નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીએ ભારતીય અર્થવ્યવસ્થામાં સુધારો લાવવાનાં સરકારનાં પગલાં અંગેની ટિપ્પણી બાદ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા છે અને તેમને અર્થતંત્રના સ્તરે સંપૂર્ણ નિષ્ફળતા જાહેર કરી છે. રાહુલ ગાંધીએ 2 જૂન, મંગળવારે ટ્વીટ કર્યું હતું કે, મોદી સરકાર ભારતીય અર્થવ્યવસ્થાને સંભાળવા માટે જે રીતે પ્રયાસો કરી રહી છે, રેટિંગ એજન્સી મૂડીઝે તેને કચરાના સ્તરથી માત્ર એક પગલું ઉપર ગણાવ્યું છે. નબળા અને સુક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો – એમએસએમઇને સહાય ન મળવાનો અર્થ એ છે કે આગામી સમયમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થવાની છે.
Moody's has rated Modi's handling of India's economy a step above JUNK.
Lack of support to the poor and the MSME sector means the worst is yet to come.https://t.co/bOtH1P3pBZ
— Rahul Gandhi (@RahulGandhi) June 2, 2020
બાદમાં કોંગ્રેસના પ્રવક્તા સુનિલ જાખરે એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીની ટિપ્પણી અંગે પૂછેલા સવાલ વિશે જણાવ્યું હતું કે, ગાંધીએ સત્યને ઉજાગર કર્યું છે. આમાં કંઈ ખોટું નથી. સરકારનું નેતૃત્વ ઘમંડી છે અને કોંગ્રેસ આ રીતે પોતાનું વાસ્તવિકતાનું ચિત્ર બતાવશે. નોંધપાત્ર વાત એ છે કે, વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે સોમવારે ભારતના અર્થતંત્ર અંગેના પોતાના અહેવાલમાં તેને ખૂબ ખરાબ ગણાવ્યું હતું અને સરકારે 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કર્યા હોવા છતાં તેના પ્રયાસોને બગાડ્યા છે.