સ્વાતિ માલીવાલ મારપીટ કેસમાં વિભવ કુમારની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે મહત્વની મોટી ટિપ્પણીઓ કરી છે. દેશની સૌથી મોટી અદાલતે તો ત્યાં સુધી કહ્યું કે સીએમ આવાસ ગુંડાઓને રાખવા માટે છે? સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘તેણે (બિભવ કુમાર) ગુંડાની જેમ કામ કર્યું અને મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનમાં ઘૂસી ગયો. મહિલાએ તેની શારીરિક સ્થિતિ બતાવી ત્યારે પણ તેણે તેના પર હુમલો કર્યો હતો. કોર્ટે પૂછ્યું કે શું તેને મહિલા પર આ રીતે હુમલો કરતા શરમ નથી આવતી?
ગુરુવારે જસ્ટિસ દીપાંકર દત્તા, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈનિયાની બેંચે વિભવ કુમારની જામીન અરજી પર સુનાવણી કરી. વિભવ કુમાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ તેમના અસીલ માટે રાહતની માંગ કરી અને કહ્યું કે ફરિયાદ ત્રણ દિવસ પછી દાખલ કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે માલીવાલના આરોપો બનાવટી અને ખોટા છે. કોર્ટે સખત ઠપકો આપ્યો હતો અને ઘણી સખત ટિપ્પણીઓ કરી હતી. કોર્ટે દિલ્હી પોલીસ પાસે જવાબ માંગ્યો છે.
અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, ‘પહેલા દિવસે તે પોલીસ પાસે ગઈ પરંતુ તેણે કોઈ ફરિયાદ નોંધાવી નહીં. પછી ત્રણ દિવસ પછી આ કર્યું. તેના પર જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, આના પર શું કહેવું કે તેમણે 112 પર ફોન કર્યો? આ તમારા દાવાને ખોટો પાડે છે કે આ વાર્તા બનાવી છે. કોર્ટે કહ્યું, ‘શું મુખ્યમંત્રીનું સત્તાવાર નિવાસસ્થાન ખાનગી મકાન છે? શું આવા નિયમોની જરૂર છે? આપણને નવાઈ લાગે છે, એ નાના-મોટા ઘાની વાત નથી. હાઈકોર્ટે બધું બરાબર રાખ્યું છે.