કોરોનાવાયરસ સામે હાલમાં વિશ્વ આખામાં કોઇને કોઇ નવા સંશોધનો થઇ રહ્યા છે. કોઇ વેક્સીન બનાવી રહ્યું છે તો કોઇ તેની દ વા બનાવી રહ્યું છે. આવામાં અમેરિકાના કેટલાક સંશોધકોએ દાવો કર્યો છે કે શરદીમાં ઉપયોગી એવું નેસલ સ્પ્રે માનવીને કોવિડ -19 સામે રક્ષણ આપી શકે છે અને તેનો ઉપયોગ પી.પી.ઇ. કિટ પહેરવા કરતાં પણ વધુ અસરકારક સાબિત થઈ શકે છે.
તાજેતરમાં જ એક સંશોધન દરમિયાન યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન ફ્રાન્સિસ્કોના નિષ્ણાતોએ ‘એરોનેબ્સ’ બનાવ્યું હતું. તેના દ્વારા શ્વાસ લઇ શકાય છે. આ સંશોધકો એવી આશા રાખે છે કે કોરોમનાના આ કપરા કાળમાં આખરે એક રસી મળી આવે તે પહેલાં તે હજારો લોકોને કોરોનાનો ચેપ લાગતો અટકાવવા માટે તેમની આ શોઘ ટૂંકા ગાળાના સાધન તરીકે કાર્ય કરશે.
પોતાની આ શોધ અંગે આ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે એરોએબ્સમાં નેનોબોડીઝ હોય છે જે ઉંટ, લામસ અને અલ્પાકાસના લોહીમાં જોવા મળતા એન્ટિબોડી જેવા રોગપ્રતિકારક પ્રોટીન હોય છે. પરંતુ શરીરમાં આ નેનોબોડીઝ કૃત્રિમ છે અને રોગચાળા પાછળના વાયરસ સાર્સ-કોવી-2 ને લક્ષ્ય બનાવવા માટે બનાવામાં આવી રહી છે.
લેબ પરીક્ષણોમાં નાના પ્રોટીન દર્શાવવામાં આવ્યા છે – મનુષ્યમાં જોવા મળતા એન્ટિબોડીઝના કદના લગભગ એક ક્વાર્ટર – કોરોનાવાયરસને કોષોમાં પ્રવેશતા અટકાવી શકે છે. પરંતુ એરોનોબ્સ ફોર્મ્યુલાને હજી પણ ક્લિનિકલ ટ્રાયલ્સમાં સાબિત કરવાની જરૂર છે, તે જોવા માટે કે તે ખરેખર વ્યક્તિને ખરેખર ચેપ લાગવાથી બચાવી શકે છે કે નહીં. નેનોબોડીઝ એટલા નાના છે કે કૃત્રિમ સંસ્કરણોનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થઈ શકે છે.