કોંગ્રેસના નેતા પવન ખેરાએ એક અહેવાલને ટાંકીને લોકસભાની મત ગણતરીમાં મતોના તફાવત પર ચિંતા વ્યક્ત કરી છે. ખેડાએ જણાવ્યું હતું કે પ્રારંભિક અને અંતિમ ગણતરી વચ્ચે લગભગ 5 કરોડ મતનો તફાવત છે, જેના કારણે સંસદમાં બેઠકોની વહેંચણીમાં ફેરફાર થઈ શકે છે.
કોંગ્રેસ નેતા પવન ખેરાનો આ દાવો ‘લોકસભા ચૂંટણી 2024નું સંચાલન’ ટાઈટલ સાથે ‘વોટ ફોર ડેમોક્રેસી’ના રિપોર્ટ પર આધારિત છે. હા…પવન ખેડાએ શનિવારે 27મી જુલાઈના રોજ તેમના સત્તાવાર એક્સ હેન્ડલ પર આ મુદ્દો ઉઠાવ્યો છે. ખેડાએ લખ્યું, ‘મતોની પ્રારંભિક ગણતરી અને મતોની અંતિમ ગણતરી વચ્ચે લગભગ 5 કરોડ મતનો તફાવત છે.’
A report by *Vote for Democracy* titled “Conduct of Lok Sabha Elections 2024” has made some shocking revelations that can shake the trust of people in our democracy. The report claims the following:
▪️A discrepancy of nearly 5 crores votes between the initial votes counted and…
— Pawan Khera (@Pawankhera) July 27, 2024
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે NDA/BJP વોટમાં વધારા દ્વારા 15 રાજ્યોમાં ઓછામાં ઓછી 79 સીટો જીતી શક્યું છે. જો આ સાચું છે, તો તેનો અર્થ એ થશે કે ઈન્ડિયા બ્લોકની સંસદમાં સૌથી વધુ બેઠકો હોત. એટલું જ નહીં, તેમણે આગળ લખ્યું કે ચૂંટણી પંચે 7 તબક્કામાં મતદાનની અંતિમ ટકાવારી જાહેર કરવામાં વિલંબ કર્યો, જે ફરીથી ગંભીર ચિંતાનો વિષય છે.
તેમણે કહ્યું કે જો આ અહેવાલ ખોટો છે તો @ECISVEEP એ આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ અને લોકતાંત્રિક પ્રક્રિયામાં લોકોનો ડગમગતો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવો જોઈએ. પરંતુ, જો રિપોર્ટમાં જે કહેવામાં આવ્યું છે તે સાચું છે, તો ભારતીય લોકશાહીનો રાજકીય ઇતિહાસ તેના નિર્ણાયક વળાંક પર છે.