Covid-19 વોરિયર્સ માટે મહિન્દ્રાએ લોન્ચ કરી સ્પેશિયલ સ્કીમ

ડોક્ટર, આરોગ્ય કાર્યકરો, પોલીસ અને અન્ય જેવા કોવિડ -19 સામે લડતા ફ્રન્ટ લાઇન યોદ્ધાઓ માટે મહિન્દ્રાએ તેના વાહનો પર કેટલીક નવી ફાઇનાન્સ સ્કીમ્સ રજૂ કરી છે. આ તમામ ઓફર્સ તે લોકો માટે પણ છે જે કોરોના વાયરસ રોગચાળા દરમિયાન આવશ્યક સેવાઓ પ્રદાન કરી રહ્યા છે. આમાં પત્રકારો અને મીડિયા પ્રોફેશનલ્સ, રેલ્વે અને એરલાઇન સ્ટાફ અને પેરામેડિક અને સરકારી અધિકારીઓ શામેલ છે.

કંપનીની આ નવી સ્કીમ્સ હેઠળ આ તમામ કોરોના વોરિયર્સને કારની ખરીદી પર 66,500 રૂપિયાનો લાભ આપવામાં આવશે.

  • આ ફાઇનાન્સ સ્કીમ્સમાં ઓન નાઉ એન્ડ પે ઇન 2021 સ્કીમ,
  • આઠ વર્ષ સુધીની ફંડિંગ,
  • 100 ટકા સુધી ઓન-રોડ ફંડિંગ,
  • 90 દિવસનો સમયગાળો,
  • બીએસ 4 પીક-અપની એમ EMIની ચુકવણી,
  • ડોકટરો માટે 50 ટકા પ્રોસેસિંગ ફી માફી વગેરે સ્કીમ્સ સામેલ છે.


કંપનીનું નિવેદન

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ઓટો ડિવિઝનના સીઇઓ વિજય નાકરાએ જણાવ્યું છે કે, ભારતના ફ્રન્ટલાઈન યોદ્ધાઓ અને સર્વિસ પ્રોવાઇડર્સ પોતપોતાના ક્ષેત્રમાં પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે. આ બધા લોકો આ પડકારજનક સમયમાં આપણને સુરક્ષિત રાખવા પ્રયાસો કરી રહ્યા છે. તેથી જ અમે તેમના માટે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ્સ લાવ્યા છીએ, જેથી તેમનો આભાર માની શકાય.