પાકિસ્તાન: અંડરવર્લ્ડ ડોનનો ખાત્મો,સરબજીતની હત્યા કરનાર આમિર સરફરાઝ ઠાર

પાકિસ્તાનથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંડરવર્લ્ડ ડોન આમિર સરફરાઝની લાહોરમાં ‘અજાણ્યા હુમલાખોરો’ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આમિર સરફરાઝ એ જ વ્યક્તિ છે જેણે ISIની સૂચના પર પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક સરબજીતની હત્યા કરી હતી.

અમીર સરફરાઝે પાકિસ્તાનની કોટ લખપત જેલમાં સરબજીતનું ગળું દબાવીને અને પૉલિથીન વડે માર મારીને હત્યા કરી હતી. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના આદેશ પર અમીરે સરબજીતને ટોર્ચર કરીને મારી નાખ્યો હતો. પંજાબના સરબજીતને પાકિસ્તાનમાં જાસૂસીના આરોપમાં પાકિસ્તાની સેનાએ પકડ્યો હતો.