ગુજરાતમાં કોરોનાનાં નવા 1125 કેસ, કુલ કેસ 1,90,361: વધુ સાતનાં મોત, કુલ મૃત્યુઆંક 3815

ગુજરાતમાં પાછલા ચોવીસ ક્લાક દરમિયાન કોરોનાનાં નવા 1125 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસોનો આંકડો વધીને 1,90,361 પર પહોંચી ગયો છે. જ્યારે રાજ્યમાં વધુ સાત દર્દીઓએ અંતિમ શ્વાસ લેતાં કુલ મૃત્યુઆંક વધીને 3815 પર પહોંચ્યો છે. આ ઉપરાંત 1116 લોકોએ પાછલા ચોવીસ ક્લાકમાં કોરોનાને પરાજ્ય આપ્યો છે. સારા સમાચાર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.45 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 47,328 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

શહેર અને જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો અમદાવાદ કોર્પોરેશન 218, સુરત કોર્પોરેશન 158, વડોદરા કોર્પોરેશન 96, મહેસાણા 60, રાજકોટ કોર્પોરેશન 55, બનાસકાંઠા 52, સુરેન્દ્રનગર 45, રાજકોટ 37, વડોદરા 37, ગાંધીનગર કોર્પોરેશન 36, પાટણ 34, મહીસાગર 25, કચ્છ 23, ગાંધીનગર 22, સુરત 22, દાહોદ 17, આણંદ 17, જામનગર કોર્પોરેશન 17, અમદાવાદ 16, ભરૂચ 16, પંચમહાલ 15, સાબરકાંઠા 14, ખેડા 12, મોરબી 12, અમરેલી 11, જુનાગઢ કોર્પોરેશન 11, જુનાગઢ 8, ગીર સોમનાથ 6, અરવલ્લી 5, ભાવનગર કોર્પોરેશન 5, જામનગર 5, છોટા ઉદેપુર 4, બોટાદ 3, દેવભૂમિ દ્વારકા 3, નર્મદા 3, ભાવનગર 2, નવસારી બે કેસ નોંધાયા છે. ઼

રાજ્યાના આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં પાછલા ચોવીસ ક્લાક દરમિયાન રાજ્યમાં મોતના આંકડામાં વધારો થયો છે. અમદાવાદ કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન 2, અમદાવાદ 1, સુરતમાં એક દર્દીએ અંતિમ શ્વાસ લીધા હતા. આમ ચોવીસ કલાક દરમિયાન કુલ સાત લોકોના મોત નિપજ્યા છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,74,088 નાગરીકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 12,458 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 74 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 12,384 સ્થિર છે.