ઈડીનો મોટો ખુલાસો: PM મોદી ઉપર હુમલાનું પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા રચાયું હતું ષડ્યંત્ર

એનફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે દાવો કર્યો છે કે, પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાએ પટનામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રેલીને ટાર્ગેટ કરવાની યોજના બનાવી હતી. આ સિવાય યુપીમાં સંવેદનશીલ જગ્યાઓ અને વ્યક્તિઓ પર હુમલો શરૃ કરવા માટે આતંકવાદી મોડ્યુલ, ઘાતક હથિયારો અને વિસ્ફોટકોના સંગ્રહ કરવામાં આ વિવાદિત સંગઠન સામેલ હતું. ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ ઈડીએ ગુરુવારે કેરળથી ધરપકડ કરવામાં આવેલા પીએફઆઈ મેમ્બર શફીક પાયેથની વિરૃદ્ધ પોતાની રિમાન્ડ નોટમાં દાવો કરતા કહ્યું છે કે, આ વર્ષે ૧ર જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પટના યાત્રા દરમિયાન, સંગઠને તેમની પર હુમલો કરવા માટે એક શિબિરનું પણ આયોજન કર્યું હતું. ઉલ્લેખનિય છે કે, ઓક્ટોબર ર૦૧૩ માં પટનાના ગાંધી મેદાનમાં પીએમ મોદીની રેલીમાં સંખ્યાબંધ વિસ્ફોટ થયા હતાં.

ઈન્ડિયન મુજાહિદ્દીન સાથે સંકળાયેલા આતંકવાદીઓએ આ બ્લાસ્ટ કર્યા હતાં. જે ભારતમાં પ્રતિબંધિત સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટના સભ્ય રહી ચૂક્યા હતાં. ઉલ્લેખનિય છે કે, સીમી પણ પીએફઆઈ જેવું જ એક સંગઠન હતું. ઈડીએ છેલ્લા થોડા વર્ષોમાં આ સંગઠન દ્વારા એકત્રિત કરવામાં આવેલા ૧ર૦ કરોડ રૃપિયાનું વિતરણ મેળવ્યું છે. જે મોટાભાગે કેશમાં જ મેળવવામાં આવ્યા હતાં. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ આ ફંડનો ઉપયોગ સમગ્ર દેશમાં તોફાનો અને આતંકવાદી ગતિવિધિઓ માટે કરવામાં આવી રહ્યો હતો. ઈડીએ રર સપ્ટેમ્બરે પીએફઆઈની વિરૃદ્ધ સમગ્ર દેશમાં રેડ પછી તેના ૪ સભ્યોની ધરપકડ કરી હતી. રાષ્ટ્રીય તપાસ એજન્સી સહિત ઘણી એજન્સીઓએ આ સંગઠન સાથે જોડાયેલા ૧૦૦ થી વધુ કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. ઈડીએ સંગઠનના ત્રણ અન્ય પદાધિકારીઓની દિલ્હીમાંથી ધરપકડ કરી છે. તેમના નામ-પરવેઝ અહમદ, મોહમ્મદ ઈલિયાસ અને અબ્દુલ મુકીત. ર૦૧૮ થી પીએફઆઈની વિરૃદ્ધ મની લોન્ડ્રીંગ તપાસ શરૃ થયા પછી તપાસ એજન્સીઓએ આ બધાની ઘણી વખત પૂછપરછ કરી છે.

ઈડીએ એક સમયે કતરમાં રહેનાર શફીક પાયેથ પર દેશમાં અરાજક્તા ફેલાવવા માટે વિદેશમાંથી પીએફઆઈના પૈસા ટ્રાન્સફર કરવા માટે ભારતમાં પોતાના એનઆરઆઈ ખાતાનો ગેરકાયદેસર ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. ઈડીના જણાવ્યા અનુસાર પાયેથના ઠેકાણો પર ગત્ વર્ષે તેણે રેડ કરી હતી. તેમાં રિયલ એસ્ટેટ વ્યવસાયોમાં રોકાણ અને પીએફઆઈમાં તેમના પૈસાના ડાયવર્ઝનનો ઘટસ્ફોટ થયો હતો. ઈડીના જણાવ્યા મુજબ પીએફઆઈ અને તેની સાથે સંલગ્ન સંસ્થાઓના ખાતામાં છેલ્લા થોડા વર્ષોમાં ૧ર૦ કરોડ રૃપિયાથી વધુ પૈસા જમા થયા છે. ઈડીએ વધુમાં દાવો કર્યો છે કે આ પૈસાનો ઉપયોગ ફેબ્રુઆરી ર૦ર૦ ના દિલ્હીના રમખાણોમાં પણ થયો હતો.

એનઆઈએની તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, કરોડો રૃપિયાની આ રકમ માત્ર ભારતના અલગ-અલગ શહેરોમાંથી જ નહીં, પરંતુ વિદેશમાંથી પણ એકઠી કરવામાં આવી હતી. આ નાણાનો ઉપયોગ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતો હતો.

આ કાર્યવાહી દરમિયાન દેશના ઘણાં ભાગોમાંથી ૧૦૬ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મોટાભાગની ધરપકડ કેરળમાંથી હતી. એનઆઈએએ કેરળમાંથી રર લોકોની ધરપકડ કરી છે. પીએફઆઈએ તેના એજન્ડાને આગળ વધારવા માટે પહેલાથી જ અનેક સંસ્થાઓની રચના કરી હતી જેના દ્વારા પીએફઆઈએ દેશમાં પોતાનો એજન્ડા ચાલુ રાખવાની સંપૂર્ણ યોજના બનાવી હતી. જો કે, એજન્સીઓને તેની જાણ થઈ જ તેણે તેનો પર્દાફાશ કર્યો હતો.