ગુજરાતી ફિલ્મોનાં સંગીતકાર ઈકબાલ દરબારનું અવસાન, અમદાવાદમાં કરાઈ અંતિમવિધિ

ગુજરાતી ફિલ્મો અને નાટકોમાં પોતાનાં સંગીતથી નામના મેળવનારા મૂળ પાલનપુરના સંગીતકાર ઈકબાલ દરબારનું આજે સવાર અમદાવાદ ખાતે અવસાન થયું છે. સાંજે અમમદાવાદમાં જ સુપુર્દેખાક કરવામાં આવ્યા છે.

ઈકબાલ દરબારે 100 કરતાં વધુ ગુજરાતી નાટકોમાં સંગીત આપ્યું છે. આ ઉપરાંત અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ સંગીત પીરસ્યું છે.નાટય જગતને મોટી ખોટ પડી છે.

હિવ્દી ફિલ્મોના ખ્યાતનામ સંગીતકાર ઈસ્માઈલ દરબારે જણાવ્યું કે ઈકબાલભાઈ મૂળ પાલનપુરના હતા અને તેમનું પૈતુક મકાન અમદાવાદમાં પણ હતું. શરુઆતમાં તેમને કિડની તકલીફ થતાં તેમને પાલનપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા અને ફાની દુનિયાને અલવિદા કહી હતી. તેમના અવસાનના સમાચારથી આઘાતની લાગણી અનુભવું છું.

ગુજરાતી ફિલ્મોનાં ડાયરેક્ટર નિલેશ મહેતાએ જણાવ્યું કે ઈકબાલ દરબારના નિધનના સમાચારથી આઘાતની લાગણી અનુભવું છું. તેઓ ખૂબ મળતાવડા સ્વભાવના માનવી હતા.