ગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ: જૂનાગઢમાં અનેક લોકોનું રેસ્કયુ,  જામનગર અનેક જિલ્લાઓ માટે એલર્ટ 

ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ફાયર વિભાગના કર્મચારીઓએ શનિવારે જૂનાગઢના સમઢીયાળા ગામ નજીક પાણીમાં ફસાયેલા અનેક લોકોને બચાવ્યા હતા. ફાયર વિભાગની ટીમે આ બચાવ કામગીરી સુરક્ષિત રીતે હાથ ધરી હતી, અને કોઈ જાનહાનિ થઈ નથી.

અનેક જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાય તેવી આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુજરાતના અનેક જિલ્લાઓ – પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદ (5-15 મીમી પ્રતિ કલાક) ની આગાહી કરી છે – તેમજ 41-61 કિમી પ્રતિ કલાકની ઝડપે મધ્યમ વાવાઝોડા અને તોફાની પવન ફૂંકાશે.

IMD એ આ જિલ્લાઓમાં વીજળી પડવાની મધ્યમ સંભાવના (30-60 ટકા) ની ચેતવણી પણ આપી છે. દરમિયાન, સતત ચોમાસાના વરસાદને કારણે પશ્ચિમ ભારતમાં, ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં સામાન્ય જનજીવન ભારે ખોરવાઈ ગયું છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ઘણા લોકોના મોત થયા છે.

ગુજરાતના મેંદરડા વિસ્તારમાં સમઢીયાળા ગામ નજીક ચાર વાહનો પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા અને ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

ભારે વરસાદથી અનેક રસ્તાઓ ધોવાયા

ગુજરાતના જામનગર જિલ્લામાં ધ્રોલ વિસ્તાર વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયો હતો, જેમાં ઘણા મુખ્ય રસ્તાઓ ડૂબી ગયા હતા. અચાનક પૂરના કારણે બાળકોથી ભરેલી સ્કૂલ બસો સહિત ઘણા વાહનો પાણી ભરાયેલા રસ્તાઓ પર ફસાઈ ગયા હતા, જેના કારણે રહેવાસીઓને કમર સુધીના પાણીમાં ફરવા જવું પડ્યું હતું.

જૂનાગઢ જિલ્લામાં આંધી તોફાન
જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. વરસાદના અહેવાલ મુજબ, જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં સૌથી વધુ 22.24 ઇંચ વરસાદ નોંધાયો હતો. માળિયા હાટીના, કેશોદ અને મેંદરડામાં 14.09 ઇંચ, વંથલીમાં 3.98 ઇંચ, જ્યારે જૂનાગઢ શહેરમાં 0.98 ઇંચ વરસાદ પડ્યો.

ડાંગ અને સુરતમાં ભારે વરસાદ
દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો. વઘઈમાં 13.43 ઇંચ, સુબીરમાં 13.23 ઇંચ અને આહવામાં 9.09 ઇંચ વરસાદ પડ્યો. સુરત જિલ્લાના મેઘરાજામાં પણ વરસાદ પડ્યો. સુરતના અંબિકામાં 13.19 ઇંચ, માંગરોળમાં 5.83 ઇંચ અને મહુવામાં 5.79 ઇંચ વરસાદ પડ્યો. સુરત શહેરમાં 1.50 ઇંચ વરસાદ પડ્યો.

તાપી અને નવસારીમાં પાણી ભરાઈ ગયા
તાપી જિલ્લામાં, ડોલવણમાં 11.65 ઇંચ, વાલોડમાં 9.17 ઇંચ અને વ્યારામાં 7.24 ઇંચ વરસાદ પડ્યો. નવસારી જિલ્લામાં, વાંસદામાં 9.80 ઇંચ, ચીંઘાલીમાં 9.80 ઇંચ, ગણદેવીમાં 8.39 ઇંચ અને ખેરગામમાં 6.61 ઇંચ વરસાદ પડ્યો.

અન્ય જિલ્લાઓમાં વરસાદ
ગીર સોમનાથ અને પાટણ-વેરાવળમાં 8.50 ઇંચ અને સુત્રાપાડામાં 4.25 ઇંચ વરસાદ નોંધાયો. વલસાડ જિલ્લામાં, વલસાડ તાલુકામાં 8.15 ઇંચ, કપરાડામાં 4.33 ઇંચ અને ધરમપુરમાં 3.98 ઇંચ વરસાદ પડ્યો. ધોરાજીમાં 5.94 ઇંચ અને જેતપુરમાં 2.80 ઇંચ વરસાદ પડ્યો.

ઉત્તર ગુજરાતમાં, પાટણ શહેરમાં 5.12 ઇંચ, જ્યારે કડીમાં 4.17 ઇંચ વરસાદ પડ્યો. અમદાવાદના ધંધુકામાં પણ 3.78 ઇંચ વરસાદ પડ્યો. રાજ્યભરના 225 તાલુકાઓમાં વરસાદ પડ્યો, જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદે અગાઉના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા.

સુરત જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ, ડેમો પર નજર, પુરની સ્થિતિને લઈ કલેક્ટર તેજસ પરમારે શું કહ્યું…

ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં 4 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના હોવાથી રેડ એલર્ટ જાહેર કરાયું છે. જે સંદર્ભે જિલ્લા કલેકટર તેજસ પરમારે જિલ્લામાં અત્યાર સુધી વરસેલા વરસાદની અસર તેમજ આગામી રેડ અલર્ટને ધ્યાને લઇ જિલ્લા વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, જિલ્લામાં સરેરાશ 17.92 મી.મી વરસાદ નોંધાયો છે. અને ચાલુ સિઝનમાં જિલ્લાનો સરેરાશ વરસાદ 228 મિ.મી નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ અંબિકા તાલુકામાં 389 મી.મી, પલસાણામાં 362 મી.મી, મહુવામાં ૩૫૨ મિ.મી, બારડોલીમાં 309 મિ.મી તેમજ ઉમરપાડામાં 298 મી.મી નોંધાયો છે.

કલેક્ટરે જણાવ્યું કે, સુરત જિલ્લાની તમામ નદીઓ, ડેમો, જળાશયો હાલ ભયજનક સપાટીથી નીચે છે અને પૂર જેવી કોઈ પરિસ્થિતિ સર્જાઈ નથી. છતાં તમામ જળાશયો અને નદીના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે. તેમજ વરસાદના કારણે કેટલાક નીચાણવાળાં વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ સંબંધિત વિભાગો દ્વારા સમયસર કામગીરી કરીને મોટાભાગના સ્થળોએ પાણીનો નિકાલ કરાયો છે. હાલ જિલ્લામાં કોઈ જાનહાનિ કે વ્યાપક નુકસાન થયું નથી.

જિલ્લાના રસતાઓની સ્થિતિ વર્ણવતા તેમણે જણાવ્યું કે, હાલની સ્થિતિએ સુરત જિલ્લામાં મહુવા તાલુકામાં બે ગ્રામ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર અસ્થાયી રીતે બંધ કરી વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા ઉપલબ્ધ કરી છે.

જિલ્લામાં વરસાદની સ્થિતિને ધ્યાને લઇ જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ વિષે તેમણે કહ્યું કે, જિલ્લામાં ઇમરરજન્સી ઓપરેશન સેન્ટર અને તમામ તાલુકા કંટ્રોલ રૂમ 24/7 કાર્યરત કરાયા છે. ઓલપાડ ખાતે NDRFની અને માંગરોળ ખાતે SDRFની એક-એક ટીમ તૈનાત કરાઈ છે. પાલિકાના ફાયર વિભાગ, કામરેજ ERC સેન્ટર તથા તમામ નગરપાલિકાઓના ફાયર વિભાગો બચાવ અને રાહત કામગીરી માટે સંપૂર્ણ સજ્જ છે. તેમજ તમામ લાઈન વિભાગો વચ્ચે સંકલન સ્થાપી જરૂરિયાત મુજબ તાત્કાલિક પ્રતિસાદ માટે અધિકારીઓને સંપર્ક ડિરેક્ટરી તૈયાર રખાઈ છે.

વધુમાં હાલના વરસાદી માહોલને ધ્યાને લઇ કલેકટરશ્રીએ જિલ્લાના તમામ નાગરિકોને જિલ્લા વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા તેમજ અફવાઓથી દૂર રહી સત્તાવાર માહિતીનું પાલન કરવા, બિનજરૂરી મુસાફરી ટાળવા, વિવિધ નદી,નાળા, કોઝવે અને પાણી ભરાયેલા માર્ગો પાર નહીં કરવા, વીજળીના થાંભલા, ઢીલા હોર્ડિંગ્સ અને જોખમી વૃક્ષોથી દૂર રહેવા અને કોઈપણ ઈમરજન્સી કે મુશ્કેલીમાં જિલ્લા કંટ્રોલરૂમ અથવા સ્થાનિક તંત્રનો તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરી હતી. સાથે જ કલેક્ટરશ્રીએ જિલ્લા વહીવટી તંત્ર સતર્ક અને સજ્જ હોવાનું જણાવી નાગરિકોને સાવચેતી રાખવા, કોઈ અફવાથી ન દોરાવા અને તંત્રને સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

અનુપમ સિંહ ગેહલોત: ગુજરાતનાં મુખ્ય શહેરો રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદનાં પોલીસ કમિશનર તરીકે નિમણૂંક પામ્યા

ગુજરાત સરકારે 1997 બેચના IPS અધિકારી અનુપમ સિંહ ગેહલોતને અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. ગેહલોત અગાઉ સુરત શહેરના કમિશનર હતા. 1993 બેચના IPS અધિકારી જી.એસ. મલિક DGP બન્યા ત્યારથી અમદાવાદ પોલીસ કમિશનર પદ માટે ઘણા નામોની ચર્ચા થઈ રહી હતી. બુધવારે, ગુજરાત સરકારે અનુપમ સિંહ ગેહલોતની નિમણૂક કરી. ગેહલોત ADGP પદ ધરાવે છે. ગેહલોત 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે તૈયાર શહેર અમદાવાદમાં ગુનાખોરી રોકવા અને ટ્રાફિક સુવ્યવસ્થિત કરવાના પડકારનો સામનો કરશે. અનુપમ સિંહ ગેહલોત એક માત્ર એવા આઈપીએસ અધિકારી છે  કે જેઓ રાજકોટ, વડોદરા, સુરત અને હવે અમદાવાદ જેવા ગુજરાતનાં મુખ્ય શહેરોનાં કમિશનર તરીકે નિમણૂંક પામ્યા છે.

અનુપમ સિંહ ગેહલોત ઉત્તર પ્રદેશના છે
1997 બેચના IPS અધિકારી અનુપમ સિંહ ગેહલોત ઉત્તર પ્રદેશના છે. તેમની પાસે સિવિલ એન્જિનિયરિંગમાં BE અને M.Tech ની ડિગ્રી છે. તેઓ અગાઉ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના ગૃહ શહેર સુરતમાં પોલીસ કમિશનર હતા. તેઓ અગાઉ વડોદરા CP તરીકે સેવા આપી હતી. અમદાવાદ CP પદ માટે ગેહલોતનું નામ દોડમાં હતું. IPS જી.એસ. મલિક DGP બન્યા પછી, તેમણે અમદાવાદ CPનો ચાર્જ પણ સંભાળ્યો હતો. ગુજરાત સરકારે અમદાવાદમાં ભગવાન જગન્નાથ રથયાત્રા પહેલા અનુપમ સિંહ ગેહલોતને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. જગન્નાથ યાત્રા ગુજરાતના સૌથી મોટા ધાર્મિક કાર્યક્રમોમાંની એક છે, જેમાં લાખો લોકો આવે છે.

ગુજરાતમાં વરસાદી માહોલ :વલસાડ જિલ્લામાં પોણા આઠ, ગીર સોમનાથ-જૂનાગઢમાં બે-અઢી ઈંચ વરસાદ

ગજરાતમાં મેઘાવી માહોલ જામ્યો છે અને છેલ્લા 24 કલાકમાં વિવિધ જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. સુરતના ત્રણ-ચાર તાલુકાઓમાં તથા વલસાડ-વાપીમાં 7 થી 8 ઈંચ તો સૌરાષ્ટ્રના ગીરસોમનાથ-જૂનાગઢ જિલ્લામાં થોડા કલાકોમાં જ બે-અઢી ઈંચ વરસાદ થતા લોકોને ઠંડક સાથે રાહત થઈ છે. ઉપરવાસના વરસાદના કારણે નર્મદામાં નવા નીરની આવક પણ શરૂ થઈ ગઈ છે.

ગુજરાતમાં મેઘરાજાની મોડી પધરામણી છતાં, ગઈકાલે 107 તાલુકામાં નોંધપાત્ર વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી. ખાસ કરીને સુરત, વલસાડ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં મેઘમહેર જોવા મળી. છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણામાં 7.99 ઇંચ અને વલસાડના ઉમરગામમાં 7.72 ઇંચ સહિત અનેક તાલુકામાં સરેરાશ 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેનાથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

ગુજરાતના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ગરમીથી મહદઅંશે રાહત મેળવી હતી. જોકે સૌથી વધુ વરસાદ ગુજરાતના સુરત, વલસાડ, જૂનાગઢ અને ગીર સોમનાથ પર મેઘરાજાએ કૃપા વરસાવી હતી.

છેલ્લા 24 કલાકમાં બારડોલીમાં 7.76 ઈંચ, મહુવામાં 7.52 ઈંચ, અંબિકામાં 6.46 ઈંચ, ઉમરપાડામાં 4.72 ઈંચ, વાપીમાં 7.44 ઇંચ અને પારડીમાં 4.45 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

નર્મદામાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં નવા નીરની આવક શરૂ થઇ છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદના દોરને પગલે હાલમાં ડેમમાં 39315 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલમાં સરદાર સરોવર ડેમની સપાટી 126.17 મીટરે પહોંચી ગઇ છે.

જૂનાગઢમાં પણ આજે સવારના બે કલાકમાં જ વંથલીમાં 1.73 ઈંચ વરસાદ સિવાય જૂનાગઢ તાલુકામાં 0.83 અને જૂનાગઢ સિટીમાં 0.83 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સુરતના પલસાણામાં આજે સવારના બે કલાકમાં અડધો ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે.

મેઘરાજાએ ધોધમાર બેટિંગ યથાવત રાખતા આજે ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં માત્ર બે કલાકના ગાળામાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે કોડીનારમાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગ દ્વારા 5 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જારી કર્યુ છે. હવામાન વિભાગના મતે પવનની ગતિ 40 થી 50 કિમીની રહેશે અને વીજળી પડવાની શકયતા પણ રહેશે.

રાજકોટ શહેરમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને થોડા-થોડા સમયના અંતરે ઝરમર ઝરમર વરસાદી ઝાપટા શહેરમાં વરસી રહ્યા છે. ગઈકાલે પણ સાંજના સમયે રાજકોટ શહેરમાં ઝરમર ઝરમર વરસાદી ઝાપટા અમુક વિસ્તારોમાં પડ્યા હતા, જેના કારણે ગઈકાલ સાંજથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ચાલુ વર્ષે રાજકોટ શહેરમાં સેન્ટ્રલ ઝોનમાં 19 એમએમ, વેસ્ટ ઝોનમાં 8 એમએમ અને ઇસ્ટ ઝોનમાં 4 એમએમ વરસાદ નોંધાયો છે.

ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી દીધી છે. શહેરના અનેક મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

એનડીઈએમ પોર્ટલ પરથી મળેલા આઈએનસીઓઆઈએસ અહેવાલ મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનારથી હર્ષદ સુધીના દરિયાકાંઠે હાઈ વેવ એલર્ટ (ઊંચા મોજા ઉછળવાની ચેતવણી) જાહેર કરવામાં આવી છે. 2 જુલાઈના રાત્રે 11:30 વાગ્યાથી લઈને 3 જુલાઈના રોજ રાત્રે 11:30 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન દરિયામાં 3.4થી 3.6 મીટર જેટલા ઊંચા એટલે કે, 11 ફૂટથી ઊંચા મોજા ઉછળવાની પ્રબળ શક્યતા છે. દરિયાની આ તોફાની સ્થિતિને જોતાં માછીમારો, દરિયાઈ કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ અને દરિયાકાંઠે મનોરંજન માટે જતાં પ્રવાસીઓને ખાસ સાવચેતી રાખવા અને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.

હવામાન ખાતાની તાજી આગાહી

ગુજરાતમાં હવે ચોમાસાની ઝડપ વધવા લાગી હોય તેમ દક્ષિણ ગુજરાત તરફથી એન્ટ્રી કર્યા બાદ હવે ધીમે ધીમે અન્ય જિલ્લાઓ તરફ ચોમાસુ આગળ વધતુ દેખાઈ રહ્યું છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે આજે બે જિલ્લામાં રેડ એલર્ટ જ્યારે 10 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ અને 10 જિલ્લામાં હળવા વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ. પોરબંદર, અમરેલી, ભાવનગર, આણંદ, સુરત, ભરુચ, નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં ઓરેન્જ એલર્ટ. રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડા, મહીસાગર, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

ગુજરાત કેડરના 6 પોલીસ અધિકારીઓ IPS તરીકે નોમિનેટ, સુરત SOGનાં ચીફ રાજદીપસિંહ નકુમ સહિત 6 અધિકારીઓને IPS તરીકે પ્રમોશન

ગુજરાત પોલીસ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. રાજ્ય પોલીસ સેવાના છ વરિષ્ઠ અધિકારીઓને ભારતીય પોલીસ સેવા (IPS) કેડર માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. નોમિનેટ થયેલા અધિકારીઓમાં રાજદીપસિંહ નકુમ, ભરત રાઠોડ, પ્રફુલ વાણીયા, રાજેશ પરમાર, કલ્પેશ ચાવડા અને રાકેશ દેસાઈનો સમાવેશ થાય છે. તમામ અધિકારીઓ હવે એક વર્ષના પ્રોબેશન પિરીયડમાંથી પસાર થશે, જે સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ તેઓને નિયમિત રીતે IPS કેડરમાં સ્થાન આપવામાં આવશે.

હાલમાં રાજદીપસિંહ નકુમ સુરત શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)માં ડેપ્યુટી પોલીસ કમિશનર (DCP) તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ ગુનાખોરી સામે કડક કાર્યવાહી, સંગઠિત ગુનાઓના ભંડાફોડ, બૂટલેગિંગ, નશીલા પદાર્થોના નેટવર્ક સામે અભિયાન તેમજ ગંભીર ગુનાઓના ઝડપી ઉકેલ માટે જાણીતા છે. સુરતમાં અનેક મહત્વપૂર્ણ ઓપરેશનોને સફળતાપૂર્વક અંજામ આપી તેમણે પોતાની કાર્યક્ષમતાની અલગ ઓળખ ઉભી કરી છે.

ભરત રાઠોડે લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી, સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જાળવવા, ગુનાઓની તપાસ અને પોલીસિંગમાં અસરકારક નેતૃત્વ માટે નોંધપાત્ર કામગીરી કરી છે. તેમની પ્રશાસનિક ક્ષમતા અને મેદાની કામગીરીને કારણે તેઓ રાજ્ય પોલીસમાં વિશ્વસનીય અધિકારી તરીકે ઓળખાય છે.

પ્રફુલ વાણીયાએ વિવિધ જિલ્લાઓમાં સેવા દરમિયાન આર્થિક ગુનાઓ, ગંભીર ગુનાખોરીના કેસોની તપાસ, ગુનાખોરી નિયંત્રણ અને લોકો સાથે સંકલન સાધીને અસરકારક પોલીસિંગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની કામગીરીને અનેક પ્રસંગોએ પ્રશંસા મળી છે.

રાજેશ પરમારે કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે ગુનાઓની તપાસમાં વ્યાવસાયિક અભિગમ અપનાવ્યો છે. વિવિધ પોલીસ એકમોમાં ફરજ બજાવતા તેમણે જાહેર સુરક્ષા, સંવેદનશીલ કેસોના ઉકેલ અને પોલીસ વહીવટમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

કલ્પેશ ચાવડાએ ગુનાખોરી અટકાવવા માટે અસરકારક આયોજન, આધુનિક પોલીસિંગ, જાહેર જનતા સાથે સંવાદ અને કાયદાના અમલમાં સક્રિય કામગીરી દ્વારા પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. વિવિધ જવાબદારીઓમાં તેમણે કાર્યક્ષમ નેતૃત્વનું પ્રદર્શન કર્યું છે.

રાકેશ દેસાઈએ પણ લાંબા સમયથી વિવિધ જિલ્લાઓ અને પોલીસ વિભાગોમાં ફરજ બજાવતા કાયદો અને વ્યવસ્થાની જાળવણી, ગુનાઓની તપાસ, જાહેર સુરક્ષા અને વહીવટી કામગીરીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમની નિષ્ઠા અને વ્યાવસાયિક અભિગમને ધ્યાનમાં રાખીને તેમને IPS કેડર માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

રાજ્ય પોલીસ સેવાના આ છ અધિકારીઓની IPS તરીકેની નોમિનેશન તેમની વર્ષોની નિષ્ઠાપૂર્વકની સેવા, વ્યાવસાયિક કાર્યશૈલી અને ઉત્કૃષ્ટ કામગીરીનું સન્માન માનવામાં આવી રહી છે. એક વર્ષનો પ્રોબેશન પિરીયડ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ તેઓ ભારતીય પોલીસ સેવાના નિયમિત અધિકારીઓ તરીકે વધુ મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળશે. રાજ્ય પોલીસ વિભાગમાં પણ આ નિર્ણયને મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, અઢી ઈંચ વરસાદથી સુરત જળબંબાકાર

ગુજરાત પહોંચેલ મેઘ સવારીએ આજે સવારથી જુદા-જુદા વિસ્તારોમાં અમીવૃષ્ટિ કરી છે, સુરત અઢી ઈંચ વરસાદમાં જ જળબંબાકાર થતા પ્રિ-મોન્સુનના પ્રપંચોની પોલ ખૂલી ગઈ છે, તો વરાછામાં એક માર્ગ જ જમીનમાં ધસી પડતા નબળી કામગીરી તથા ભ્રષ્ટાચારનો પ્રત્યક્ષ પુરાવો મળ્યો હોય તેમ જણાય છે. રાજ્યના 33 તાલુકાઓમાં વરસાદના વાવડ છે, અને રાજયભરમાં મેઘાવી માહોલ છવાયો છે.

આજે વહેલી સવારથી ઉના, વ્યારા સહિત રાજ્યના 33 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ સુરતમાં 2.60 ઈચ વરસાદ પડ્યો, જ્યાં લાંબી રાહ પછી મેઘરાજાની પધરામણી થઈ, જો કે પહેલા જ વરસાદે સુરતમાં એસએમસીની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી નાંખી હતી અને ઉધના-નવસારી રોડ પર પાણી ભરાયા અને ભીમનગર ગરનાળું સ્વિમિંગ પુલ બન્યું હતું.

સુરતમાં છેલ્લા 15 દિવસની લાંબી રાહ જોયા પછી મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર બેટીંગ સાથે ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. જ્હાંગીરપુરા, અડાજણ અને પાલ સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતા લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી છે અન વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

સુરત શહેરની સાથોસાથ સુરત ગ્રામ્ય અને જિલ્લાના વિસ્તારો જેવા કે કોસંબા, કીમ, કામરેજ અને કડોદરામાં પણ મેઘરાજાએ તોફાની બેટીંગ કરી છે. કડોદરા નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા કરવામાં આવતી પ્રિ-મોન્સુન સફાઈ અને ડ્રેનેજ કામગીરી માત્ર એક જ વરસાદમાં ધોવાઈ ગઈ છે. કડોદરાની શ્રીનિવાસ સોસાયટીમાં પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે ગટર અને વરસાદી પાણી ભેગા થઈને રસ્તાઓ તેમજ નિચાણવાળા ઘરોમાં ભરાઈ ગયા છે. આ વિસ્તારમાં ૧૦ હજારથી વધુ લોકોન વસવાટ હોવાથી સવારના સમયે નોકરી પર જતા શ્રમિકો અને સ્કૂલે જતા બાળકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, જેથી સ્થાનિકોમાં પાલિકાની ઘોર બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો સુરત શહેર પછી તાપીના વાલોડમાં બે ઈંચ, જ્યારે સુરતના માંગરોળ અને કામરેજમાં પોણાબે ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરંત પલસાણામાં દોઢ ઈંચ અને અરેઠમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ અને નાના પોઢામાં એક-એક ઈંચ, જ્યારે તાપીના કુકરમુડા, બોટાદના રાણપુર, નવસારીના ચીખલી અને વલસાડના પારડીમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડા અને વલસાડ શહેરમાં પણ અડધો ઈંચ વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસાની રમઝટ જામશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. સોમવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં હળવાથી સારો વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ સુરત શહેમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાતા ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે, જો કે આગામી 24 કલાક પછી એટલે કે પહેલી જુલાઈથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

અહેવાલો મુજબ સવારથી ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે જામ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયલો છે. જૂન મહિનાના અંતિમ દિવસોમાં વરસાદનું આગમન થતા ખેડૂતો અને નાગરિકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે.

સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાની મહેર જોવા મળી છે. રાજુલા અને જાફરાબાદ પંથકમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. બાબરકોટ, મીતીયાળા અને કડિયાળી સહિતના ગામોમાં સારો વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધવા અંગે હવામાન વિભાગના જણાવ્યા મુજબ 1 જુલાઈએ વરસાદ વધુ સક્રિય બનશે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 2 થી 5 જુલાઈ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વ્યાપક વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને 3 થી 4 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વારસાદની સંભાવના સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

વડોદરા શહેરમાં લાંબા વિરામ પછી આજે સવારે મેઘરાજાએ એન્ટ્રી કરતા સમગ્ર શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમી અને ઉકળાટથી પરેશાન નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. આજે સવારે વરસાદ શરૂ થતા કામ-ધંધા અને ઓફિસ જવા નીકળેલા લોકો રેઈનકોટ અને છત્રીનો સહારો લેતા નજરે પડ્યા હતાં.

 

ગ્લોબલ ટ્રેડમાં ભારે અફરાતફરી છતાં ગુજરાતનો ડંકો, 110 અબજ ડોલરની નિકાસ સાથે સતત છઠ્ઠા વર્ષે નંબર-વન

વિશ્વમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે ગુજરાતે દેશમાં ડંકો વગાડ્યો હતો. ગુજરાતમાં નિકાસમાં સતત છઠ્ઠા વર્ષે દેશમાં ટોપ પર રહ્યું હતું. રાજ્યમાંથી 110 અબજ ડૉલરની નિકાસ થઈ હતી. ફાર્મા સેક્ટરની નિકાસમાં અમદાવાદ અગ્રેસર રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમેરિકાએ લગાવેલો તોતિંગ ટેરિફ, નબળી માંગ અને સપ્લાય ચેઇનમાં અવરોધો જેવા મુશ્કેલ વૈશ્વિક વેપાર વાતાવરણ છતાં વર્ષ 2025-26માં ગુજરાતે સતત છઠ્ઠા વર્ષે ભારતના સૌથી મોટા નિકાસકાર રાજ્ય તરીકેનું પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું.

ગત નાણાકીય વર્ષ કરતાં ઓછી નિકાસ છતાં દબદબો

ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT)ના ડેટા અનુસાર, નાણાકીય વર્ષમાં રાજ્યના નિકાસ આશરે 110 અબજ ડૉલર રહી હતી.જે ગત નાણાકીય વર્ષના 116.33 અબજ ડૉલર કરતાં સહેજ ઓછી હતી. જોકે તેમ છતાં ગુજરાતે દેશમાં નિકાસમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. જો કે, વૈશ્વિક વેપારને અસર કરનારા અનેક બાહ્ય આંચકાઓને જોતાં ઈન્ડસ્ટ્રી આ પ્રદર્શનને ખૂબ જ મજબૂત અને સ્થિતિસ્થાપક માની રહ્યું છે.

પેટ્રોલિયમ પેદાશો નિકાસમાં મોખરે

નિકાસમાં પેટ્રોલિયમ પેદાશોનો દબદબો યથાવત રહ્યો હતો, ત્યારબાદ જેમ્સ અને જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, ઓર્ગેનિક કેમિકલ્સ, એન્જિનિયરિંગ ગુડ્સ, ઓટોમોબાઈલ્સ, ટેક્સટાઈલ, સિરામિક્સ અને એગ્રો-કેમિકલ્સ રહ્યા હતા. સૂત્રોના કહેવા પ્રમાણે, ચલણની મૂવમેન્ટ, માર્કેટ ડાયવર્સિફિકેશન અને ઓપરેશનલ કાર્યક્ષમતાએ પરંપરાગત બજારોમાં નબળી માંગની અસરને ઘટાડવામાં મદદ કરી છે.

આ ઉપરાંત નૂર ભાડામાં અસ્થિરતા, બદલાતી વૈશ્વિક માંગ અને ટેરિફની અનિશ્ચિતતા જેવી મુશ્કેલીઓનો સામનો કરવા છતાં નિકાસકારોએ આ પ્રદર્શન કર્યું છે. નબળા પડતા રૂપિયાએ નિકાસ સ્પર્ધાત્મકતાને થોડો ટેકો આપ્યો હતો, જ્યારે કંપનીઓએ પશ્ચિમ એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં પોતાની હાજરી વિસ્તારવા માટે પરંપરાગત બજારોથી આગળ જોવાનું શરૂ કર્યું છે. ઉદ્યોગના પ્રતિનિધિઓ ગુજરાતની આ મજબૂતાઈ પાછળ તેના વૈવિધ્યસભર મેન્યુફેક્ચરિંગ બેઝ, પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZs) ને શ્રેય આપ્યો હતો.

સૂત્રોએ જણાવ્યા અનુસાર, ગુજરાત તેના વૈવિધ્યસભર ઔદ્યોગિક આધાર અને મજબૂત વૈશ્વિક-બજાર અભિગમને કારણે નિકાસમાં અગ્રેસર છે, જે રાજ્યને કોઈપણ એક ક્ષેત્ર પર વધુ પડતી નિર્ભરતા ટાળવામાં મદદ કરે છે. ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો અને કાર્યક્ષમ બંદરોનું મોટું નેટવર્ક હોવાને કારણે ગુજરાતને ઉચ્ચ ક્ષમતાવાળી વૈશ્વિક કનેક્ટિવિટીનો લાભ મળે છે. SEZ આધારિત ઔદ્યોગિક ક્લસ્ટરો, ઔદ્યોગિક કોરિડોર, વિશ્વસનીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અવિરત વીજ પુરવઠો અને સતત વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) એ સ્પર્ધાત્મકતાને વધુ મજબૂત બનાવી છે.

આ ઉપરાંત ગુજરાત સ્થિત ઉત્પાદકો યુએસ, યુરોપ, પશ્ચિમ એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં તેમના ઉત્પાદનો નિકાસ કરી રહ્યા છે. ઘણા દેશો ચીનમાંથી આયાત ઘટાડી રહ્યા છે, જેનો સીધો ફાયદો રાજ્યને થઈ રહ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

DGFT ના અધિકારીઓએ જણાવ્યું કે ગુજરાતે ભારતના પ્રીમિયર ફાર્માસ્યુટિકલ હબ તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું હતું, જેમાં અમદાવાદ દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે ટોચનું પ્રદર્શન કરનાર જિલ્લો બનીને ઉભરી આવ્યો હતો. આ જિલ્લાએ નાણાકીય વર્ષ 26 માં 2.58 અબજની નિકાસ નોંધાવી હતી. નાણાકીય વર્ષ દરમિયાન ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર માટે યુએસ, યુકે, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને ફ્રાન્સ ભારતના ટોચના પાંચ નિકાસ સ્થળો હતા. ભારતની ફાર્માસ્યુટિકલ નિકાસનો લગભગ 50 ટકા હિસ્સો ઉત્તર અમેરિકા અને યુરોપ જેવા બજારોમાં મોકલવામાં આવે છે. આ દેશોમાં નિયમોનું પાલન, ઉત્પાદન ગુણવત્તા અને દસ્તાવેજીકરણના ધોરણોના મહત્વ પર ભાર મૂકવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુજરાત સતત અગ્રણી ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ અને નિકાસ કરતું રાજ્ય રહ્યું છે. રાજ્યમાં યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) દ્વારા મંજૂર કરાયેલા 100થી વધુ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ (WHO-GMP) દ્વારા પ્રમાણિત મોટી સંખ્યામાં યુનિટ્સ છે. સસ્તા દરે ગુણવત્તાયુક્ત દવાઓ સપ્લાય કરવાની ગુજરાતની ક્ષમતાએ તેને વૈશ્વિક બજારોમાં અગ્રણી સપ્લાયર બનાવ્યું છે.

રાજ્યની સૌથી વધુ નિકાસ કમાણી કરનારા ક્ષેત્રોમાંના એક એવા ગુજરાતના કેમિકલ્સ સેક્ટરમાં નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન નિકાસમાં 5-7 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. સૂત્રોના કહેવા પ્રમાણે, ભૌગોલિક રાજકીય તણાવ, ગેસના ઊંચા ભાવ, યુએસ ડોલરના મૂલ્યમાં વધારો અને મુખ્ય કાચા માલની અછતને કારણે ઉત્પાદન ખર્ચ વધ્યો અને માર્જિન ઘટ્યું હતું.નાણાકીય વર્ષ 26માં કેમિકલ નિકાસમાં ઘટાડો થયો હતો, જેનું મુખ્ય કારણ યુએસ ટેરિફના મુદ્દા હતા. જો કે, ગુજરાત સ્થિત ઉત્પાદકો અને નિકાસકારો તેમના નિકાસ બજારોમાં વિવિધતા લાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.

ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું અધિવેશન ઓકટોબરમાં અમદાવાદ ખાતે યોજાશેઃ મૌલાના ખાલિદ સૈફુલ્લા રહેમાની

(હબીબ શેખ દ્વારા) અમદાવાદ:દેશમાં અત્યારે જે રીતે મુસ્લિમો પર અત્યાચાર ગુજરવામાં આવે છે, મોબ લિંચીંગ કરવામાં આવે છે અને મસ્જિદોને શહીદ કરવામાં આવે છે તેવા વાતાવરણમાં મુસ્લિમ ઉમ્માને હિંમત આપવા અને સમાજના પ્રશ્નોના હલ માટે મુસ્લિમ પર્સનલ લો બોર્ડના મહત્વના સભ્યોની એક બેઠક અમદવાદના ફૈઝાને કુર્આન મદ્રેસા, સરસપુર ખાતે યોજાઇ હતી જેમાં સમગ્ર ગુજરાતમાંથી આલિમો, દાનિશ્વરો અને સમાજના રહેબરો આવ્યા હતા. બોર્ડના પ્રમુખ હઝરત મૌલાના ખાલિદ સેફુલ્લા રહેમાનીએ મહત્તવની જાહેરાત કરતાં કહ્યું હતું કે આ વખતે 30માં અધિવેશનું આયોજન અમદાવાદમાં તૈ. 23-24 અને 25 ઓકટોબર, 2026ના રોજ યોજવા નક્કી કરાયું છે.

આ કાર્યક્રમમાં બોર્ડના જનરલ સેક્રેટરી હઝરત મૌલાના ફઝલુર્રેમાન મુજદ્દ્દી, બોર્ડના સેક્રેટરી અબુ તાલિબ રહેમાન. ઉપ પ્રમુખ મુફતી અહમદ દેવલા, બોર્ડની લીગલ કમીટીના સભ્ય અને જાણીતા વકીલ તાહિર હકિમ, જમાતે ઇસ્લામીના શફી મદની, જમીઅત ઉલમા ગુજરાતના જનરલ સેક્રેટરી પ્રો. નિસાર અન્સારી, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, આયોજક અને મદ્રેસા ફૈઝાને કુર્આનના મોહતમીમ મૌલાના મોહમ્મદ હબીબ અહેમદ બિન મૌલાના ફઝલ અહેમદ અને આખા રાજ્યમાંથી આવેલા અનેક ઉલેમાઓ, વિચારકો અને ટ્રસ્ટીઓ આવ્યા હતા.

મૌલાના મુજદ્દ્દી એ કહ્યું હતું કે હાલના સંજોગોમાં ઉમ્મતને એક પ્લેટફોર્મ પર આવવાની સખ્ત જરુર છે. આગામી સમય સમગ્ર દેશ માટે ખુબ જ કટોકટીભર્યો હોઇ શકે છે. મુસ્લિમો સામે અનેક પડકારો ઊભા કરવવામાં આવી રહ્યા છે. યુસીસી, વકફ, એસઆઇએર જેવા જટીલ પ્રશનોને કારણે ઉમ્મતને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યા છે. તે માટે પણ સક્રિય થવું પડશે.

મૌલાના અબુ તાલીબ રહેમાનીએ ગુજરાતના મુસ્લિમોને આ અધિવેશને સફળ બનાવવા અને મોટી સંખ્યામાં અધિવેશનમાં આવવા અપીલ કરી હતી. એડવોકેટ તાહીર હકીમે યુસીસી અને વકફ જેવા રાક્ષસી કાયદાઓ અને ગુજરાતનો અશાંત વિસ્તાર ધારા અંગે માહિતી આપીને આવનાર પડકારો માટે સમાજને તૈયાર થવાની હાકલ કરી હતી.

કાર્યક્રમમાં જનાબ શફી મદની, પ્રોફેસર નિસાર અન્સારી, આયોજક મૌલાના હબીબ અહેમદે પોતે આ અધિવેશનમાં મહત્તવ ભૂમિકા ભજવશે તેની ખાતરી આપી તમામ મહેમાનો અને સભ્યોને શક્ય એટલી આસાની કરાવવાની ખાતરી આપી હતી.

એડવોકેટ ઇકબાલ શેખે વિવિધ સમિતિઓની રચના કરવાની યોજનાની માહિતી આપી હતી. સૌથી મહત્તવની વાત એ હતી કે અધિવેશન માટેના ખર્ચની જાહેરતા થતાં લગભગ 90 ટકા રકમ કાર્યક્રમમાં જ મળી ગઇ હતી. કાર્યક્રમના અંતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું.

મમતા બેનર્જી સામે બળવો કરનારા TMC સાંસદ યુસુફ પઠાણ દ્વારા કબજામાં લેવાયેલા વડોદરાનાં પ્લોટની હરાજી કરાશે, જાણો VMCની તૈયારીઓ વિશે…

ભૂતપૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણ, જેમણે મમતા બેનર્જી સામે બળવો કર્યો હતો, તેમના વડોદરા પ્લોટ કેસમાં મોટો વળાંક આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના દાવાને માન્ય રાખ્યો હતો કે યુસુફ પઠાણે તેમના ઘરની બાજુમાં આવેલા પ્લોટ પર ગેરકાયદેસર કબજો કર્યો હતો. હાઇકોર્ટે આ મામલે પઠાણને સખત ઠપકો આપ્યો હતો. હવે, ટીએમસી છોડવા બદલ યુસુફ પઠાણ સમાચારમાં હોવાથી, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના સાત પ્લોટ હરાજી માટે મૂકવાનો નિર્ણય લીધો છે. આમાં યુસુફ પઠાણ દ્વારા કબજામાં લેવાયેલા પ્લોટનો પણ સમાવેશ થાય છે. યુસુફ પઠાણ વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહે છે.

યુસુફ પઠાણના પ્લોટની હરાજી કરાશે

ટીએમસી સાંસદ બન્યા પછી યુસુફ પઠાણ દ્વારા વીએમસી પ્લોટ પર કબજાનો મુદ્દો ઉભો થયો. ભાજપના કાઉન્સિલર નીતિન દોંગાએ આ મુદ્દો ઉઠાવ્યા બાદ પઠાણને નોટિસ ફટકારવામાં આવી હતી. પઠાણે વીએમસીની નોટિસને પડકારવા માટે ગુજરાત હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમને કોઈ રાહત મળી ન હતી. હવે, એક મોટો વળાંક આવતા, VMC એ પ્લોટ હરાજી માટે મૂકવાનો નિર્ણય લીધો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન વર્ષાબેન વ્યાસના જણાવ્યા મુજબ, જે કંઈ થશે તે નિયમો મુજબ કરવામાં આવશે.

14 વર્ષના કબજા માટે ભાડું વસૂલવામાં આવવું જોઈએ

વિશ્વામિત્રી બચાવો સમિતિના વડા અને સામાજિક કાર્યકર શૈલેષ અમીન માંગ કરી રહ્યા છે કે VMC પહેલા ગેરકાયદેસર કબજા માટે યુસુફ પઠાણ પાસેથી દંડ (ભાડું) વસૂલ કરે. 2012 થી ગણતરી કરવામાં આવે તો, રકમ કરોડો સુધી પહોંચે છે. VMC એ યુસુફ પઠાણ દ્વારા કબજામાં લેવાયેલા પ્લોટની હરાજીની કિંમત 20 કરોડ રૂપિયા નક્કી કરી છે. અતિક્રમણ ખાલી કરાવતા પહેલા VMC એ પ્લોટ હરાજી માટે કેમ મૂક્યો તે અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. VMC ના અધિકારીઓ આ અંગે કોઈ ટિપ્પણી કરવા તૈયાર નથી.

પ્લોટ 978 ચોરસ મીટરનો છે

યુસુફ પઠાણ પર જે પ્લોટ કબજામાં લેવાનો આરોપ છે તે 978 ચોરસ મીટર છે. VMC કહે છે કે યુસુફ પઠાણ સહિત તમામ સાત પ્લોટ વેચવાનો પ્રસ્તાવ VMC જનરલ બોર્ડ સમક્ષ મૂકવામાં આવશે. જનરલ બોર્ડની મંજૂરી મળ્યા પછી, નાગરિક સંસ્થા હરાજીની પ્રક્રિયા શરૂ કરશે. નોંધનીય છે કે પઠાણે ગુજરાત હાઈકોર્ટમાં VMCની નોટિસ રદ કરવા માટે અપીલ કરી હતી, પરંતુ હાઈકોર્ટે તેને નકારી કાઢી હતી. ત્યારબાદ, નાગરિક સંસ્થાને કાયદા મુજબ આગળ વધવાની મંજૂરી આપવામાં આવી હતી.

હરાજીનો હેતુ મહેસૂલ એકત્ર કરવાનો 

આ કેસમાં દસ્તાવેજો દર્શાવે છે કે પઠાણે 2012 માં VMCને તબેલા (તબેલા) બનાવવા માટે પ્લોટ ફાળવવા માટે અરજી કરી હતી. રાજ્ય સરકારની મંજૂરીના અભાવે ફાળવણી પ્રક્રિયા નામંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ, VMCએ યુસુફ પઠાણના ઘરની બાજુમાં આવેલા પ્લોટને ખાલી કરવા માટે બુલડોઝર કાર્યવાહી કરવાની તૈયારી કરી હતી. VMCના અધિકારીઓ હવે કહે છે કે હરાજી માટે પ્રસ્તાવિત સાત પ્લોટ શહેરના વિવિધ ભાગોમાં સ્થિત છે, અને આ પગલાનો હેતુ મ્યુનિસિપલ જમીનને પારદર્શક રીતે વેચીને નાગરિક સંસ્થા માટે આવક ઊભી કરવાનો છે.

ગુજરાત સહિત 16 રાજ્યો માટે વરસાદની ચેતવણી, ત્રણથી ચાર દિવસમાં ચોમાસું ગુજરાતમાં આપશે ટકોરા

વરસાદની રાહ જોઈ રહેલા અનેક ઉત્તર ભારતના રાજ્યોના લોકોને ગરમીથી રાહત મળવાની છે. હવામાન વિભાગ (IMD) એ દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, છત્તીસગઢ અને ગુજરાત સહિત 16 રાજ્યો માટે વરસાદની ચેતવણી જારી કરી છે. આ સમયગાળા દરમિયાન 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આગામી 10 કલાકમાં આ થવાની ધારણા છે. હવામાન વિભાગે ચોમાસા અંગે અપડેટ પણ આપ્યું છે. IMD અનુસાર, આગામી ત્રણથી ચાર દિવસમાં ચોમાસું ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને ગુજરાતમાં આગળ વધશે.

આ 16 રાજ્યોમાં ચેતવણી
હવામાન વિભાગે આવતીકાલે, 27 જૂને વરસાદ, વાવાઝોડા અને તોફાનની ચેતવણી જારી કરી છે. આ રાજ્યોમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, તમિલનાડુ, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, આસામ, કર્ણાટક, ઝારખંડ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.

આવતીકાલે દિલ્હી-NCRમાં હવામાન કેવું રહેશે?

દિલ્હી-એનસીઆરમાં ચોમાસામાં વિલંબ, 27 જૂનથી 1 જુલાઈ સુધી: દિલ્હી-એનસીઆરમાં ચોમાસામાં વિલંબ થયો છે. શરૂઆતમાં 27 જૂન સુધીમાં દિલ્હી પહોંચવાનું હતું, હવે તે જુલાઈના પહેલા અઠવાડિયા સુધીમાં દિલ્હી-એનસીઆર પહોંચી શકે છે. જોકે, પૂર્વ-ચોમાસાની પ્રવૃત્તિના ભાગ રૂપે વાવાઝોડા સાથે હળવો વરસાદ ચાલુ રહેશે. 27 જૂને વાવાઝોડા સાથે વરસાદની અપેક્ષા છે. 28 જૂને ભારે પવન સાથે ગરમીથી રાહત મળવાની અપેક્ષા છે, જેનાથી ગરમીમાં થોડી રાહત મળશે. 29 જૂને પણ વરસાદ પડી શકે છે. 30 જૂને ભારે વાવાઝોડાની અપેક્ષા છે. 1 જુલાઈએ વરસાદ પડી શકે છે.

ઉત્તર પ્રદેશમાં આવતીકાલે હવામાન કેવું રહેશે?

ઉત્તર પ્રદેશમાં 27 જૂનથી 1 જુલાઈ સુધી મુશળધાર વરસાદની ચેતવણી: લખનૌ, ગૌતમ બુદ્ધ નગર, મેરઠ, બરેલી, હાથરસ, હરૈચ, સંત કબીર નગર, ગોરખપુર, ફુરસતગંજ, ફતેહપુર, મઉ, બલિયા, વારાણસી, પ્રયાગરાજ, ઝાંસી, કાનપુર અને ઔરૈયા માટે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં 27 અને 28 જૂને હવામાન શુષ્ક રહેશે. જોકે, 29 જૂને ભારે વરસાદ પડશે, જે 1 જુલાઈ સુધી વચ્ચે-વચ્ચે ચાલુ રહેશે.

બિહારમાં આવતીકાલે હવામાન કેવું રહેશે?

બિહાર માટે 27મી જૂનથી 2જી જુલાઈ સુધી વાવાઝોડા અને વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે: પટના, નાલંદા, જેહાનાબાદ, નવાદા, ગયા, લખીસરાય, બેગુસરાઈ, શેખપુરા, જમુઈ, મુંગેર, બાંકા, ખગરિયા, ભાગલપુર, ગોપાલગંજ, સિવાન, સારણ, પૂર્વ ચમ્પારન, પશ્ચિમ ચંપારન, પશ્ચિમ ચંપારન, વાવાઝોડા અને વરસાદની ચેતવણી આપવામાં આવી છે. સીતામઢી, શિવહર, દરભંગા, સમસ્તીપુર, મધુબની, સુપૌલ, અરરિયા, કિશનગંજ, પૂર્ણિયા, કટિહાર, મધેપુરા, સહરસા, રોહતાસ, ભાબુઆ, ભોજપુર, બક્સર, અરવલ અને ઔરંગાબાદ 28મી જૂન સુધી. 29મી જૂને ભારે વરસાદ થશે. આ પછી 2જી જુલાઇ સુધી તૂટક તૂટક વરસાદ ચાલુ રહેશે. બિહારમાં આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે.

રાજસ્થાનમાં કેવું રહેશે હવામાન?
રાજસ્થાનમાં વાવાઝોડું, વાવાઝોડું અને વરસાદની જાહેરાત કરવામાં આવી છે, 27 થી 29 જૂન: જયપુર, બિકાનેર, અજમેર, કોટા, ભરતપુર, અલવર, બાંસવાડા, બરન, બુંદી, ભીલવાડા, ચિત્તોડગઢ, દૌસા, ડીગ, ધોલપુર, ડુંગરહુ, ડુંગર, ડુંગર, ડુંગર, જયપુરમાં ભારે વરસાદની અપેક્ષા છે. 27મી જૂને ખૈરથલ-તિજારા, કોટપુતલી-બેહરોર, પ્રતાપગઢ, રાજસમંદ, સવાઈ માધોપુર, સીકર, ટોંક, ઉદયપુર અને ડીડવાના. આ 2-3 દિવસ સુધી ચાલુ રહી શકે છે. આ સમયગાળા દરમિયાન 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

મધ્યપ્રદેશમાં કેવું રહેશે હવામાન?
મધ્યપ્રદેશમાં ચોમાસાની અસર, વરસાદની શક્યતા (27મી જૂનથી 2જી જુલાઈ): ભોપાલ, વિદિશા, રાયસેન, સિહોર, રગગઢ, નર્મદાપુરમ, બેતુલ, હરદા, બુરહાનપુર, ખંડવા, ખરગોન, બરવાની, અલીરાજપુર, ઝાબુઆ, ધારજાપુર, ઉન્દો, દેજાપુરમ, ઝાબુઆમાં ભારે વરસાદની અપેક્ષા છે. અગર-માલવા, સિંગરૌલી, સીધી, રીવા, મૌગંજ, સતના, અનુપપુર, શહડોલ, ઉમરિયા, કટની, જબલપુર, નરસિંહપુર, છિંદવાડા, સિવની, મંડલા, બાલાઘાટ, પન્ના, દમોહ, સાગર, છતરપુર, ટીકમગઢ અને મૈહર. આ સમયગાળા દરમિયાન 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

હિમાચલમાં આવતીકાલે હવામાન કેવું રહેશે?

હિમાચલ પ્રદેશમાં વરસાદી વાવાઝોડાની ચેતવણી, 27 જૂન: શિમલા, સોલન, બિલાસપુર, મંડી, કુલ્લુ, ઉના, કિન્નૌર અને કાંગડામાં મધ્યમ વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. દરમિયાન, મનાલી માટે આવતીકાલે, 27 જૂને વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. અહીં મહત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે.

ઉત્તરાખંડમાં આવતીકાલે હવામાન કેવું રહેશે?

ઉત્તરાખંડમાં વરસાદી વાવાઝોડાની ચેતવણી, 27 જૂન: પૌરી ગઢવાલ, નૈનિતાલ, અલ્મોરા, હરિદ્વાર, ઋષિકેશ, ટિહરી ગઢવાલ, ઉધમ સિંહ નગર, રુદ્રપ્રયાગ, પિથોરાગઢ અને ચંપાવતમાં વરસાદી વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. દરમિયાન, દેહરાદૂનમાં, આવતીકાલે, 27 જૂને મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જશે.

તમિલનાડુમાં હવામાન કેવું રહેશે?

તમિલનાડુમાં 27-28 જૂને ભારે વરસાદની ચેતવણી: કન્યાકુમારી, વેલ્લોર, કોઈમ્બતુર, કાંચીપુરમ, નીલગિરી, તિરુપ્પુર, થેની, ડિંડીગુલ, તેનકાસી, વિરુધુનગર, તિરુનેલવેલી, તિરુવલ્લુર, રાનીપેટ અને તિરુવન્નામલાઈ સહિત અનેક જિલ્લાઓ માટે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આગામી દિવસોમાં તમિલનાડુમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું સક્રિય થઈ રહ્યું છે, જે 28 જૂનથી એક ડઝનથી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ લાવશે. આ સમયગાળા દરમિયાન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.