ગુજરાતમાં પાછલા ચોવીસ ક્લાક દરમિયાન કોરોનનાં નવા 935 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસોની સંખ્યા વધીને 1,72,944એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ પાંચ દર્દીઓએ અંતિમ શ્વાસ લેતા કુલ મૃત્યુઆંક વધીને 3719 પર પહોંચ્યો છે. આ સિવાય 1014 લોકોએ પાછલા ચોવીસ કલાકમાં કોરોનાને પરાજ્ય આપ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.27 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 51,574 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 60,53,847 ટેસ્ટ કરાયા છે.
રાજ્યની જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો સુરત કોર્પોરેશન 168, અમદાવાદ કોર્પોરેશન 166, વડોદરા કોર્પોરેશન 82, સુરત 59, રાજકોટ કોર્પોરેશન 48, વડોદરા 37, મહેસાણા 29, ગાંધીનગર કોર્પોરેશન 25, રાજકોટ 20, ભરૂચ 18, અમરેલી 16, જુનાગઢ 16, ખેડા 16, આણંદ 15, ગાંધીનગર 15, જામનગર કોર્પોરેશન 15, સુરેન્દ્રનગર 15, બનાસકાંઠા 14 કેસ નોંધાયા છે.
આ ઉપરાંત જામનગર 13, સાબરકાંઠા 13, અમદાવાદ 12, જુનાગઢ કોર્પોરેશન 12, મોરબી 12, પંચમહાલ 12, પાટણ 12, કચ્છ 11, અરવલ્લી 10, ભાવનગર કોર્પોરેશન 10, ગીર સોમનાથ 8, દાહોદ 6, દેવભૂમિ દ્વારકા 6, મહીસાગર 6, તાપી 5, ભાવનગર 3, છોટા ઉદેપુર 3, નર્મદા 3, પોરબંદર 3, બોટાદ 1, કેસ નોંધાયા છે.
રાજ્યના આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં પાછલા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં મોતનો આંકડો ઘટ્યો છે. આજે રાજ્યમાં પાંચ દર્દીના મોત નિપજ્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશન 2, પાટણ 1, રાજકોટ 1, સુરત કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,56,119 નાગરીકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 13,106 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 59 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 13,047 સ્થિર છે.