ઉદ્વવ ઠાકરે માટે રાહતના ન્યૂઝ, રાજ્યપાલે ચૂંટણી પંચને લખ્યું MLC ચૂંટણી જલ્દી કરાવો

મહારાષ્ટ્રમાં પણ કોરોના વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધની વચ્ચે રાજકીય ગરબડ જોરશોરથી ચાલી રહી છે. રાજ્યપાલ ક્વોટાથી સીએમ ઉદ્ધવ ઠાકરેને એમએલસી બનાવવા બાબતે લાંબા સમય સુધી મૌન રહેલા રાજ્યપાલે ચૂંટણી પંચને વિધાન પરિષદની 9 બેઠકો પર વહેલી તકે ચૂંટણી યોજવાની અપીલ કરી છે. ચૂંટણી પંચે કોરોના સંકટ પછી આ 9 બેઠકો માટેની ચૂંટણી પ્રક્રિયા અટકાવી દીધી છે.

રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ચૂંટણી પંચને અનુરોધ કર્યો છે કે વહેલી તકે મહારાષ્ટ્ર વિધાન પરિષદની 9 ખાલી બેઠકો પર ચૂંટણી યોજવામાં આવે. રાજ્યમાં હાલની અનિશ્ચિતતાને સમાપ્ત કરવાના દૃષ્ટિકોણથી, 24 એપ્રિલથી ખાલી પડેલી વિધાન પરિષદની 9 બેઠકો પર ચૂંટણીઓની ઘોષણા થવી જોઈએ.

રાજ્યપાલે કહ્યું કે કેન્દ્ર સરકારે દેશમાં લોકડાઉન વચ્ચે અનેક છૂટ અને પગલાંની જાહેરાત કરી છે. આવા કિસ્સામાં વિધાન પરિષદની ચૂંટણીઓ કેટલીક માર્ગદર્શિકા સાથે યોજાઇ શકે છે. રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યના વિધાનસભાના કોઈ ગૃહના સભ્ય નથી, તેમણે 27 મે પહેલા કાઉન્સિલમાં ચૂંટવાની જરૂર છે.

મહારાષ્ટ્ર સરકારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને એમએલસી તરીકે નિમણૂક કરવાની દરખાસ્તને બે વખત પસાર કરી હતી, પરંતુ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી લાંબા સમય સુધી આ મુદ્દે મૌન હતા.

રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી વચ્ચે રાજ્યની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે રાત્રે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર ચર્ચા કરી હતી. આ સાથે જ પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ આ મામલા પર ધ્યાન આપશે અને વધુ માહિતી મેળવશે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને વિધાન પરિષદના સભ્ય તરીકે નિયુક્ત કરવાની દરખાસ્ત માટે મહા વિકાસ આઘાડીના પ્રતિનિધિ મંડળ મંગળવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યું હતું. પ્રતિનિધિ મંડળમાં ડેપ્યુટી સીએમ અજિત પવાર, છગન ભુજબલ, એકનાથ શિંદે, સુભાષ દેસાઇ, બાળાસાહેબ થોરાટ અને અનિલ પરબ સામેલ હતા.

આ કેસમાં રાજ્ય મંત્રીમંડળે સોમવારે સાંજે રાજ્યપાલને બીજુ રિમાઇન્ડર મોકલીને વિધાનસભાના ઉપલા ગૃહમાં ઉદ્ધવ ઠાકરેને નામાંકિત કરવા વિનંતી કરી હતી. આ અંગે પહેલો પત્ર 11 એપ્રિલના રોજ મોકલવામાં આવ્યો હતો.

અશ્રુભીના આંખો સાથે ઋષિ કપૂરનો પાર્થિવ શરીર પંચમહાભૂતમાં વિલિન, દિકરી ન પહોંચી શકી, માત્ર ઘરના 20 લોકો રહ્યા હાજર, જાણો કોણ-કોણ હતા

બોલિવૂડ અભિનેતા ઋષિ કપૂરના મુંબઇના મરીન લાઇન્સમાં આવેલા ચંદનવાડી સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બપોરે 3.45 વાગ્યે તેમના પાર્થિવ દેહને સ્મશાન લાવવામાં આવ્યો. ત્યાર બાદ સ્મશાનસ્થળમાં ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.ઋષિ કપૂરની સ્મશાનયાત્રા બાદ પાર્થિવ શરીરને સ્મશાનભૂમિ પર લાવ્યાના લગભગ અડધા કલાકમાં અંતિવિધિ પૂર્ણ થઈ હતી.

બોલિવૂડ એક્ટર ઋષિ કપૂરનું આજે બે વર્ષ કેન્સર સામે લડ્યા બાદ નિધન હતું. મુંબઈના ગિરગાંવ વિસ્તારમાં આવેલા સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં આજે સવારે 8.45 વાગ્યે ઋષિ કપૂરે અંતિમ શ્વાસ લીધા હતા. ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર ઇલેક્ટ્રિકલ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. લોકડાઉનને કારણે અંતિમ સંસ્કારમાં ફક્ત નક્કી કરાયેલા લોકોને જ મંજૂરી આપવામાં આવી હતી.

અંતિમ સંસ્કાર દરમિયાન મુંબઇ પોલીસે રણવીર કપૂર, નીતુ કપૂર, રીમા જૈન, મનોજ જૈન, અરમાન જૈન, આધાર જૈન, અનિષા જૈન, રાજીવ કપૂર, રણધીર કપૂર, સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન, બિમલ પરીખ, નતાશા નંદન, અભિષેક બચ્ચન, ડો.તરંગ, આલિયા ભટ્ટ, અયાન મુખર્જી, જય રામ, રોહિત ધવન, રાહુલ રાવૈલને હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી હતી.

ઋષિ કપૂરની પુત્રી રિદ્ધિમાને દિલ્હી પોલીસ દ્વારા મૂવમેન્ટ પાસ આપવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસ દ્વારા રિદ્ધિમાને મુંબઇ જવાની મંજૂરી આપવામાં આવી હતી. ઋષિ કપૂરની પુત્રી રિદ્ધિમા કપૂર દક્ષિણ પૂર્વ દિલ્હીમાં ફ્રેન્ડ્સ કોલોની પૂર્વમાં રહે છે. દિલ્હી પોલીસે તેમને મુંબઇ જવા માટે એક મૂવમેન્ટ પાસ જારી કર્યો હતો. સવારે 5 થી 10.30 વાગ્યે પાંચ લોકો માટે પાસ આપવામાં આવ્યા હતા. જો કે રિદ્ધિમા ઋષિ કપૂરની અંતિમવિધિમાં પહોંચી શકી ન હતી.લોકડાઉનનાં કારણે એક દિકરી પોતાના પિતાના અંતિમ દર્શન કરી શકી ન હતી.

દેશમાં કોરોના સંક્રમિતો વધીને 33, 610ર, મૃતાંક પહોંચ્યો 1070 પર

દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા વધીને 33,610 પર પહોંચી છે, અને મૃતાંક 1070 પર પહોંચ્યો છે, જો કે 690 દર્દીઓ સાજા પણ થયા છે.

દેશભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 33,610 થઈ ગઈ છે. ગુરુવારે રાજસ્થાનમાં 26, પશ્ચિમ બંગાળમાં 33 અને ઓરિસ્સામાં 3 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા બુધવારે 1702 સંક્રમિત વધ્યા હતાં અને 690 દર્દી સાજા થઈને ઘરે ગયા હતાં. સૌથી વધારે 597 સંક્રમિત મહારાષ્ટ્રમાં મળ્યા છે. ત્યારપછી ગુજરાતમાં 308, મધ્યપ્રદેશમાં 173 અને દિલ્હીમાં 125 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાહતની વાત એ છે કે દર્દીઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે. બુધવારે મધ્યપ્રદેશમાં 94, આંધ્રપ્રદેશમાં 73, રાજસ્થાનમાં 29, પશ્ચિમ બંગાળમાં 28, ઉત્તરપ્રદેશમાં 20, બિહારમાં 17, ચંદીગઢમાં 11, કેરળમાં 10, કર્ણાટકમાં 9 અને ઓરિસ્સામાં 4 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મધ્યપ્રદેશમાં 2560, ઉત્તરપ્રદેશમાં 2134, મહારાષ્ટ્રમાં 9915, રાજસ્થાનમાં 2524 અને બિહારમાં 392 કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે દિલ્હીમાં 3314 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં ત્રીજી મે પછી લોકડાઉનમાં શું થશે? સરકાર છૂટછાટ આપશે કે લોકડાઉન લંબાશે?

આગામી ૩જી મે ના દિને લોકડાઉનનો બીજો તબક્કો સમાપ્ત થઈ રહ્યો છે. વડાપ્રધાને દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી દરેક રાજ્યના મુખ્યમંત્રીઓના અભિપ્રાય જાણ્યા હતાં. જેમાં વડાપ્રધાને લોકડાઉનમાં છૂટછાટ આપવા કે લંબાવવા અંગેનો નિર્ણય જે તે રાજ્ય તેમના રાજ્યની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કરે તેવો નિર્ણય કર્યો હતો.

ગુજરાતના મુખ્યમંત્રીએ એવો મત વ્યક્ત કર્યો હતો કે ગુજરાત સરકાર કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ નિર્ણય જાહેર કરશે. જો કે, આ દરમિયાન જ કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલય દ્વારા યાત્રિકો, પરપ્રાંતિયો, વિદ્યાર્થીઓને આંતરરાજ્ય પ્રવાસ કરી તેમના વતનમાં જવાની શરતી મંજુરી આપી છે.

પણ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગઈકાલે સત્તાવાર રીતે જાહેર કરાયેલા આંકડાઓની વિગતો ૩જી મે પછી છૂટછાટ અંગે જરૃર દિશા નિર્દેશ કરી શકે છે અને રાજ્ય સરકાર દ્વારા પણ તા બીજી મે સુધીના આંકડાઓની સમીક્ષા કરીને જ નિર્ણય લે તેવી શક્યતા છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવના ૪૦૮ર કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં ૧૯૭ ના મૃત્યુ થયા છે.

આ ૪૦૮ર પોઝિટિવ કેસમાંથી ૩૯૩૦ પોઝિટિવ કેસ ૧૧ જિલ્લાના છે. જેમાં અમદાવાદ ર૭૭૭, સુરત પ૭૦, વડોદરા ર૭૦, આણંદ ૭૧, રાજકોટ પ૮, ભાવનગર ૪૩, ગાંધીનગર ૩૮, ભરૃચ ૩૧, બનાસકાંઠા ર૮, પંચમહાલ ર૪ અને બોટાદમાં ર૦ કેસ છે. બાકીના રર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંકડો ૧પર છે.

તેવી જ રીતે મૃત્યુના આંકમાં પણ અગિયાર જિલ્લામાં કુલ ૧૯ર મૃત્યુ થયા છે જ્યારે બાકીના રર જિલ્લામાંથી પાંચ જિલ્લામાં એક-એક જ મરણ થયા છે. જેમાં કચ્છ, પાટણ, જામનગર, અરવલ્લી, વલસાડમાં અત્યાર સુધીમાં માત્ર એક-એક મૃત્યુ નોંધાયા છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લો, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ કે મૃત્યુ થયા નથી.

આમ સમગ્ર રીતે ગુજરાત રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, આણંદ જેવા છ-સાત મહાનગરો-જિલ્લાઓને બાદ કરતા પરિસ્થિતિ ઘણી કાબૂમાં છે.

આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને જો નિર્ણય કરવામાં આવે તો રાજ્યના ૧પ થી ર૦ જિલ્લામાં વધુ છૂટછાટ મળે તેવા સંકેતો છે, જો કે ગુજરાત સરકાર કંટ્રોલમાં રહેલી પરિસ્થિતિવાળા વિસ્તારોમાં છૂટછાટના કારણે વાયરસ ન ફેલાય તે માટે પણ ગંભીરતાપૂર્વક વિચારી રહી છે. તો જ્યાં આ વાઈરસનો સર્વાધિક કહેર ચાલુ છે ત્યાં વધુ કડક નિયંત્રણો આવે તેવી પણ શક્યતા છે.

કોરોના મુક્ત વિસ્તારોમાં લોકો સરકારી ભોજનની લાચારીમાંથી મુક્ત થઈ રોજીરોટી ચાલુ થાય તેમ ઈચ્છી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા સંભવતઃ આવતીકાલે ગુજરાત સ્થાપના દિવસના અવસરે લોકડાઉન અંગે માહિતીની જાહેરાત કરે તેવી શક્યતા પણ છે.

ગીર સોમનાથ જિલ્લો કોરોનામુક્ત, અમદાવાદ ખાતે સારવારમાં રહેલો કોરોનાગ્રસ્ત વાવડીનો દર્દી કોરોનામુક્ત

કોરોના વાયરસથી સમગ્ર વિશ્ર્વ પ્રભાવિત થયું છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં બીજા તબક્કામાં લોકડાઉન અમલમાં છે. ગુજરાત રાજ્યમાં ઘણા કોરોનાગ્રસ્ત દર્દીઓ સજા થયા છે. ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાગ્રસ્ત દંપતિમાં પ્રથમ પતિ બાદ પત્ની પણ સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી. ત્યારબાદ આજે વધુ એક સુત્રાપાડા તાલુકાના વાવડીનો પુરુષ કોરોનામુક્ત થતા આજે સવારે અમદાવાદ સરકારી હોસ્પિલ કોવીડ-19 ખાતેથી તેઓને રજા આપવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના કોરોના વાયરસના ત્રણ દર્દીઓ સાજા થઈ જતા ગીર સોમનાથ જિલ્લો કોરોનામુક્ત થયો છે.

સુત્રાપાડા તાલુકાના વાવડી ગામે રહેતા જાદવભાઈ ભિમશીભાઈ પંપાણીયા (ઉ.વ-49)ને અન્ય બિમારી ના કારણે તેઓને 20મી એપ્રિલના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કોરોના વાયરસનું સેમ્પલ લીધા બાદ પરિક્ષણ થયા પછી કોરોના વાયરસ પોઝીટીવ આવ્યો હતો. અમદાવાદની સરકારી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા. હોસ્પિટલમાં સતત ૧૦ દિવસની સઘન સારવાર આપવામાં આવતા કોરોના વાયરસના છેલ્લા બે રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. અને આજે 30મી એપ્રિલના રોજ જાદવભાઈને સરકારી હોસ્પિલ અમદાવાદ ખાતેથી રજા આપવામાં આવી હતી. અને તેઓ આજે તેમના વતન પહોંચી ગયા છે.

કોરોના વાયરસમાંથી મુક્ત થતા જાદવભાઈ પંપાણીયાએ જણાવ્યું હતું કે, ડોકટરોએ ખુબ કાળજીપુર્વક સારવાર કરી ભગવાનનો આપવામાં આવેલો દરજ્જો ડોકટરોએ સાર્થક કર્યો હતો. મને કોરોના મુક્ત કરવા માટે ડોકટરોએ કરેલી મહેનતને હું ક્યારેય ભૂલી નહી શકું. તેઓને અને તેમના સાથે રહેલા સહાયકોને કોરોન્ટાઇનમાં રાખવામાં આવશે. તેમ જિલ્લા આરોગ્ય અધિકારી ચેતન મહેતાએ જણાવ્યું હતું.

કુતિયાણા ચૌટા ચેકપોસ્ટ પર બાળક સાથે ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ

કોરોના વાયરસની મહામારીમાં પોલીસ પોતાની બધીજ મુશ્કેલીઓને દુર મુકીને કોરોના યોધ્ધા તરીકે કામ કરી રહી છે. પોરબંદર જિલ્લામાં પોલીસ દ્રારા લોકડાઉનની સઘન કામગીરી થઇ રહી છે. મહિલા પોલીસ પોતાના નાના બાળકો હોય તો ઘણી વખત ઘરે તેને સાચવવાવાળુ કોઇ ન હોય તો સેવાને અગ્રતા આપી ફરજ બજાવે છે.

કુતિયાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રમાબેન કટારીયા કોરોના મહામારી સંદર્ભે ચૌટા ચેકપોસ્ટ પર પોતાના નાના પુત્રને સાથે રાખીને ફરજ બજાવતા જોવા મળ્યા હતા. તેઓને પુછતા જણાવ્યુ હતુ કે અમારી ફરજ લોકડાઉનમાં વધી જાય છે. પોરબંદર જિલ્લામાં સૌની ફરજ અને કામગીરીને લીધે રોગચાળો વધ્યો નથી ત્યારે પોલીસ તરીકે અમારે લોકોને બિનજરૂરીતે બહાર ન નીકળે અને નિયમોનું પાલન કરે તે માટેની કામગીરી કરવાની હોય છે. ઘણી વખત મારા બાળકને ઘરે કોઇ સાચવવાવાળુ ન હોય ત્યારે હું બાળકને સાથે રાખી ફરજ બજાવુ છું. લોકોને ઘરે રહેવા તેમણે અપીલ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોરબંદર જિલ્લામાં વિવિધ જિલ્લાની ચેક પોસ્ટ બોર્ડર પર પોરબંદર પોલીસ દ્રારા વાહનોની અવર જવર પર દેખરેખ રાખવામાં આવે છે. બિનજરૂરી રીતે લોકોની અવર જવર પર નિયંત્રણ આવે તે માટે પોલીસ બંધોબસ્ત સાથે કામગીરી કરવામાં આવે છે. આમ રમા બહેન જેવા કોરોના વોરિયર્સ લોકોને પણ પ્રેરિત કરે છે. જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ૧૯૦૦થી વધુ પોલીસમેન, પોલીસ અધિકારીઓ, હોમગાર્ડ તેમજ ગ્રામ રક્ષક દળ દ્રારા લોકડાઉન અંતર્ગત સઘન બંધોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

સુરતમાં જરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ઓડિશાના કારીગરોને તેમના માલિક દ્વારા વતનમાં પરત મોકલાયા

વિશ્વભરમાં કોરોનાના હાહાકાર વચ્ચે કેન્દ્ર સરકારે દેશવાસીઓને મહામારીથી બચાવવા માટે દેશભરમાં લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું છે. આ સ્થિતિમાં અન્ય રાજ્યોમાંથી સુરત શહેરમાં રોજગારી અર્થે આવેલા શ્રમિકોને તેમના વતનમાં પરત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

સુરત ખાતે પૂર્વ વિધાનસભામાં જરી ઉદ્યોગના વ્યવસાય સાથે જોડાયેલા કારખાનામાં કામ કરતા ઓડીશા રાજ્યના ગંજમ જિલ્લાના કામદારોને તેમના માલિક દ્વારા વતનમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વ્યવસ્થા ગોઠવવામાં ધારાસભ્ય અરવિંદ રાણા તથા પૂર્વ કોર્પોરેટર સી. ટી. જરીવાલાનો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ વેળાએ સુરતના સાંસદ દર્શના જરદોશે ઉપસ્થિત રહી કારીગરોને તેમના વતનમાં મોકલવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

કોરોનાને કારણે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે આ વિકટ પરિસ્થિતિમાં ગરીબવર્ગની વ્હારે આવી રાજય સરકાર દ્વારા ગરીબ જરૂરિયાતમંદ લોકોને જીવનજરૂરી વસ્તુઓ મળી રહે તે માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઉધનાના જાગૃત્ત જનપ્રતિનિધિ ધારાસભ્ય વિવકે પટેલ દ્વારા ઉધના વિધાનસભાના સંદીપનગર, શિવમનગર, ક્રિષ્નાનગર, ભરવાડ વસાહત, પાંડેસરા જેવા વિસ્તારોમાં ગરીબ જરૂરિયાતમંદ લોકોને ચોખા અને દાળની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે ધારાસભ્યે લોકોને કોરોના વાયરસની ગંભીરતા અંગે સમજ આપી ઘરમાં રહી કોરોના વાયરસથી સુરક્ષિત રહો તેવા સંદેશા સાથે લોકોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખવાની સૂચના આપી હતી.

ગઠામણ ગામના ભાઇ-બહેન અજય અને આશા તથા ચાર વર્ષની બાળા સુલાફાએ કોરોનાને હરાવ્યો

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાને હરાવનાર ગઠામણ ગામના ત્રણ વ્યક્તિઓને પાલનપુર સીવીલ હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાં પ્રથમ કોરોના પોઝીટીવ આવેલા સોમાભાઇ પરમારની પુત્રી આશાબેન ઉ.વ. 18 અને પુત્ર અજય સોમાભાઇ ઉ.વ. 14 બંન્ને ભાઇ-બહેન તથા ગઠામણ ગામની જ ચાર વર્ષની બાળકી સુલાફા ગુલાબરસુલ ધુક્કા ઉ.વ. 4 વર્ષના બીજા બે રીપોર્ટ નેગેટીવ આવતા હોસ્પીટલમાંથી ઘેર જવાની રજા અપાઇ છે.

઼પાલનપુર તાલુકાના ગઠામણ ગામની આશાબેન સોમાભાઇ પરમાર અને અજય સોમાભાઇ પરમારને 15-4-2020 અને સુલાફા ગુલામરસુલ ધુક્કાને 17-4-2020ના રોજ કોરોના પોઝીટીવ આવતા બનાસ મેડીકલ કોલેજ સંચાલિત પાલનપુર સીવીલ હોસ્પીટલ ખાતે તૈયાર કરાયેલી કોવિડ-19 હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. ગઇકાલે તેમના બીજા બે રિપોર્ટ નેગેટીવ આવતા હોસ્પીટલમાંથી તેમને ઘેર જવાની રજા આપવામાં આવી છે. પાલનપુર સીવીલ સર્જન ર્ડા. ભરત મિસ્ત્રી અને અધિક્ષક ર્ડા. સુનિલ જોષી સહિત અન્ય ર્ડાકટરોએ સાજા થયેલા દર્દીઓને શુભેચ્છા ગીફ્ટ આપી, તાળીઓથી અભિવાદન કરી હોસ્પીટલમાંથી વિદાઇ આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ વાવ તાલુકાના મીઠાવીચારણ ગામના પાંચ વર્ષીય બાળક મહેક અરવિંદભાઇ વડાલીયાએ પણ કોરોનાને મ્હાત આપતા બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલે અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં તા.19 એપ્રિલે રજા અપાઇ હતી.

બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી કુલ-30 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા તેમાંથી ભાગળ ગામના ફાતીમાબેન મુખીનું અવસાન થયું છે. અત્યાર સુધી સાજા થયેલા કુલ-૪ વ્યક્તિઓને ઘેર જવાની રજા અપાઇ છે અને કોરોના સંક્રમિત 25 દર્દીઓ સીવીલ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે તેમની સ્થિતિ પણ સારી છે તેમ પાલનપુર હોસ્પીટલના સીવીલ સર્જન ર્ડા. ભરત મિસ્ત્રી અને અધિક્ષક ર્ડા. સુનિલ જોષીએ જણાવ્યું છે.

કોરોના સામેના જંગમાં મહેસાણા કોવિડ હોસ્પીટલના ર્ડા. સ્નેહાબા રાજપૂત કોરોના વોરીયર બની ફરજ બજાવે છે

સમગ્ર વિશ્વ અત્યારે કોરોના વાયરસ સામે ઝઝુમી રહ્યું છે અત્યંત ચેપી ગણાતા આ રોગમાં ખુબ જ સાવધાની રાખવી પડે છે તેમ છતાં ર્ડાકટરો દેવદૂત બનીને જાનના જોખમે દર્દીઓની સેવા કરી રહ્યા છે. મહેસાણાની કોવિડ-૧૯ હોસ્પિટલમાં જોખમી કહી શકાય તેવા શંકાસ્પદ દર્દીઓની બિલકુલ નજીકમાં રહીને સ્લેબ લેનાર મહેસાણાનાં સૌથી યંગ લેડી ઇ.એન.ટી. સર્જન ર્ડા. સ્નેહાબા રાજપૂતે આજ સુધીમાં ૧૦૨ જેટલાં સ્લેબ લીધા છે અને કોરોના સામેના યુદ્ધમાં નિષ્ઠાવાન સૈનિકની ભૂમિકામાં અડીખમ ઉભા રહી હાલ સાંઇક્રિષ્ણા કોવિડ-19 હોસ્પીટલમાં બહુ જોખમી એવી સ્લેબ લેવાની કામગીરી બખુબી નિભાવી રહ્યા છે.

મહેસાણા સીવીલ હોસ્પીટલમાં એક વર્ષ અગાઉ ઇ.એન.ટી. સર્જન તરીકે જોડાયેલ ર્ડા. સ્નેહાબા કહે છે, પીપીઇ કીટ પહેરી હોય તો પણ હૃદયમાં ભગવાનને યાદ કરી કોરોના સામેનો જંગ લડી રહ્યા છીએ ત્યારે લોકડાઉન દરમ્યાન કામ વગર બહાર ફરતા લોકોએ પણ ઘરમાં રહી પરિવાર, સમાજ અને શહેરની ચિંતા કરવી જરૂરી છે.

કોવિડ-19 હોસ્પિટલમાં બહુ જોખમી એવા સ્લેબ લેવાની જવાબદારી નિભાવતાં મૂળ હેબુવાનાં વતની અને હાલ મહેસાણામાં રહેતાં ર્ડા. સ્નેહાબા દશરથસિંહ રાજપૂત તેમના પરિવારમાં એકનું એક સંતાન છે. તેમના મમ્મી-પપ્પા સરકારી સેવામાં ફરજ બજાવે છે. ર્ડા. સ્નેહાબા રાજપૂતે જણાવ્યું કે, કોરોના વૈશ્વિક મહામારીમાં સૈનિક બનીને લોકોની સેવા કરવી એ મારી પવિત્ર ફરજ છે.

ડો.સ્નેહલબા રાજપૂતે જણાવ્યું હતુ કે સ્વાઇન ફ્લૂ પણ આપણ માટે પડકારરૂપ હતો પરંતુ કોરોના જેટલો ગંભીર નહતો. કોરોના નવો ડિસીઝની સાથે તેની રસી ન શોધાતાં એ પણ લોકોમાં ડર છે અને આ ડરને ઘરમાં રહીને જ દૂર કરી શકાય. કોરોનાનાં લક્ષણો વ્યક્તિમાં જણાતાં ન હોવાની બાબત ખૂબ જ ગંભીર છે અને પીપીઇ કીટ પહેરી હોય તો પણ ક્યારેક સ્લેબ લેતાં મનમાં સવાલ ઉઠે છે કે આનો રિપોર્ટ પોઝીટીવ તો નહીં આવે ને.

આરોગ્ય કર્મીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે ત્યારે ર્ડા. સ્નેહાબાએ કહ્યું કે, મેડીકલ સ્ટાફે કોરોનાને લાઈટલી ના લેવો જોઇએ. પ્રોપર પ્રિકોશન લેવું જરૂરી છે. હું ઘરે જતાં પહેલાં ઘર ખોલાવી રાખું છું અને છેલ્લા દોઢ મહિનાથી મકાનના એક રૂમમાં પરિવારથી દૂર ક્વોરન્ટાઇન રહું છું. કેમ કે, મને ચિંતા છે મારા પરિવારની, મને ચિંતા છે મારા સમાજ અને મારા મહેસાણા શહેરની. ર્ડા. સ્નેહાબા રાજપૂત બહાર ફરતા લોકોને એટલું જ કહેવા માગે છે કે ઘરમાં રહેશો તો જ કોરોના સંક્રમણની ચેઇન તોડી શકાશે.

તેમણે ઉમેર્યુ કે, અત્યારે ફીઝીકલી ઇમ્યુનીટી સ્ટ્રોંગ થવું જરૂરી છે. એની સાથે ધ્યાન, યોગ, પ્રાણાયમ, સૂર્યનમસ્કાર કરવાથી ફાયદો થશે. વાસી ખોરાક ખાવાનું ટાળો, વિટામીનવાળા ફળ, ઉકાળેલું પાણી પીવો, સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે રીતે એકબીજા સાથે ઇમોશનલી જોડાયેલા રહેવું એ આજના સમયની તાતી જરૂરીયાત છે.

ગુજરાતમાં રેકોર્ડ બ્રેક 313 કેસ નોંધાયા, અમદાવાદમાં 249 કેસ, સુરતના કતારગામ ઝોનને કલસ્ટર ઝોન જાહેર કરાયો

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના વધુ નવા 313 કેસ નોંધાયા છે. આજે સાંજે પાંચ વાગ્યા સુધી છેલ્લા 24 કલાકના આ આંકડા છે. જેમાં અમદાવાદમાં 249, સુરતમાં 13, વડોદરામાં 19, ગાંધીનગરમાં 10, પંચમહાલમાં 10, આણંદમાં 3, ભાવનગરમાં 4, મહેસાણામાં 3, અરવલ્લી – દાહોદમાં એક એક કેસ નોંધાયા છે. અત્યાર સુધી અમદાવાદમાં સૌથી વધુ કેસ આજે નોંધાયા છે. જેણે 18 એપ્રિલે નોંધાયેલા 243 કેસનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

આ અંગે માહિતી આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ જણાવ્યું છે કે, છેલ્લા 24 કલાક દરમ્યાન 17 લોકોના મૃત્યુ નિપજ્યા છે. 3535 લોકો હાલ સારવાર હેઠળ છે અને 33 લોકો વેન્ટિલેટર હેઠળ છે. 86 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ %A