માતા ગઝલનાં લાડકા પુત્ર એટલે મુનવ્વર રાના,”મા” અંગે લખેલા અમર અને લોકપ્રિય શેર

મુનવ્વર રાના એવા કવિ છે કે જેમણે ઉર્દૂ કવિતાને પ્રેમિકાના ઝૂલ્ફો અને સૌંદર્યમાંથી ખેંચીને માતાના ચરણોમાં પહોંચાડી અને માતા પર અનેક શેરો અને ગઝલ લખી જે આખી દુનિયામાં પ્રખ્યાત થયા છે. વિશ્વભરમાં તેમનાં શેરો લોકપ્રિય થયા અને સાંભળવામાં આવે છે. રવિવારે રાત્રે તેમણે ફાની દુનિયાને અલવિદા કહી દીધી છે.

મુનવ્વર રાનાનું અસલી નામ સૈયદ મુનવ્વર અલી છે, અને તેમનો અભ્યાસ કોલકાતામાં થયો હતો. મુનવ્વર રાનાને તેમના માતા આયેશા સાથે અદ્વીતીય લગાવ હતો. માતા અંગેના તમામ શેરો તેમણે તેમના માતાને કેન્દ્રમાં રાખીને લખ્યા છે.

મુનવ્વર રાનાએ મા પર લખેલા અજરાઅમર  ખૂબ જ લોકપ્રિય થયેલા શેર

કીસી કો ઘર મિલા હિસ્સે મે યા કોઈ દુકાં આઈ,
મૈં ઘર મેં સબ સે છોટા થા, મેરે હિસ્સે મે માં આઈ.

ચલતી ફિરતી હુઈ આંખો સે અઝાં દેખી હૈ,
મૈં ને જન્નત તો નહીં દેખી હૈ, માં દેખી હૈ.

અભી ઝીંદા હૈ માં મેરી, મુઝે કુછ નહીં હોગા
મૈં ઘર સે જબ નિકલતા હું દુઆ ભી સાથ ચલતી હૈ.

ઈસ તરહ મેરે ગુનાહોં કો વો ધો દેતી હૈ,
માં બહોત ગુસ્સે મેં હોતી હૈ તો રો દેતી હૈ.

જબ ભી કશ્તી મેરી સૈલાબ મેં આ જાતી હૈ,
માં દુઆ કરતી હુઈ ખ્વાબ મેં આ જાતી હૈ.

કલ અપને આપ કો દેખા થા માં કી આંખોં મેં,
યે આઈના હમેં બૂઢા નહીં હોને દેતા.

તેરે દામન મેં સિતારે હૈં તો હોંગે અય ફલક,
મુઝ કો અપની માં કી મૈલી ઓઢની અચ્છી લગી.

મુનવ્વર માં કે આગે યૂં કભી ખૂલકર નહીં રોના,
જહાં બૂનિયાદ હો ઈતની નમી અચ્છી નહીં લગતી.

યે સોચ કે માં બાપ કી ખિદમત મેં લગા હું,
ઈસ પેડ઼ કા સાયા મેરે બચ્ચોં કો મિલેગા.

બરબાદ કર દીયા હમેં પરદેસ ને મગર,
માં સબ સે કેહ રહી હૈ કી બેટા મઝે મેં હૈ.

યે ઐસા કર્ઝ હૈં જો મેં અદા કર નહીં સકતા,
મૈં જબ તક ઘર ન લોટું મેરી માં સજદે મેં રહેતી હૈ.

મૈં ને કલ શબ ચાહતોં કી સબ કિતાબૈં ફાડ઼ દી,
સિર્ફ ઈક કાગઝ પે લિખ્ખા થા લફ્ઝે “માં” રહને દીયા.

દિન ભર કી મશક્કત સે બદન ચૂર હૈં લેકિન,
માં ને મુઝે દેખા તો થકન ભૂલ ગઈ હૈં.

લિપટ જાતા હૂં માં સે ઔર મૌસી મુસ્કુરાતી હૈ,
મૈં ઉર્દુ મેં ગઝ઼લ કહેતા હું તે હિન્દી મુસ્કુરાતી હૈ.

શહેર કે રસ્તે હો, ચાહે ગાંવ કી પગદંડીયાં,
માં કી ઉંગલી થામ કર ચલના બહોત અચ્છા લગા.

મુનવ્વર રાનાના ચૂંટેલા યાદગાર શેર, ચલો હમ આજ યે કિસ્સા અધુરા છોડ઼ દેતે હૈં…

ઉર્દુના પ્રખ્યાત અને દિગ્ગજ શાયર મુનવ્વર રાના લાંબી બિમારીની સામે જીવનનો જંગ હારી ગયા છે. રવિવારે મોડી રાત્રે તેમનું હૃદય રોગના હૂમલાથી નિધન થયું છે. મુનવ્વર રાનાનું અસલી નામ સૈયક મુનવ્વર અલી હતું. તેઓ 71 વર્ષના હતા. તેમના કેટલાક યાદગાર અને ચૂંટેલા શેર અત્રે પ્રસ્તુત કરીએ છીએ.

કુછ બિખરી હુઈ યાદોં કે કિસ્સે ભી બહુત થે,
કુછ ઉસ ને ભી બાલોં કો ખૂલા છોડ દિયા થા.

તુમ્હારા નામ આયા ઔર હમ તકને લગે રસ્તા,
તુ્મ્હારી યાદ આઈ ઔર ખિડ઼કી ખોલ દી હમને,

ફરિશ્તે આ કર ઉન કે જિસ્મ પર ખૂશ્બુ લગાતે હૈ,
વો બચ્ચે જો રેલ કે ડિબ્બોં મેં ઝાડૂ લગાતે હૈં.

તમામ જિસ્મ કો આંખે બના કે રાહ કો,
તમામ ખેલ મહોબ્બત મેં ઈન્તેઝાર કા હૈ.

તુમ્હેં ભી નીંદ સી આને લગી હૈ થક ગયે હમ ભી,
ચલો હમ આજ યે કિસ્સા અધુરા છોડ઼ દેતે હૈં.

કીસી કે ઝખ્મ પર ચાહત સે પટ્ટી કૌન બાંધેગા,
અગર બહનેં નહીં હોંગી તો રાખી કૌન બાંધેગા.

હમ નહીં થે તો ક્યા કમી થી યહાં,
હમ ન હોંગેં તો ક્યા કમી હોગી.

બચ્ચોં કી ફીસ ઉન કી કિતાબેં કલમ-દવાત,
મેરી ગરીબ આંખો મે સ્કૂલ ચૂભ ગયા

ગર કભી રોના હી પડ઼ જાયે તો ઈતના રોના,
આ કે બરસાત તેરે સામને તૌબા કર લે.

તુમ્હારે શહેર મેં મય્યતત કો સબ કાંધા નહીં દેતે,
હમારે ગાંવ મેં છપ્પર ભી સબ મિલ કર ઉઠાતે હૈં.

સગી બહેનોં કા રિશ્તા હૈં ઉર્દુ ઔર હિન્દી મેં,
કહીં દૂનિયા કી દો ઝીંદા ઝબાનોં મેં નહીં મિલતા.

હંસ કે મિલતા હૈં મગર કાફી થકી લગતી હૈ,
ઉસ કી આંખે કઈ સદીયોં સે જગ લગતી હૈ.

કભી ખૂશી સે ખૂશી કી તરફ નહીં દેખા
તુમ્હારે બાદ કીસી કી તરફ નહીં દેખા,

વો જિસ કે વાસ્તે પરદેશ જા રહા હું મૈં,
બિછળતે વક્ત ઉસી કી તરફ નહીં દેખા.

અબ જુદાઈ કે સફર કો મેરે આસાન કરો
તુમ મુઝે ખ્વાબ મેં આ કર ન પરેશાન કરો

તુમ્હારી આંખો કી તૌહીન હૈ ઝરા સોચો,
તુમ્હારા ચાહનેવાલા શરાબ પીતા હૈ.

સો જાતે હૈં ફૂટપાથ પે અખબાર બિછાકર,
મઝદુર કભી નીંદ કી ગોલી નહીં ખાતે.

એક આંસુ ભી હુકુમત કે લિયે ખતરા હૈ,
તુમ ને દેખા નહીં આંખો કા સમુંદર હોના.

શ્રદ્વાંજલિ: ઉર્દુના દિગ્ગજ શાયર મુનવ્વર રાનાનું જીવન-કવન, “આપ આસાન સમઝતે હે મુનવ્વર હોના”

મુનવ્વર રાના ઉર્દૂ સાહિત્યની દુનિયામાં વિશ્વસનીય અને લોકપ્રિય નામ છે. તેમણે માત્ર ઉર્દૂમાં જ નહીં પરંતુ હિન્દી કવિતામાં પણ નામના મેળવી છે. ઉર્દૂ અને હિન્દી સાહિત્ય જગતમાં વિશ્વ વિખ્યાત મુનવ્વર રાણાએ ઉર્દુ શાયરીને રંગબેરંગી ક્ષિતિજો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. તેમની શાયરીનો કેનવાસ એટલો બધો રંગદર્શી અને ભાવનાત્મક છે કે તેમના શેર વાંચ્યા બાદ કોઈ પણ માણસ તેમનો અચૂક ફેન બની જાય છે.

1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે તેમના ઘણા નજીકના સંબંધીઓ અને પરિવારના સભ્યો દેશ છોડીને પાકિસ્તાન ગયા હતા. પરંતુ સાંપ્રદાયિક તણાવ હોવા છતાં, મુનવ્વર રાણાના પિતાએ પોતાના દેશમાં રહેવાનું પોતાનું કર્તવ્ય માન્યું. મુનવ્વર રાણાનું પ્રારંભિક શિક્ષણ કલકત્તા (નવું નામ કોલકાતા)માં થયું હતું. રાણાએ ગઝલ ઉપરાંત સંસ્મરણો પણ લખ્યા છે. તેમના લખાણોની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમની કૃતિઓ ઉર્દૂ સિવાય અન્ય ભાષાઓમાં અનુવાદિત થઈ છે.

મુનવ્વર રાનાની કવિતામાં ગઝલ કવિતા સ્થાન પામી. ‘મા’ પરનું તેમની શાયરીઓ ખૂબ પ્રખ્યાત છે. તેમની ગઝલો હિન્દી, બાંગ્લા (બંગાળી) અને ગુરુમુખી ભાષાઓમાં પણ છે. મુનવ્વર રાણાનો 26 નવેમ્બર, 1952ના રોજ રાયબરેલીમાં જન્મ થયો હતો. રાયબરેલી પછી તેઓ કોલકાતામાં શિફ્ટ થયા ત્યાર બાદ લખનૌમાં રહ્યા.

મુનવ્વર રાનાએ ઉર્દૂ, હિન્દી અને બંગાળી ભાષાઓમાં પણ તેમની કવિતા પ્રકાશિત કરી. તેમની ગઝલ ‘મા’ આ ત્રણેય ભાષામાં પ્રકાશિત થઈ અને ખાસ્સી ખ્યાતિ મેળવી. રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય મુશાયરા અને કવિ સંમેલનો પણ તેમણે ભાગ લીધો. તેમના દ્વારા રચિત કવિતા શાહદાબા માટે તેમને 2014 માં સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને તેમણે લખેલું “મુહાજીરનામા” ખૂબ જ લોકપ્રિય થયું હતું, આ મુહાજીરનામામાં તેમણે વિભાજનની વેદના અને દર્દને ભારોભાર ઝીલ્યા છે.

મુનવ્વર રાના એવા કવિ છે કે જેમણે ઉર્દૂ કવિતાને પ્રેમિકાના ઝૂલ્ફો અને સૌંદર્યમાંથી ખેંચીને માતાના ચરણોમાં પહોંચાડી અને માતા પર અનેક શેરો અને ગઝલ લખી જે આખી દુનિયામાં પ્રખ્યાત થયા છે. વિશ્વભરમાં તેમનાં શેરો લોકપ્રિય થયા. અને સાંભળવામાં આવે છે.

મુનવ્વર રાનાનું અસલી નામ સૈયદ મુનવ્વર અલી છે, અને તેમનો અભ્યાસ કોલકાતામાં થયો હતો. મુનવ્વર રાનાને તેમના માતા આયેશા સાથે અદ્વીતીય લગાવ હતો. માતા અંગેના તમામ શેરો તેમણે તેમના માતાને કેન્દ્રમાં રાખીને લખ્યા છે. મુનવ્વર રાનાએ ઉર્દૂ કવિતા શીખવા માટે અબ્બાસ અલી ખાન બેખુદ અને વાલી આસીને પોતાના ઉસ્તાદ બનાવ્યા અને તેમની પાસેથી ઉર્દૂ કવિતાની કળા શીખી.

બાદશાહોં કો સિખાયા હૈ કલંદર હોના,
આપ આસાન સમઝતે હે મુનવ્વર હોના

મુનવ્વર રાનાના અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ પુસ્તકો પ્રકાશિત થયા છે, જેમાં ”માં,ગઝલ છાંવ, પીપલ છાંવ, બદન સરાય, નીમ કે ફૂલ, સબ ઉસ કે લિયે, ઘર અકેલા હો ગયા, કહો ઝિલ્લે ઈલાહી સે, બગૈર નક્શે કા મકાન, ફિર કબીર, નયે મોસમ કે ફૂલ “ જેવા ગઝલ સંગ્રહનો સમાવેશ થાય છે.

સિર્ફ તારીખ બતાને કે લિયે ઝીંદા હું
અબ મેરા ઘર મેં ભી હોના હૈ કેલેન્ડર હોના

ગઝલમાં મુનવ્વર રાનાએ હિન્દી અને અવધી શબ્દો વાપરે છે અને ફારસી અને અરબી ભાષાને ટાળી છે. આ તેમની કવિતાને ભારતીય શ્રોતાઓ અને વાચકો માટે સુલભ બનાવે છે અને બિન-ઉર્દૂ પ્રદેશોમાં યોજાતા કવિતા સંમેલનોમાં તેમની લોકપ્રિયતામાં વધારો કરનારી સાબિત થઈ છે. મુનવ્વર રાનાની લખવાની એક અલગ શૈલી છે. તેમના મોટા ભાગના શેરોમાં માતા તેમના પ્રેમનું કેન્દ્રબિંદુ છે.

તમામ ઉમ્ર હમ એક દુસરે સે લડ઼તે રહે,
મગર મરે તો બરાબર મેં જા કે લેટ ગયે.

ઉર્દૂ સાહિત્ય માટે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર (2014) લગભગ એક વર્ષ પછી તેમણે એવોર્ડ પરત કર્યો. દેશમાં વધી રહેલી અસહિષ્ણુતાના કારણે રાજ્ય પ્રાયોજિત સાંપ્રદાયિકતાના કારણે તેમણે ફરી ક્યારેય સરકારી એવોર્ડ ન સ્વીકારવાની પ્રતિજ્ઞા લીધી.2012માં તેમને ઉર્દૂ સાહિત્યની સેવાઓ માટે શહીદ શોધ સંસ્થાન દ્વારા માટી રતન સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

મુનવ્વર રાનાના નામે વિવાદો પણ એટલા રહ્યા છે. તેમના પુત્ર તબરેઝ દ્વારા ફાયરીંગ બોગસ ઘટના, રામ મંદિરના ચૂકાદાનો વિરોધ, તાલિબાનો સાથે મહર્ષિ વાલ્મિકીની સરખામણી, તાલિબાનોની તરફેણ જેવા નિવેદનોને લઈ મુનવ્વર રાના ખાસ્સા વિવાદમાં રહ્યા હતા.

ઉર્દુના પ્રખ્યાત શાયર મુનવ્વર રાનાનું હાર્ટ એટેકથી નિધન, રાયબરેલીમાં થશે સુપુર્દે ખાક

ઉર્દુ સાહિત્યનાં પ્રખ્યાત શાયર મુનવ્વર રાનાનું નિધન થયું છે. રવિવારે મોડી રાત્રે હૃદયરોગના હુમલાથી તેમનું નિધન થયું હતું. મુનવ્વર રાના પાછલા કેટલાક દિવસોથી લખનૌના પીજીઆઈમાં દાખલ હતા.

તેમની પીજીઆઈમાં સારવાર ચાલી રહી હતી. તેમને કિડની અને હ્રદયની બીમારી સંબંધિત સમસ્યાઓ હતી. તેમની પુત્રી સુમૈયા રાનાએ જણાવ્યું કે રાત્રે 11.30 વાગ્યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા. હાર્ટ એટેક આવ્યો હતો. સોમવારે રાયબરેલીમાં સુપુર્દે ખાક કરવામાં આવશે.

મોટી ખોટ: ગુજરાતનાં ખ્યાતનામ કવિ નયન દેસાઈએ “નયન” મીંચી લીઘા, 80 વર્ષની જૈફ વયે દુખદ અવસાન

ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ કવિ અને સુરતના રહીશ નયન દેસાઈનું 80 વર્ષની જૈફ વયે નિધન થયું છે. નયન દેસાઈ પાછલા કેટલાક સમયથી ઉંમરના કારણે શારિરીક કમજોરીથી પીડિત હતા. આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

નયન દેસાઈ સુરતના પ્રખ્યાત અખબાર ગુજરાત મિત્રમાં લાંબા સમયથી તંત્રી મંડળમાં રહ્યા હતા. ગીત, ગઝલ ઉપરાંત તેમણે નવલિકાઓ, નિબંધો અને હાસ્ય રમૂજની રચનાઓ પણ લખી છે. તેમનાં અનેક શેર યાદગાર છે અને અમર છે. તેમણે ગઝલ શિબિર શરુ કરી અનેક નવલોહિયા કવિઓને તૈયાર કરવામાં મોટું યોગદાન આપ્યું હતું.

નયન દેસાઈનો જન્મ 22 ફેબ્રુઆરી 1946ના રોજ હર્ષદરાય અને ઈન્દુમતીબેનને ત્યાં સુરત જિલ્લાનાં કડોદરા ગામે થયો હતો. તેમનો પરિવાર વાલોડનો હતો.1965 માં એસએસસી પૂર્ણ કર્યા પછી, તેમણે 14 વર્ષ સુધી હીરાના કારખાનામાં કામ કર્યું. 1980માં તેઓ સુરતના સૌથી જૂના સમાચારપત્ર ગુજરાતમિત્રમાં સબ-એડિટર તરીકે જોડાયા હતા. થોડાં વર્ષો પૂર્વે તેઓ નિવૃત્ત થયા હતા.

નયન દેસાઈએ સાહિત્ય સફરમાં અનેકવિધ સીમાચિહ્નો અંકિત કર્યા હતા. તેમના ગઝલ સંગ્રહોમાં માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો (1979), મુકમ પોસ્ટ માણસ (1983), અને ધૂપ કા સાયા (ઉર્દૂમાં ગઝલ)નો સમાવેશ થાય છે. તેમને 2013માં કલાપી એવોર્ડ અને 2016માં કવિશ્વર દલપતરામ એવોર્ડ મળ્યો હતો.

નયન દેસાઈના ગઝલ સંગ્રહ મુકમ પોસ્ટ માણસ (1982) ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું અને તેમના ધૂપ કા સાયાને ઉર્દૂ સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન નેશનલ થિયેટર દ્વારા તેમને ગુજરાતી ગઝલ કવિતામાં નોંધપાત્ર પ્રદાન બદલ 2013માં કલાપી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતી કવિતામાં તેમના યોગદાન બદલ તેમને 2016 માં કવિશ્વર દલપતરામ એવોર્ડ મળ્યો હતો. તેઓ પાછળ પત્ની શશી દેસાઈ, પત્રકાર પુત્ર મેહુલ દેસાઈ, પુત્ર સંદીપ અને પુત્રી મોહિનીને પાછળ મૂકતા ગયા છે.

 

લેખક ગ્રીનમેન વિરલ દેસાઈના પુસ્તકની બીજી આવૃત્તિ માત્ર બે મહિનામાં લોન્ચ થઈ

ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણપ્રેમી અને લેખક વિરલ દેસાઈએ જૂન મહિનામાં ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’ નામે અંગ્રેજી અને ગુજરાતીમાં પુસ્તક લોન્ચ કર્યું હતું, જે પુસ્તકને વાચકો દ્વારા અત્યંત બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો. એ કારણે વિરલ દેસાઈના પુસ્તકની માત્ર બે મહિનામાં બીજી આવૃત્તિ પ્રકાશિત કરવી પડી હતી, જેનું વિમોચન સુરતના સ્પેશિયલ બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું.

પોતાના પુસ્તક વિશે વિરલ દેસાઈએ કહ્યું હતું કે, ‘હું હંમેશાં કહું છું કે હું એક્સિડન્ટલ રાઈટર છું. પરંતુ મારા પહેલાં જ પુસ્તકને આટલી મોટી સફળતા મળશે એ વિશે મને નહોતી ખબર. માત્ર બે જ મહિનામાં મારા પુસ્તકની બંને ભાષાની આવૃત્તિઓ નવી આવે એ મારે માટે પણ આંચકાજનક બાબત છે. મને લાગે છે કે દેશના લોકોનો નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેનો ભાવ જ એવો ઉત્ક્ટ છે કે તેમણે મોદીજીના કાર્યો પર લખાયેલું આ પુસ્તક અત્યંત ઉત્સાહભેર વધાવી લીધું.’

ઉલ્લેખનીય છે કે ગ્રીનમેન વિરલ દેસાઈનું પુસ્તક ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે કાર્યક્રાળ દરમિયાન થયેલા પર્યાવરણીય કાર્યોના લેખાજોખા પ્રસ્તુત કરે છે. આ પુસ્તકમાં ‘બિગ કેટ અલાયન્સ’થી લઈ ‘નમામિ ગંગે’ કે ‘મિશન લાઈફ’ જેવા વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરાયેલા પ્રોજેક્ટ્સ વિશે રસપ્રદ છણાવટ થઈ છે.

પુસ્તકની આ બીજી આવૃત્તિ સુરતની ‘સંસ્કારકૂંજ’ વિદ્યાલયના દિવ્યાંગ બાળકો દ્વારા વિમોચિત કરવામાં આવી હતી. જેને લઈને લેખક વિરલ દેસાઈએ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘દિવ્યાંગ શબ્દ પણ મોદીજીએ જ કોઈન કર્યો હતો ત્યારે દિવ્યાંગ બાળકોના હાથે મારા પુસ્તકની બીજી આવૃત્તિનું લોન્ચ થવું એ મારું અહોભાગ્ય છે. સાક્ષાત ઈશ્વરના દૂત એવા આ બાળકો દ્વારા વિમોચન થયા બાદ મને વિશ્વાસ છે કે મારા પુસ્તકની બીજી આવૃત્તિને પણ પ્રચંડ પ્રતિસાદ સાંપડશે.’

આ પુસ્તક એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઓનલાઈન સાઈટ્સ પર ઉપ્લબ્ધ છે. તો પુસ્તકની પહેલી આવૃત્તિ સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમર તેમજ જાણીતા લેખક જય વસાવડા દ્વારા વિમોચિત કરવામાં આવ્યું હતું. પુસ્તકની બંને આવૃત્તિ જાણીતા પ્રકાશક આર. આર. શેઠ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે.

પ્રસિદ્વ શાયર રાહત ઈન્દોરીના પત્ની અને કવિયત્રી અંજુમ રહેબર AAP છોડી કોંગ્રેસમાં જોડાયા

ત્રણ મહિના પછી યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે એમપીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટગ ઓફ વોર ચાલુ છે. આ વખતે આમ આદમી પાર્ટી એટલે કે AAP પણ એમપીમાં પોતાનું નસીબ અજમાવવાની તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં આ ત્રણેય પક્ષોમાં એકબીજાના નેતાઓને તોડવાની રમત ચાલી રહી છે. રવિવારે અનેક નેતાઓને કોંગ્રેસમાં જોડાવાની તૈયારી કરવામાં આવી હતી. જેમાં પ્રખ્યાત કવિ રાહત ઈન્દોરીની પત્નીનો પણ સમાવેશ થાય છે.

રાહત ઈન્દોરીના પત્ની અંજુમ રહેબર કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેઓ પોતે એક પ્રખ્યાત કવિ છે. પ્રદેશ અધ્યક્ષ કમલનાથે ભોપાલમાં કોંગ્રેસ કાર્યાલયમાં અંજુમ રહેબરને કોંગ્રેસનું સભ્યપદ આપ્યું. આ પ્રસંગે કમલનાથે કવિ અંજુમ રહેબરનું સ્વાગત કર્યું અને તેમને ફૂલોનો ગુચ્છો અર્પણ કર્યો.

ઉલ્લેખનીય છે કે, અંજુમ રહેબર આમ આદમી પાર્ટી (AAP) છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. તે આ વર્ષે એપ્રિલમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ હતી પરંતુ હવે તે કોંગ્રેસમાં જોડાઈ ગઈ છે. કવિ અંજુમ રહેબર એમપીના ગુના જિલ્લાના રહેવાસી છે.

AAP છોડીને કોંગ્રેસમાં જોડાયેલા કવિ અંજુમ રહેબર પ્રખ્યાત કવિ રાહત ઈન્દોરીના પત્ની છે. તે દેશભરમાં આયોજિત મુશાયરાઓમાં ભાગ લેવાનું ચાલુ રાખે છે. તે ઘણીવાર ગીતો, ગઝલ, કવિતા વગેરે પર બનેલા ટીવી કાર્યક્રમોમાં જોવા મળે છે.

ગુજરાત સાહિત્ય અકાદમીનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર હરીશ મીનાશ્રુને, પાંચમા ધોરણમાં લખી હતી પહેલી કવિતા

ગુજરાત સાહિત્ય અકાદમીનો 2022નો ગુજરાત ગૌરવ પુરસ્કાર આણંદના પ્રખર અને દિગ્ગજ કવિ હરીશ મીનાશ્રુને આપવાની જાહેરાત કરવામાં આવી છે. હરીશ મીનાશ્રુ જ્યારે પાંચમા ધોરણમાં હતા ત્યારે તેમણે પહેલી કવિતા લખી હતી.

તેમનું મૂળ નામ હરીશ કૃષ્ણરામ દવે છે. તેઓ હરીશ મીનાશ્રુના ઉપનામથી ગઝલો અને કવિતા લખે છે. તેઓ ગુજરાતી સાહિત્યમાં ઉત્તર આધુનિક કવિ તરીકે જાણીતા છે. તેમની કેટલીક નોંધપાત્ર કૃતિઓમાં ધૃબાંગસુંદર એની પેરે ડોલ્યા (1988), સુનો ભાઈ સાધો (1999), તાંદુલ (1999), પર્જન્યસુક્ત (1999), અને બનારસ ડાયરી (2016) નો સમાવેશ થાય છે.

તેમની કવિતાઓનો હિન્દી, મરાઠી, મલયાલમ, કન્નડ, જર્મન અને અંગ્રેજીમાં અનુવાદ થયો છે. તેમને કલાપી એવોર્ડ (2010), વલી ગુજરાતી ગઝલ એવોર્ડ (2012), અને નરસિંહ મહેતા એવોર્ડ (2014) મળ્યો હતો. તેમને તેમના કાવ્ય સંગ્રહ બનારસ ડાયરી (2016) માટે 2020નો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.

અમદાવાદ ખાતે આયોજિત ધી રાઈટ સર્કલ કાર્યક્રમમાં સૈન્ય વાર્તાઓના લેખક રચના બિષ્ટ રાવતની સ્ટોરીઓ પર ચર્ચા કરાઇ

કર્મ ફાઉન્ડેશન અને હાઉસ ઓફ એમજીના સહયોગથી પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે ધ રાઈટ સર્કલ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૈન્ય વાર્તાઓના જાણીતા લેખિકા રચના બિષ્ટ રાવત ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન અમદાવાદની અહેસાસ સંસ્થાના પ્રિયાંશી પટેલ અને શનીલ પારેખનો પણ સહયોગ રહ્યો હતો.

સાંજના સત્રમાં ખેતાન ફાઉન્ડેશન અને એહસાસ વુમન ઓફ જયપુરના આકૃતિ પેરીવાલે સંચાલન કર્યું હતું. જેમાં લેખિકા રચના બિષ્ટ રાવત કે જેમને ભારતીય લશ્કરના સૈનિકોની બહાદુરી પર અનેક વાર્તાઓ લખી છે અને હાલમાં જ તેમનું બિપીન : ધ મેન બિહાઈન્ડ ધ યુનિફોર્મ પુસ્તક પ્રકાશિત થયું છે. આકૃતિ પેરિવાલે રચના બિષ્ટ રાવત સાથે આ પુસ્તક વિશે ચર્ચા કરી હતી. રચના બિષ્ટ રાવતે ચર્ચા દરમિયાન બિપીન રાવતના પ્રેરણાદાયી જીવન અને કારકિર્દી વિશે અને પોતે લેખક તરીકે કરેલા અનુભવને સૌની સમક્ષ મૂક્યા હતાં, જે સાંભળીને સૌ સ્ત્રોતા મંત્રમુગ્ધ થઇ ગયા હતા.

પ્રભા ખેતાન ફાઉન્ડેશન, કર્મા ફાઉન્ડેશન અને હાઉસ ઓફ એમજી દ્વારા આયોજિત રાઈટ સર્કલ અમદાવાદ ખાતે શનીલ પારેખ, લેખિકા રચના બિષ્ટ રાવત, આકૃતિ પેરીવાલ અને પ્રિયાંશી પટેલ
પ્રભા ખેતાન ફાઉન્ડેશન, કર્મા ફાઉન્ડેશન અને હાઉસ ઓફ એમજી દ્વારા આયોજિત રાઈટ સર્કલ અમદાવાદ ખાતે શનીલ પારેખ, લેખિકા રચના બિષ્ટ રાવત, આકૃતિ પેરીવાલ અને પ્રિયાંશી પટેલ

કાર્યકરની શરૂઆત પહેલાં ટી સેશન યોજાયું હતું. આ સેશન દરમિયાન અતિથિઓ વચ્ચે સામાજિક વિષય પર અર્થપૂર્ણ ચર્ચા થઈ હતી. શાનીલ પારેખે ઉપસ્થિત સૌ મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના ઉદઘાટન બાદ 45 મિનિટના મુખ્ય સત્ર પછી 15 મિનિટ સુધી પ્રશ્નોત્તરી યોજાઈ હતી. જેમાં સ્ત્રોતાઓ એ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને વકતા સાથે વાર્તાલાપ કર્યો હતો. અહેસાસ વુમન અમદાવાદની પ્રિયાંશી પટેલે વક્તાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. રચના બિષ્ટ રાવતે પણ સૌને ઓટોગ્રાફ આપવા સાથે જ મહેમાનોને પોતાના પુસ્તકો ભેટ સ્વરૂપે આપ્યા હતા. સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત ભૂતપૂર્વ વિંગ કમાન્ડર અરુણ કૌલે સાહિત્ય જગતમાં નોંધપાત્ર યોગદાન આપવા બદલ રચના બિષ્ટ રાવતનું સન્માન કર્યું હતું.

મુનવ્વર રાણા સાત દિવસથી ભાનમાં નથી આવ્યાઃ સર્જરી બાદ વેન્ટિલેટર પર, ડોક્ટરોની ટીમ કરી રહી છે સારવાર

લખનૌની એપોલો મેડિક્સ હોસ્પિટલના ICUમાં દાખલ પ્રખ્યાત કવિ મુનવ્વર રાણાની હાલત હજુ પણ નાજુક છે. પિત્તાશયમાં બનેલા પરુમાંથી ચેપ આખા શરીરમાં ફેલાઈ ગયા બાદ તેની સર્જરી કરવામાં આવી હતી. ત્યારથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

જો તેમની સારવાર કરી રહેલા નિષ્ણાત તબીબોની ટીમનું માનીએ તો હાલમાં તેની હાલત અત્યંત ગંભીર પરંતુ સ્થિર છે. તેમની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. આ પહેલા 22 મેના રોજ સાંજે લગભગ 6 વાગ્યે તેમને હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.

23 મેના રોજ સર્જરી કરવામાં આવી હતી

મુનવ્વર રાણાને ખૂબ જ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેના પિત્તાશયમાં પરુ જોવા મળ્યું હતું. તેનો ચેપ શરીરના અન્ય ભાગોમાં પણ પહોંચી ગયો હતો. બીજા જ દિવસે તેની સર્જરી થઈ. લગભગ 5 થી 6 કલાક સુધી ચાલેલી સર્જરી બાદ તેને ICU વોર્ડમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. સર્જરી બાદ ડોક્ટરોએ આગામી 48થી 72 કલાક તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. પણ ધીમે ધીમે દિવસો વીતતા ગયા. દરમિયાન, ડોકટરોના જણાવ્યા અનુસાર, તેમની તબિયત નાજુક છે પરંતુ હવે સ્થિર છે.

પહેલેથી જ ગંભીર કિડની રોગ અને ડાયાબિટીસની પકડમાં

મુનવ્વર રાણા પહેલેથી જ કિડનીની ગંભીર બિમારીની ઝપેટમાં છે. તેઓ લાંબા સમયથી ડાયાલિસિસ કરાવી રહ્યા હતા. આ સિવાય ડાયાબિટીસ અને હાઈ બીપીની સમસ્યા પણ રહે છે. ડોકટરોના જણાવ્યા મુજબ, આ સમસ્યાઓ સિવાય, વૃદ્ધાવસ્થાના કારણે, શરીર સારવાર માટે મોડું પ્રતિસાદ આપી રહ્યું છે, પરંતુ તેમને શક્ય તેટલી શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ આપવામાં આવી રહી છે.

પુત્રીએ ટ્વિટ કર્યું હતું

પિતાની તબિયત બગડ્યા બાદ મુન્નવર રાણાની પુત્રી અને સપા નેતા સુમૈયા રાણાએ ટ્વિટ કરીને પિતા માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. સુમૈયા રાણાએ બુધવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અને લખ્યું, “કૃપા કરીને મારા પિતા માટે પ્રાર્થના કરો. મુનવ્વર રાણા જે ICUમાં છે તેઓ જીવલેણ બીમારીઓ સાથે લડી રહ્યા છે. પિતા માટે પ્રાર્થના કરો…”