજકુમાર સંતોષી સામે ચેક પરતની ફરિયાદો જામનગરની કોર્ટમાં કરાઈ હતી.

આ તમામ કેસમાં શનિવારે જામનગરની અદાલતે આરોપી રાજકુમાર સંતોષીને તકસીરવાન ઠરાવી બે વર્ષની કેદની સજા અને ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યાે હતો. સજાના હુકમ પછી આરોપીને અપીલમાં જવા માટેનો કાયદા મુજબ સમય અદાલત દ્વારા આપવામાં આવ્યો હતો. તેના પગલે રાજકુમાર સંતોષીએ સજાના હુકમ સામે ઉપલી અદાલતમાં અપીલ નોંધાવી છે. અદાલતે અપીલ સ્વીકારી સજાના હુકમ સામે સ્ટે ફરમાવ્યો છે.

 

આઘાત:’દંગલ’ અભિનેત્રી સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે નિધન

આમિર ખાનની બ્લોકબસ્ટર દંગલમાં બબીતા ​​ફોગટનું બાળપણનું પાત્ર ભજવનાર સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે નિધન થયું છે. નોંધનીય છે કે આ ફિલ્મમાં યુવાન યુવતીની ભૂમિકા સાનિયા મલ્હોત્રાએ ભજવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુહાની ફરીદાબાદના સેક્ટર 17માં રહેતી હતી. તેના અંતિમ સંસ્કાર સેક્ટર-15ના અજુરોંડા ખાતે કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, થોડા દિવસો પહેલા એક અકસ્માત થયો હતો, જેના કારણે તેના પગમાં ફ્રેક્ચર થયું હતું. તેણી જે દવા લઈ રહી હતી તેની તેના સ્વાસ્થ્ય પર હાનિકારક અસર થઈ, જેના કારણે તેના શરીરમાં ધીમે ધીમે લોહી જામવા લાગ્યું. તે લાંબા સમયથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ હતી.

આમિર ખાનના પ્રોડક્શન હાઉસે તેના ‘X’ પર લખ્યું છે કે, “અમારી સુહાનીના નિધન વિશે સાંભળીને અમને ખૂબ જ દુઃખ થયું છે.” તેમની માતા પૂજાજી અને સમગ્ર પરિવાર પ્રત્યે અમારી સંવેદના. આવી પ્રતિભાશાળી યુવતી જેવી ટીમ પ્લેયર વિના દંગલ અધૂરી છે. સુહાની, તું હંમેશા અમારા દિલમાં સ્ટાર બનીને રહીશ.

દંગલમાં સોહાનીની બહેનની ભૂમિકા ભજવનારી ઝાયરા વસીમે  (જેણે ફિલ્મમાં ગીતા ફોગાટની બાળપણની ભૂમિકા ભજવી હતી), તેણે કહ્યું, “જેમ જ મને તેના વિશે ખબર પડી, મને આઘાતનો આંચકો લાગ્યો. મને લાગે છે કે આ એક અફવા છે જે આગામી ક્ષણમાં નકારી કાઢવામાં આવશે. હું ઈચ્છું છું કે આ સમાચાર સાચા ન હોત. મને તેની (સુહાની) સાથે વિતાવેલી બધી પળો યાદ આવી ગઈ. તે ખૂબ જ મૈત્રીપૂર્ણ હતી. હાલના સમયે સુહાનીના માતા-પિતા કેવા પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હશે તેની હું કલ્પના પણ કરી શકતી નથી. ભગવાન તેમને હિંમત અને શક્તિ આપે. ”

સુહાની ભટનાગરના તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 20 હજાર ફોલોઅર્સ છે જ્યારે તેની છેલ્લી પોસ્ટ 2021માં તેની સેલ્ફી હતી. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ‘દંગલ’ના પ્રમોશન દરમિયાન ટીમ સાથેના ઘણા ફોટા પણ શેર કર્યા હતા