દેશના મોટાભાગના વિસ્તારોમાં આગ ઝરતી ગરમીની આગાહીઃ ભીષણ આંધીની સંભાવના

દેશના મોટાભાગના વિસ્તારોમાં આગામી તા. ૩-૪ દિવસમાં તાપમાનમાં ૨ થી ૪ ડિગ્રીનો વધારો થશે. દક્ષિણ ભારતમાં આંધીની શકયતા છે. ૨૬મીએ જમ્મુ કાશ્મીરમાં વરસાદનું એલર્ટ અપાયું છે.

ભારતના મોટાભાગના વિસ્તારોમાં આગામી ૩થી ૪ દિવસમાં મહત્તમ તાપમાનમાં ૨થી ૪ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શકયતા છે. હવામાન વિભાગે આ અંગે ચેતવણી જારી કરી છે. જોકે, દક્ષિણ પ્રાયદ્વીપીય ભારતના મોટાભાગના સ્થળોએ ૨૪ માર્ચે ભીષણ આંધીની સંભાવના જોવાઈ રહી છે.

કેન્દ્રીય ઉત્તરપ્રદેશ, પૂર્વોત્તર આસામ અને બંગાળની ખાડીમાં ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે, જે હવામાનમાં પલટો લાવી શકે છે. પૂર્વી ઉત્તરપ્રદેશ અને બિહાર સહિત દેશના અનેક ભાગોમાં થોડા દિવસ પહેલાં આંધી અને વરસાદે હવામાનને સુહાવનું બનાવ્યું હતું, પરંતુ હવે આગામી દિવસોમાં આકાશમાંથી આગ વરસવાની સ્થિતિ ઊભી થશે.

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી ૨થી ૩ દિવસમાં દેશના અનેક હિસ્સાઓમાં તાપમાનમાં ઝડપી વધારો થશે. જોકે, કેટલાક રાજ્યોમાં વરસાદ અને કરા પડવાની શકયતા પણ વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં આંધ્રપ્રદેશના અનંતપુરમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ૪૦.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે ગરમીની શરૂઆતનો સંકેત આપે છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો, ઓડિશા અને કેરલના કેટલાક સ્થળોએ ભારે વરસાદ જોવાયો હતો.

ઉત્તરાખંડ, ઝારખંડ, ઓડિશા, રાયલસીમા, તેલંગાણા અને કર્ણાટકના કેટલાક ભાગોમાં કરા પડ્યા હતા. ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, આસામ અને મેઘાલયમાં તેજ હવાઓ અને આંધીએ હવામાનને થોડું નરમ બનાવ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય ઉત્તરપ્રદેશ, પૂર્વોત્તર આસામ અને બંગાળની ખાડીમાં ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે, જે હવામાનમાં વધુ ફેરફાર લાવી શકે છે. ઇરાકની આસપાસ એક નવું પશ્ચિમી વિક્ષોભ સક્રિય થઈ રહૃાું છે, પરંતુ તેની અસર હાલમાં દેખાશે નહીં. દેશના મોટાભાગના સ્થળોએ આગામી ૩થી ૪ દિવસમાં મહત્તમ તાપમાનમાં ૨થી ૪ ડિગ્રીનો વધારો થશે. ઉત્તર પશ્ચીમ ભારતના અનેક સ્થળોએ તાપમાનમાં ૩થી ૫ ડિગ્રીનો વધારો થવાની શકયતા છે.

મધ્ય ભારત અને આંતરિક મહારાષ્ટ્રમાં આગામી ૪થી ૫ દિવસમાં તાપમાનમાં ૨થી ૪ ડિગ્રીનો વધારો જોવાશે. ગુજરાતમાં પણ આગામી ૩ દિવસમાં તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો વધારો થઈ શકે છે, જે ગરમીની લહેરનો સંકેત આપે છે.

હવામાન વિભાગે ૨૪ માર્ચે તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, પશ્ચીમ બંગાળ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, ઓડિશા, મણિપુર અને ત્રિપુરામાં ગર્જના સાથે વીજળી પડવાની ચેતવણી જારી કરી છે. ૨૫ માર્ચે તમિલનાડુ અને કર્ણાટકમાં ગર્જના અને વીજળીની શકયતા છે, જ્યારે ૨૬ માર્ચે જમ્મુ-કાશ્મીરમાં વરસાદનું અલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગરમીના આ વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે લોકોને પૂરતું પાણી પીવું, ગરમીથી બચવા હળવા કપડાં પહેરવા અને બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપી છે.

ખાસ કરીને ઉત્તર ૫શ્ચિમ અને મધ્યભારતના રહેવાસીઓએ આગામી દિવસોમાં સાવચેત રહેવું પડશે, કારણ કે તાપમાનનો પારો ઝડપથી ઉંચો જશે. આ સાથે, જે રાજ્યોમાં વીજળી અને આંધીની ચેતવણી છે, ત્યાં લોકોએ ખુલ્લી જગ્યાઓ, ઝાડ નીચે ઊભા રહેવાનું ટાળવું જોઈએ. હવામાન વિભાગે સ્થાનિક તંત્રોને પણ તૈયારીઓ કરવા સૂચના આપી દીધી છે.

ટોલ ટેક્સ કમાઉ દિકરો સાબિત, ગુજરાતના ટોલ પ્લાઝાએ ભરી દીધી તિજોરી, વસુલી આપ્યા આટલા કરોડ રુપિયા

સરકાર માટે ટોલ ટેક્ષ કમાઉ દીકરો પુરવાર થયો છે. ટોપ ટેન કમાઉ ટોલ પ્લાઝામાં બે ગુજરાતના, બે રાજસ્થાનના, બે યુપીના છે. જયારે હરિયાણા-પં.બંગાળ-તામિલનાડુ-બિહારના 1-1 છે. વડોદરા-ભરૂચ વચ્ચેનો ટોલ પ્લાઝાની સૌથી વધુ કમાણી રૂ.2043.81 કરોડ નોંધાઈ છે.

દેશના તમામ હાઇવે પર આવેલા બધા ટોલ પ્લાઝા પરથી સરકારે છેલ્લા 5 વર્ષમાં 1.93 લાખ કરોડ રૂપિયા વસુલ કર્યો છે. જે પૈકી ટોચના 10 ટોલ કલેક્શન પ્લાઝાનો છેલ્લા ૫ વર્ષનો કલેક્શનનો આંકડો લગભગ 14 હજાર કરોડ રૂપિયા છે. આ આંકડો રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય (મોર્થ)એ 20 માર્ચે લોકસભામાં આપ્યો છે.

પ્રાપ્ત થતી વધુ માહિતી અનુસાર, ભરથાણા એ ટોલ પ્લાઝા છે જે દેશમાં સૌથી વધુ ટોલ વસૂલ કરે છે. ગુજરાતમાં એનએચ-48ના વડોદરા-ભરૂચ સેક્શન પર સ્થિત આ ટોલ પ્લાઝાએ છેલ્લા પાંચ નાણાકીય વર્ષોમાં (2019-20 થી 2023-24) 2,043.81 કરોડ રૂપિયાનો ટોલ વસૂલ્યો છે. ફક્ત 2023-24માં સૌથી વધુ રૂ. 472.65 કરોડનો ટોલ વસૂલ કર્યો. ટોલ કમાણીની યાદીમાં બીજા સ્થાને રાજસ્થાનના શાહજહાંપુર ટોલ પ્લાઝા છે. તે એનએચ-48 ના ગુડગાંવ-કોટપુતલી-જયપુર વિભાગ પર સ્થિત છે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના ડેટા દર્શાવે છે કે છેલ્લા પાંચ વર્ષમાં શાહજહાંપુર ટોલ પ્લાઝા પર 1,884.46 કરોડ રૂપિયાનો ટોલ વસૂલવામાં આવ્યો છે. ત્રીજા નંબરે પશ્ચિમ બંગાળનો જલધુલાગોરી ટોલ પ્લાઝા આવે છે. તેણે 2019-20 થી 2023-24 સુધીના પાંચ વર્ષમાં 1,538.91 કરોડ રૂપિયાનો ટોલ વસૂલ કર્યો. ઉત્તર પ્રદેશના બરાજોધા ટોલ પ્લાઝાએ પાંચ વર્ષમાં રૂ. 1,480.75 કરોડનો ટોલ વસૂલ્યો છે અને તે યાદીમાં ચોથા ક્રમે છે. ટોચના 10 કમાણી કરતા પ્લાઝાની યાદીમાં ભરથાણા (ગુજરાત) (એનએચ-48) – રૂ.2,043.81 કરોડ, શાહજહાંપુર (રાજસ્થાન) (એનએચ-48) – રૂ.1,884.46 કરોડ, જલાધુલાગોરી (પશ્ચિમ બંગાળ) (એનએચ-16) – રૂ.1,538.91 કરોડ, બરાજોદ (ઉત્તર પ્રદેશ) (એનએચ-19) – રૂ.1,480.75 કરોડ, ઘરૌંડા (હરિયાણા) (એનએચ-44) – રૂ.1,314.37 કરોડ, ચોર્યાસી (ગુજરાત) (એનએચ-48) – રૂ.1,272.57 કરોડ, ઠિકરિયા/જયપુર પ્લાઝા (રાજસ્થાન) (એનએચ-48) – રૂ.1,161.19 કરોડ, એલ એન્ડ ટી કળષ્ણગિરી થોપ્પુર (તમિલનાડુ) (એનએચ-44) – રૂ.1,124.18 કરોડ, નવાબગંજ (ઉત્તર પ્રદેશ) (એનએચ-25) – રૂ.1,096.91 કરોડ, સાસારામ (બિહાર) (એનએચ-2) – રૂ.1,071.36 કરોડનો સમાવેશ થાય છે.

ટોચના 10 કમાણી કરતા ટોલ પ્લાઝાની યાદીમાં, બે પ્લાઝા ગુજરાતના, બે રાજસ્થાનના અને બે ઉત્તર પ્રદેશના છે. જ્યારે એક-એક હરિયાણા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને બિહારના છે.

આ 10 સૌથી વધુ કમાણી કરતા ટોલ પ્લાઝાએ છેલ્લા પાંચ વર્ષમાં કુલ 13,988.51 કરોડ રૂપિયાનો ટોલ વસૂલ્યો છે. ખાસ નોંધનીય બાબત એ છે કે આ 10 પ્લાઝાએ મળીને દેશના કુલ ટોલ કલેક્શનના 7% થી વધુ ટોલ કલેક્શન એકત્રિત કર્યું છે. સરકારી આંકડા મુજબ, હાલમાં દેશભરમાં કુલ 1,063 ટોલ પ્લાઝા છે. જેમાંથી 457 ટોલ પ્લાઝા છેલ્લા પાંચ વર્ષમાં બન્યા છે.

ગુજરાતમાં પ્રોપર્ટી દસ્તાવેજોમાં ખુલ્લા પ્લોટના અક્ષાંશ- રેખાંશ દર્શાવવા ફરજિયાત

મિલકત દસ્તાવેજની નોંધણી લઇને સરકારે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી મિલકતની ખરીદ-વેચાણ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં થતાં નુકસાનને રોકી શકાશે. નવા નિયમ અંતગર્ત હવેથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં અક્ષાંશ અને રેખાંશની નોંધ ફરજિયાત કરવામાં આવશે. આ નિયમ ૧ એપ્રિલ ૨૦૨૫થી રાજ્યની તમામ સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં લાગૂ પડશે. જો દસ્તાવેજમાં આ વિગતો નહી હોય તો નોંધણી સ્વીકારવામાં આવશે નહી.

સરકારના પરિપત્રમાં જણાવ્યા મુજબ ઘણીવાર મિલકતના દસ્તાવેજોમાં બાંધકામ હોવા છતાં દસ્તાવેજમાં ખુલ્લા પ્લોટના ફોટા રજૂ કરવામાં આવે છે, જેના લીધે સ્ટેમ્પ ડ્યૂટીની ગણતરીમાં ગેરરીતિ થાય છે અને સરકારને મોટું નુકસાન થઇ રહૃાું છે. સરકારના ધ્યાને આવ્યું છે કે આ પ્રકારના કિસ્સાઓ સતત વધી રહૃાા હોવાથી છેતરપિંડીનું પ્રમાણ વધ્યું છે.

આ પ્રકારની છેતરપિંડી અટકાવવા માટે સંબંધિત કચેરીના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ખુલ્લા પ્લોટની મિલકતોની તબદીલીના કિસ્સામાં, ફોટોગ્રાફવાળા પૃષ્ઠ પર અક્ષાંશ અને રેખાંશની વિગતો ફરજિયાત દર્શાવેલી હોવી જોઇએ. દસ્તાવેજમાં મિલકતના ૫*૭ સાઇઝના કલર ફોટોગ્રાફ્સમાં એક સાઇડ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂ દેખાવવો જોઇએ, તે મિલકતના વર્ણનવાળા પૃષ્ઠ પછી તરત જ ચોંટાડવાના રહેશે. ફોટાની નીચે મિલકતનું પૂરું પોસ્ટલ સરનામું લખવાનું રહેશે, અને તેની પર દસ્તાવેજ લખનાર તેમજ લેનાર બંને પક્ષકારોએ સહી કરવી પડશે. જો આવી નોંધ દસ્તાવેજમાં નહીં હોય, તો સબ-રજિસ્ટ્રાર કચેરી તેને નોંધણી માટે ગ્રાહૃા નહીં ગણે.

સરકારના આ નિર્ણયથી મિલકતની ખરીદી-વેચાણમાં પારદર્શિતા વધશે અને છેતરપિંડીની સંભાવનાઓ ઘટશે. ૧ એપ્રિલ, ૨૦૨૫થી શરૂ થતા આ નિયમોનો કડક અમલ કરવા માટે સબ-રજિસ્ટ્રાર કચેરીઓને પણ સૂચના આપવામાં આવી છે.

અમદાવાદમાં યોજાનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો કાર્યક્રમ જાહેર, દિગ્ગજ નેતાઓ આપશે હાજરી

આગામી મહિને ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. 64 વર્ષ બાદ તા. 8 અને 9 એપ્રિલ 2025ના રોજ યોજાનાર કોંગ્રેસનું આ રાષ્ટ્રીય અધિવેશન ખૂબ મહત્વપૂર્ણ છે. અધિવેશનની પૂર્વ તૈયારી રૂપે ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓના આગમન શરૂ થઈ ગયું છે. ત્યારે હવે કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધિવેશનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે માહિતી આપતા કહ્યું હતું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ 8 એપ્રિલે કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બેઠકમાં હાજરી આપશે. CWCની બેઠક બાદ 9 એપ્રિલે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ (AICC)નું સત્ર યોજાશે.

તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા CWCની બેઠક 8 એપ્રિલે સવારે 11:30 વાગ્યે શાહીબાગ વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક સંકુલમાં યોજાશે. આ બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક મોટા નેતાઓ હાજરી આપશે. કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો તેમજ પાર્ટીના પ્રદેશ પ્રમુખો પણ આ બેઠકમાં હાજરી આપશે.

વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી પહેલા આ જ સ્થળે CWCની બેઠક યોજાઈ હતી. 8 એપ્રિલની બેઠક બાદ પાર્ટીના નેતાઓ સાંજે શહેરના સાબરમતી આશ્રમની મુલાકાત લઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને પ્રાર્થના સભામાં ભાગ લેશે. તેમણે જણાવ્યું હતું કે, દેશભરમાંથી લગભગ 3,000 પ્રતિનિધિઓ આગામી દિવસે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે AICC સત્રમાં હાજરી આપશે તેમ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી હતી કે AICC સત્રમાં ભાજપની “જનવિરોધી” નીતિઓ અને બંધારણ પરના તેના “હુમલા” દ્વારા ઉભા થયેલા પડકારો તેમજ ભવિષ્ય માટે કોંગ્રેસના રોડમેપ પર ચર્ચા કરવામાં આવશે.

ફેબ્રુઆરીમાં ગરમીએ 125 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો, અનેક રાજયોમાં પારો 43 ડીગ્રીને પાર

પહેલી ગરમ રાત ૧૫ માર્ચ, ૨૦૨૫ના રોજ ઓડિશા અને ઝારખંડમાં નોંધાઈ હતી, જ્યારે ગયા વર્ષે ૨૦૨૪માં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૨૭ માર્ચે આ સ્થિતિ જોવા મળી હતી. દેશમાં તાપમાન ઝડપથી વધી રહૃાું છે, જેના કારણે આ વખતે ફેબ્રુઆરીમાં જ ગરમીની અસર દેખાવા લાગી હતી. ભારતીય હવામાન વિભાગ દ્વારા વ્યાખ્યાયિત કરાયેલ શિયાળાના ફેબ્રુઆરી મહિનામાં પહેલી વાર ગરમીનું મોજું આવ્યું. ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫ના , ગોવા અને મહારાષ્ટ્રમાં આ વર્ષની પહેલી ગરમીનો અનુભવ થયો હતો.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા ૧૨૫ વર્ષમાં ફેબ્રુઆરીમાં આટલી ભારે ગરમી કયારેય જોવા મળી નથી. તાજેતરના વર્ષોમાં, ગરમીના મોજા ફક્ત વહેલા જ નથી આવી રહૃાા, પરંતુ તેમની તીવ્રતા પણ વધી રહી છે. ભારતમાં સૌથી વધુ તાપમાન ૧૬ માર્ચ ૨૦૨૫ના રોજ ઓડિશાના બૌધમાં ૪૩.૬ જીસેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. ઝારસુગુડા અને બોલાંગીરમાં પણ અનુક્રમે ૪૨ અને ૪૧.૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન, ભારતના ૨૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતા ત્રણ થી પાંચ ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. ૧૧ થી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન, દેશના ૩૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓછામાં ઓછા એક દિવસ માટે રાત્રિનું તાપમાન સામાન્ય કરતા વધારે નોંધાયું હતું. નોંધનીય છે કે, ઓડિશા અને ઝારખંડમાં પહેલીવાર ૧૫ માર્ચ, ૨૦૨૫ના ગરમી પડશે, જ્યારે ૨૦૨૪માં તે અનુક્રમે ૫ એપ્રિલ અને ૨૯ મેના નોંધાઈ હતી.

ઓડિશા સહિત દસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં ૫.૧ ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. ૧૨ અને ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૫ના ઓડિશામાં આ બે વાર બન્યું. આઈએમડી અનુસાર, આ જ સમયગાળા દરમિયાન, ઉત્તરપલ્લમિ ભારતના બે સ્થળો, રાજસ્થાન અને જમ્મુ અને કાશ્મીરમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતા ૫.૧ ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ નોંધાયું હતું.

હિમાચલ પ્રદેશ અને કેરળ જેવા ભારતીય રાજ્યો સહિતના ઘણા પર્વતીય વિસ્તારો, જેમણે ભૂતકાળમાં ગરમીનો અનુભવ કર્યો નથી, ત્યાં પણ હવે ભારે તાપમાનની આવર્તન વધી રહી છે. કર્ણાટકમાં ૨૦૩૦ સુધીમાં ૨.૦ સેલ્સીયર્સ સુધી ગરમી પડવાનો અંદાજ છે, જેના કારણે આ પ્રદેશ ભારે ગરમી માટે વધુ સંવેદનશીલ બનશે, જેનાથી સંવેદનશીલ વસ્તી માટે વધુ જોખમ ઊભું થશે.

ગુજરાતમાં UCC અંગે સૂચનો મોકલવાની મુદ્દતમાં વધારો, નાગરિકો આ તારીખ સુધી મોકલી શકશે સૂચનો

ગુજરાત સરકાર દ્વારા રાજયમા સમાન સિવિલ કોડ(UCC)લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા ગુજરાતના રહેવાસીઓની વ્યક્તિગત દિવાની બાબતોનું નિયમન કરતા પ્રવર્તમાન કાયદાઓની સમિક્ષા કરાશે. આ મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સૂચવશે. સમાન સિવિલ કોડ સમિતિના અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ ગુજરાતના નાગરિકોને UCC અંગે સૂચનો મોકલી આપવા અપીલ કરી છે. તેમજ સૂચનો-મંતવ્યો મોકલવાની આખરી તારીખ 24 માર્ચ 2025થી વધારીને જે હવે 15 એપ્રિલ 2025 સુધી કરવામાં આવી છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ દ્વારા ગુજરાતના રહેવાસીઓની વ્યક્તિગત દિવાની બાબતોનું નિયમન કરતા પ્રવર્તમાન કાયદાઓની સમીક્ષા કરાશે. આ મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સૂચવશે.

આ મહત્વપૂર્ણ વિષય પર અસર કરતા સંબંધિત મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે સમિતિએ ગુજરાતના રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહિત ગુજરાત સ્થિત સંસ્થાઓને તા.15/04/2025ના રોજ અથવા તે પહેલાં તેમના મંતવ્યો, સૂચનો અને રજૂઆતો વેબપોર્ટલ https://uccgujarat.in/ પર અથવા ઈ-મેઈલ ucc@gujarat.gov.in મારફત અથવા બ્લોક નં.1, એ-વીંગ, છઠ્ઠો માળ, કર્મયોગી ભવન, સેકટર-10-એ, ગાંધીનગર ખાતે ટપાલ મારફત રજૂ કરવા અપીલ કરી છે.

મહેસાણા: ઝુમી ઉઠ્યું ઝુલાસણ,પરિવારે કહ્યું, “હવે સુનિતા દુનિયા બદલી નાંખશે”

સુનિતા વિલિયમ્સની વાપસી પર તેના વતન એવા મહેસાણાના ઝુલાસણમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે, પિતરાઈ ભાઈએ કહ્યું તે દુનિયા બદલી દેશે.

ભારતીય મૂળના અને મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામની વતની તેમજ અમેરિકામાં રહેતા સુનિતા વિલિયમ્સ અંતરિક્ષની સફરથી નવ મહિના પછી પરત ફર્યા છે. તેણી હેમખેમ પરત આવે તે માટે વતનના ઝુલાસણ ગામમાં લોકોએ પ્રાર્થનાઓ કરી હતી અને ૧૦૮ લધુરૂદ્ર અને શિવયજ્ઞ કર્યા હતાં.

“સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર બુચ વિલ્મોર આ અવકાશયાનમાં પૃથ્વી પર પાછા ફર્યા ત્યારે તે એક અવિશ્વસનીય ક્ષણ હતી,” તેમની ભાભી ફાલ્ગુની પંડ્યાએ સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાનનો ઉલ્લેખ કરતા કહ્યું. તેમણે કહ્યું, “અમે ચોક્કસ તારીખો કહી શકતા નથી, પરંતુ એ ચોક્કસ છે કે તે ટૂંક સમયમાં ભારત આવશે. મને આશા છે કે તે આ વર્ષે ભારત આવશે.”

અંતરિક્ષની સફરે ગયેલા અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સાથી કર્મચારી સતત નવ મહિના સુધી અંતરિક્ષમાં અટવાઈ પડ્યા હતા. ત્યારે હવે બુધવારે સવારે ૩:૨૭ વાગ્યે સ્પેસએક્સ ડ્રેગન ફ્રીડમ અંતરિક્ષયાનમાં ફ્લોરિડાના દરિયાકાંઠે પૃથ્વી પર ઘરવાપસી કરી છે. સુનિતા વિલિયમ્સના પૈતૃક ગામમાં ઝુલાસણમાં પણ હેમખેમ પરત ફરે તે માટે પ્રાર્થના સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું.

નવ મહિના સુધી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર ફસાયેલી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફરતાં પિતરાઇ ભાઇ દિનેશ રાવલે કહૃાું કે ‘જ્યારે તે પરત ફરી, તો અમે ખુશીથી ઉછળી… હું ખૂબ ખુશ હતો… કાલ સુધી મારા દિલમાં બેચેનીની ભાવના હતી… ભગવાને અમારી પ્રાર્થના સાંભળી અને સુનિને સુરક્ષિત પરત લઇ આવ્યા…સુનિતા કોઇ સાધારણ વ્યક્તિ નથી… તે દુનિયા બદલી દેશે…’

ઝુલાસણ ગામના નીલકંઠ મહાદેવના પૂજારી અજયભાઈ ગોસ્વામી જણાવ્યું હતું કે જ્યારથી અંતરિક્ષયાત્રી અંતરિક્ષમાં ફસાયા છે, ત્યારથી તેઓ હેમખેમ પરત આવે તે માટે ૧૦૮ લઘુરુદ્ર અને શિવયજ્ઞ કરવામાં આવી રહૃાા છે. અત્યાર સુધી ૭૧ જેટલા યજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યા છે. તેમ જ દર સોમવારે રાત્રે બે કલાક શિવધૂન પણ કરવામાં આવી રહી છે. આમ તેમના પરત ફરવા માટે ગામમાં વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહૃાા છે.

યુનિયન મિનિસ્ટર જિતેન્દ્ર સિંઘે કહૃાું કે, સુનિતા વિલિયમ્સે, ભારતની દીકરી તરીકે સમગ્ર વિશ્વને ગર્વ અપાવ્યું છે. તેને જે કામ સોંપવામાં આવ્યું હતું, તે સફળતાપૂર્વક તેણે પૂર્ણ કર્યું છે. આજે સમગ્ર વિશ્વ તેઓ સુરક્ષિત પરત ફરે તે માટે પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આપણને તેના પર ગર્વ છે.

સુનિતા વિલિયમ્સને આવકારવા મદુરાઈ શહેરની એક સ્કૂલમાં પણ બાળકોએ વિવિધ વૈજ્ઞાનિકોના મહોરાં પહેરી સુનિતા વિલિયમ્સને આવકારી હતી અને ઓનલાઈન માઘ્યમથી તમામ અપડેટ લીધી હતી. આ સાથે જ, તેઓ હેમખેમ પાછા આવી જાય તે માટે પ્રાર્થના પણ કરી હતી.

સુનિતા વિલિયમ્સના પરત ફરવા પર ભારત સહિત વિશ્વના ખૂણે-ખૂણે ઉજવણીનું આયોજન કરાયું છે. ક્યાંક પૂજા તો ક્યાંક સભાઓ યોજી ભારતની દીકરી સુરક્ષિત પરત ફરે તે માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. ત્યારે હવે તેઓ સુરક્ષિત પરત આવતાં તેમના વતન ઝુલાસણમાં દિવા

એલર્ટઃ: દેશભરમાં ભરઉનાળે સર્જાઈ શકે છે વીજળીની તીવ્ર તંગી, મે-જુનમાં સંકટની ચેતવણી

આગામી ઉનાળામાં ભયંકર ગરમીના કારણે માંગ સામે પુરવઠો ઘટી જતા વીજળીની તીવ્ર તંગી સર્જાઈ શકે છે, તેવી ચેતવણી ગ્રીડ ઓપટર્ર્સે આપી છે.

દેશભરમાં તાપમાન મીટર વધવા લાગ્યું છે અને ફેબ્રુઆરી-માર્ચમાં જ ગરમી રેકોર્ડ તોડી રહી છે. આવી સ્થિતિમાં પંખા, કુલર અને એસી મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. કારણે આગામી દિવસોમાં દેશભરમાં ગરમી ચરમસીમાએ રહેશે. ભારતના ટોચના ગ્રીડ ઓપરેટરે ઉનાળાની ઋતુ દરમિયાન દેશભરમાં વીજળી કાપ અંગે મોટી ચેતવણી જારી કરી છે.

આ મુજબ, મે અને જૂનમાં ભારે માંગને કારણે વીજળીની તીવ્ર અછત સર્જાઈ શકે છે અને આ સમય દરમિયાન વીજળી કાપનું જોખમ સૌથી વધુ રહેશે. નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર એ તાજેતરમાં વીજ પુરવઠો અને તેના વપરાશ અંગે એક અહેવાલ બહાર પાડ્યો છે. આ મુજબ, મે-જૂનમાં દેશમાં વીજળીની માંગ ૧૫ થી ૨૦ ગીગાવોટ સુધી પહોંચી શકે છે. એનએલડીસીના મતે, મે મહિનામાં આ માંગ સૌથી વધુ રહેશે અને આ માંગને પૂરી કરવી અત્યંત મુશ્કેેલ બનશે.

એક અંદાજ મુજબ, મે મહિનામાં સરેરાશ પુરવઠો પ્રાપ્ત ન થાય તેવી શકયતા લગભગ એક તૃતીયાંશ છે. જૂન મહિનામાં સંપૂર્ણપણે વીજળી સપ્લાય ન થઈ શકે તેવી ૨૦ ટકા શકયતા છે. મે અને જુલાઈમાં માંગ ઘણીવાર પૂરી થતી નથી, માંગ અને પુરવઠા વચ્ચે ૧૫ જીડબલ્યુથી વધુનું અંતર હોય છે. મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ ૨૦૨૫માં બિન-સૌર કલાકો દરમિયાન અછત થવાની શકયતા વધુ હોય છે. તેમ અહેવાલમાં જણાવાયું છે.

એનડીએલસી મુજબ, આ ઉનાળામાં ટોચની માંગ ૨૭૦ જીડબલ્યુ રહેવાની ધારણા છે. જ્યારે ગયા વર્ષે વીજળીની માંગ ૨૫૦ જીડબલ્યુ હતી. એનએલડીસી રિપોર્ટ કહે છે કે દેશમાં શકય તેટલી વહેલી તકે નવીનીકરણીય ઉર્જાસ્ત્રોતો સ્થાપિત કરવાની જરૂર છે. ત્યાં જ લોડ શિફ્ટિંગ વ્યૂહરચના જેવા માંગ-બાજુના કેટલાક પગલાં મદદ કરી શકે છે. એનડીએલસીએ કોલસા આધારિત પ્લાન્ટની ક્ષમતા વધારવા માટે વીજળી અધિનિયમ ૨૦૦૩ હેઠળ કટોકટી વીજળી લાગુ કરવાનું પણ સૂચન કર્યું છે.

એ નોંધનીય છે કે ભારતની બેઝલોડ પાવર ક્ષમતા કોલસા આધારિત પ્લાન્ટ્સ દ્વારા પ્રભુત્વ ધરાવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્લાન્ટ્સની ક્ષમતા સ્થિર રહી છે, જેના કારણે તેઓ વધતી માંગને પહોંચી વળવા અસમર્થ રહૃાા છે. પરિણામે, ગ્રીડ કંટ્રોલર ઓફ ઈન્ડિયા લિમિટેડ હેઠળના એનએલડીસીને આ વર્ષે મે અને જૂનમાં વીજળીની તીવ્ર અછતની અપેક્ષા છે.

ગુજરાતમાં પ્રથમ સી-લિંક પ્રોજેક્ટને મળી મંજૂરી, હવે મુંબઈ-સુરત મુસાફરી થશે ઝડપી

રેલવે બોર્ડે ગુજરાતમાં પ્રથમ ૪૦ કિલોમીટર લાંબા સી-લિંક રેલ્વે પ્રોજેક્ટના અંતિમ સર્વેને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ હેઠળ, દહેજ-ભાવનગર વચ્ચે એક રેલ્વે સી લિંક બનાવવામાં આવશે, જેના દ્વારા સૌરાષ્ટ્રથી સુરત માત્ર 3 કલાકમાં અને મુંબઈ 6 કલાકમાં પહોંચી શકાશે.

ગુજરાત સી લિંક પ્રોજેક્ટની અસર
આ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે મોટી રાહત હશે. હાલમાં, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી મુંબઈ કે સુરત પહોંચવા માટે, અમદાવાદ-વડોદરા થઈને મુસાફરી કરવી પડતી હતી, જેના કારણે મુસાફરી લાંબી અને સમય માંગી લે તેવી બની હતી. નવા સી લિંક પ્રોજેક્ટથી આ વધારાનું અંતર દૂર થશે અને મુસાફરીનો સમય ઘણો ઓછો થશે.

આ પ્રોજેક્ટ માટે અંતિમ સર્વેક્ષણ અને ડીપીઆર (વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ) તૈયાર કરવા માટે રેલવે બોર્ડે મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મુંબઈને સીધો જોડતો પ્રથમ રેલ્વે સી લિંક પ્રોજેક્ટ હશે.

સમય અને અંતરમાં મોટો ઘટાડો થશે
ભાવનગરથી સુરત: હાલમાં ૫૩૦ કિમીનું અંતર ૯ કલાકમાં કાપવામાં આવે છે, પરંતુ સી લિંકના નિર્માણ પછી, આ અંતર ઘટીને ૧૬૦ કિમી થઈ જશે અને મુસાફરી માત્ર ૩ કલાકમાં પૂર્ણ થશે.
સૌરાષ્ટ્રથી મુંબઈ: હાલમાં ૧૩ કલાક લાગે છે, પરંતુ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી મુસાફરીનો સમય ઘટીને ૮ કલાક થઈ જશે.
ભાવનગરથી મુંબઈ: હાલનું ૭૭૯ કિમીનું અંતર ઘટીને ૩૭૦ કિમી થશે.
રાજકોટથી મુંબઈ: હાલનું ૭૩૭ કિમીનું અંતર ઘટીને ૪૩૦ કિમી થશે.
જામનગરથી મુંબઈ: હાલનું ૮૧૨ કિમીનું અંતર ઘટીને ૪૯૦ કિમી થશે

કોસ્ટલ રેલ લાઇન યોજના
આ પ્રોજેક્ટ હેઠળ કોસ્ટલ રેલ્વે લાઇન પણ બનાવવામાં આવશે, જેમાં દહેજ-જંબુસર-કઠાણા-ખંભાત, ધોલેરા-ભાવનગર, ભાવનગર-મહુવા-પીપાવાવ, પીપાવાવ-છારા-સોમનાથ-સારડિયા, પોરબંદર-દ્વારકા-ઓખા જેવા રૂટનો સમાવેશ થશે. ગુજરાતમાં કુલ ૯૨૪ કિમી લાંબી દરિયાકાંઠાની રેલ્વે લાઇન બનાવવાની યોજના છે. આ હેતુ માટે, રેલ્વે મંત્રાલયે ઝોનલ રેલ્વેને 23 કરોડ રૂપિયા જારી કર્યા છે જેથી અંતિમ સર્વે પૂર્ણ થઈ શકે.

પ્રોજેક્ટથી થશે આ લાભો
સમય બચાવશે: મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઓછો થશે, જેનાથી લોકો તેમના ગંતવ્ય સ્થાને ઝડપથી પહોંચી શકશે.
આર્થિક વિકાસ: આ પ્રોજેક્ટ પ્રાદેશિક આર્થિક વિકાસને વેગ આપશે અને રોજગારની નવી તકોનું સર્જન કરશે.
ટ્રાફિકમાં સુધારો: આનાથી ટ્રાફિકનું દબાણ ઘટશે અને પરિવહન સુવિધાઓમાં સુધારો થશે.

હાલમાં, મુંબઈથી જામનગર, ભાવનગર અને રાજકોટ વાયા વડોદરા-અમદાવાદ જવા માટે ૧૨ કલાક લાગે છે, પરંતુ દહેજ-ભાવનગર રેલ્વે સી લિંકના નિર્માણ પછી, આ સમય ઘટીને માત્ર ૫-૭ કલાક થઈ જશે.

શું શું થશે ફાયદા…
ગુજરાતમાં પ્રથમ સી-લિંક રેલ્વે પ્રોજેક્ટ રાજ્યના ટ્રાફિક અને પરિવહનને નવી દિશા આપશે. આનાથી મુસાફરોનો સમય તો બચશે જ, સાથે સાથે આર્થિક અને ઔદ્યોગિક વિકાસને પણ વેગ મળશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકો કોઈપણ વધારાના અંતર વિના ઝડપથી મુંબઈ અને સુરત પહોંચી શકશે.

“ગોધરાકાંડમાં મારી છબી દૂષિત કરવાની કોશિશ થઈ”, PM મોદીના મોટા ખુલાસા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના કામ અને નીતિઓ દ્વારા લોકોને પ્રભાવિત કરતા આવ્યા છે. તેઓ ઘણીવાર એવા નિર્ણયો લે છે કે જે લોકોનું ધ્યાન તેમની તરફ ખેંચે છે. તાજેતરમાં, પીએમ મોદી અને પ્રખ્યાત MIT વૈજ્ઞાનિક તથા AI સંશોધક લેક્સ ફ્રીડમેનનો પોડકાસ્ટ પ્રકાશિત થયો હતો. આ પોડકાસ્ટમાં પીએમ મોદીએ તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ ક્ષણો અને પડકારો અંગે ખુલાસા કર્યા હતા.

ગોધરાકાંડ અંગે PM મોદીની સ્પષ્ટતા
પોડકાસ્ટ દરમિયાન પીએમ મોદીએ 2002ના ગોધરાકાંડ અંગે ખુલ્લી વાત કરી. તેમણે જણાવ્યું કે, આ ઘટનાને લઈને અનેક ગેરસમજ અને જુઠ્ઠાણા ફેલાવાયા હતા. ખોટા દાવાઓ અને કથિત નિવેદનો દ્વારા તેમની છબી ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી. પીએમ મોદીએ આ બાબત પર ભાર મૂક્યો કે, ગોધરા કાંડ પહેલાં પણ ગુજરાતમાં 250થી વધુ સામપ્રદાયિક હિંસાની ઘટનાઓ થઈ હતી, અને તે સમયગાળા દરમિયાન સમગ્ર વિશ્વમાં આતંકવાદ અને હિંસાનો વ્યાપ વધી રહ્યો હતો.

2002 પછી ગુજરાતમાં શાંતિનો માહોલ
પીએમ મોદીએ વિશેષ રીતે ઉલ્લેખ કર્યો કે, 2002 પછી ગુજરાતમાં એક પણ મોટા સામપ્રદાયિક રમખાણો થયા નથી. તેમના મતે, રાજ્યમાં શાંતિ અને સ્થિરતા લાવવાનો શ્રેય યોગ્ય શાસન, નીતિઓની નિષ્પક્ષતા અને સમાજમાં સમરસતા સ્થાપવાના પ્રયાસોને જાય છે. તેમણે વધુમાં કહ્યું કે, તેમની સરકાર ક્યારેય વોટ બેન્કની રાજનીતિમાં સામેલ રહી નથી, પરંતુ હંમેશા ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ’ના સિદ્ધાંતનું પાલન કર્યું છે.

વિકાસના માર્ગે ગુજરાત અને ભારત
પીએમ મોદીએ આ વાત પણ સ્પષ્ટ કરી કે, ગોધરાકાંડ બાદ કેટલાક તત્વોએ તેમના વિરુદ્ધ ખોટા આરોપો લગાવીને બદનામ કરવાની કવાયત કરી હતી. તેમના વિરોધીઓએ અલગ માધ્યમો દ્વારા પ્રચાર કર્યો, પણ આખરે ન્યાય પ્રક્રિયાએ તમામ સત્ય ઉજાગર કર્યું અને તેમને તમામ આરોપોમાંથી મુક્ત કર્યો. વડાપ્રધાને જણાવ્યું કે, ગુજરાતે શાંતિ અને વિકાસના માર્ગ પર જે સંકલ્પ લીધો હતો, તે આજે પણ અખંડિત છે અને સમગ્ર દેશ માટે એક ઉદાહરણરૂપ છે