સુરતના હજીરામાં ઓઇલ અને નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) પ્લાન્ટમાં આજે (24 સપ્ટેમ્બર) વહેલી સવારે ત્રણ બ્લાસ્ટ પછી આગ ફાટી નીકળી હતી. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અધિકારીઓનું કહેવું છે કે, આગ કાબૂમાં લેવા માટે પહોંચેલી ફાયરબ્રિગેડની ટીમે પ્રયાસ હાથ ધર્યા હતા. કલાકો બાદ આગ કાબુમાં આવતા અધિકારીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
#WATCH Gujarat: A fire breaks out at an Oil and Natural Gas Corporation (ONGC) plant in Surat. Fire tenders present at the spot. More details awaited. pic.twitter.com/6xPKHW5PrR
— ANI (@ANI) September 23, 2020
કલેકટર ધવલ પટેલે જણાવ્યું હતું કે, વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ થયેલા ત્રણ ધડાકા પછી આગ લાગી હતી. જે બાદ સ્થળ પર ઓન – સાઈટ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. દરમિયાન, ઓએનજીસીએ સત્તાવાર માહિતી આપી કે તે પ્રોસેસિંગ પ્લાન્ટ (ક્રૂડ ઓઇલ અથવા ક્રૂડ ક્લિયરિંગ પ્લાન્ટ) માં આગ લાગી હતી. જોકે, કલાકો બાદ આગ કાબુમાં લેવામાં સફળતા મળી હતી, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
તે જાણીતું છે કે 640 હેક્ટરમાં ફેલાયેલા આ વિશાળ પ્લાન્ટમાં, 240 કિલોમીટર લાંબી દરિયાઇ પાઇપલાઇન દ્વારા મુંબઇથી ક્રૂડ લાવવામાં આવે છે. તે એલપીજી, નેપ્થા, એટીએફ, એચએસડીએન પ્રોપેન જેવા બળતણનું ઉત્પાદન કરે છે. એક પ્રત્યક્ષદર્શીએ અહેવાલ આપ્યો કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ ઘણા કિ.મી. સુધી સંભળાયો અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
આકાશ ગહન ધુમાડાથી ભરાઈ ગયું હતું. જ્વાળાઓ પણ દૂરથી જોઇ શકાતી હતી. માનવામાં આવે છે કે વિસ્ફોટથી પ્લાન્ટની પાઈપલાઈનને નોંધપાત્ર નુકસાન થયું છે. અકસ્માત સંદર્ભે ઓએનજીસી કાર્યવાહી મુજબ આંતરિક તપાસ કરી શકે છે.