આસારામના પુત્ર નારાયણ સાંઈને 26મી એપ્રિલે 6 વર્ષ બાદ સુરતની સેશન્સ કોર્ટે આરોપી જાહેર કરી આજીવન કેદની સજા સંભળાવી હતી. સજા સાંભળતા નારાયણ સાંઇ ભાંગી પડ્યો હતો. કોર્ટના ચુકાદો આવી ગયા બાદ કોર્ટની બહાર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. કારણ કે, આસારામના પુત્ર નારાયણ સાંઈનો આજે કોર્ટમાં ચુકાદો હતો. જેના કારણે તેમના સમર્થકો મોટી સંખ્યામાં કોર્ટ બહાર ઉભા હતા. નારાયણ સાંઈને સજા પડતા તેના સમર્થકો દ્વારા કોઇ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
સુરત
સેશન્સ કોર્ટે ફટકારેલી સજામાં ફરિયાદ પક્ષમાં 53, બચાવ
પક્ષમાં 12 સાક્ષી તપાસવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે કુલ 34
આરોપીઓ સામે મજબૂત ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાંથી હાલ 34માંથી 24
આરોપીઓ સામે HCનો સ્ટે
મૂકવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, નારાયણ
સાંઈ દુષ્કર્મ કેસની ટ્રાયલમાં અત્યાર સુધી કુલ 100 ચૂકાદા
ટાંકવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસે નારાયણ સાંઈ, ગંગા – જમુના, સાધક સહિત
અન્ય 7 સામે ફરિયાદ નોંધી હતી. સાધિકાઓએ પોલીસ ફરિયાદમાં દુષ્કર્મ, સૃષ્ટી
વિરુદ્ધનું કૃત્ય, રાયોટિંગ સહિતના ગુના દાખલ કરાવ્યા હતા.
નારાયણ
સાંઈ વિરુદ્ધ 6 ઓક્ટોબર 2013માં
જહાંગીરપુરા પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઘટનામાં પીડિતાએ
નારાયણ સાંઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આસારામના પુત્ર નારાયણ સાઈ વિરુદ્ધ
દુષ્કર્મના કેસમાં બંને પક્ષોની દલીલ પૂર્ણ થતા આજે કોર્ટે પોતાનો ચુકાદો
સંભળાવ્યો હતો.
આ ઘટનામાં
પીડિત સાધિકનો આરોપ હતો કે, નારાયણ સાઈએ તેની સાથે વર્ષ 2002થી વર્ષ 2005
સુધી દુષ્કર્મ પોતાનો શિકાર બનાવી હતી. આ ઘટના બાદ નારાયણ
સાંઈ ગુમ થઇ ગયો હતો. ત્યારબાદ રાજ્યભરમાં ચર્ચા જગાવ્યા બાદ પોલીસે નારાયણ સાઈની
ધરપકડ કરી હતી. સાધકે 13 કરોડની લાંચ આપવાના ગુના સહિત સાક્ષીઓ પર હુમલો કરાવવાના
ગુના પણ નારાયણ સાંઈ વિરુદ્ધ નોંધાયા હતા.
આરોપી નારાયણ સાઈ ઉર્ફે મોટા ભગવાન સહિત 10 આરોપીઓ સામેની ટ્રાયલ પૂરી થઈ હતી. 6 ઓક્ટોબર 2013ના રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નારાયણ સાઈ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. આ ઘટનામાં બે પીડિતા બહેનો દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. એક પીડિતા દ્વારા નારાયણ સાઈ સામે તો બીજી પીડિતા બહેન દ્વારા આશારામ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
ગત 6 ઓક્ટોબરના
વર્ષ 2013ના રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં પીડિતા દ્વારા ફરિયાદ
કરવામાં આવી હતી. એક ફરિયાદ અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી
અમદાવાદ મોકલી દેવાઈ હતી. નારાયણ સાઈની છઠ્ઠી ડિસેમ્બર 2013ના રોજ
ધરપકડ કરવામાં આવી હતી.
સતત 58
દિવસ સુધી નારાયણ સાઈ અને પોલીસ વચ્ચે ચોર પોલીસનો ખેલ
રમાયા બાદ તે પકડાયો હતો. લંપટ નારાયણ સાઈ હાલ લાજપોર મધ્યસ્થ જેલમાં કાચા કામના
કેદી તરીકે પાંચ વર્ષથી જેલમાં છે. નારાયણ સાઈ ઉપર લંચ કાંડ સહિત સાક્ષીઓ પર હુમલા
અને હત્યા કરવાનો આરોપ પણ છે અને આ કેસ હજુ પણ અન્ડર ટ્રાયલ છે.