‘કોરોનિલ’ બનાવવાના મામલે બાબા રામદેવ વિરુદ્ધ FIR નોંધવાની માંગ, પોલીસ સુધી પહોંચી ફરિયાદ

ચંદીગઢ (ધરાણી): પતંજલિ આયુર્વેદ લિમિટેડના સ્થાપક યોગગુરુ બાબા રામદેવ અને તેના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ ફરિયાદ હરિયાણા પોલીસ સુધી પહોંચી છે. ફરિયાદમાં માંગ કરવામાં આવી છે કે રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણે ભારતીય આપત્તિ સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. આપને જણાવી દઈએ કે પતંજલિ આયુર્વેદ વતી દાવો કરવામાં આવ્યો હતો કે, કંપનીના જ ઉત્પાદન દવા કોરોનિલ કોરોના વાયરસને નષ્ટ કરશે.

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના એડવોકેટ સુખવિન્દર સિંહ નારાએ હરિયાણા પોલીસના ડીજી સમક્ષ બાબા રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ અને તેમની કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, ફરિયાદમાં ભારતીય આપત્તિ સંહિતા, 1860 ની કલમ 51/52/58 હેઠળ એફઆઈઆર નોંધાવવા વિનંતી કરવામાં આવી હતી અને ભારતીય દંડ સંહિતા, 1860ની કલમ 188/269/270 હેઠળ લાગુ કાયદા હેઠળ કાર્યવાહીની માંગ કરી હતી.

નારાએ પોલીસ ફરિયાદમાં લખ્યું છે કે, આયુષ મંત્રાલય અને આઇસીએમઆર મંત્રાલયની મંજૂરી લીધા વિના રામદેવ આવી દવાઓ લોન્ચ કરી શકે નહીં. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કોવિડને લગતા ભારત સરકારની સૂચના અનુસાર કોઈ પણ કંપની સરકારની પરવાનગી વિના કોઈ દવાની જાહેરાત કરી શકતી નથી, પરંતુ રામદેવે આ દવાની જાહેરાત કોઈ મંજૂરી વગર સોશિયલ મીડિયા પર કરી હતી. નારાએ કહ્યું કે, એવું લાગે છે કે રામદેવ અને બાલકૃષ્ણના દાવા ખોટા છે અને તેમનું કૃત્ય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અને ભારતીય દંડ સંહિતા હેઠળ શિક્ષાપાત્ર ગુનો છે. બીજી તરફ, ભારત સરકારે પતંજલિની કોરોના સંબંધિત દવાઓ પર ચકાસણી ન થાય ત્યાં સુધી પ્રતિબંધ મૂક્યો છે.