ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની નિમણૂકની જાહેરાત કરી હતી. ભારતીય ટીમના ઈતિહાસમાં ગંભીર 25માં મુખ્ય કોચ બનવા જઈ રહ્યો છે. T20 વર્લ્ડ કપ 2024 બાદ રાહુલ દ્રવિડે મુખ્ય કોચ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે ગંભીર જુલાઈના અંતમાં શ્રીલંકા સામે શરૂ થનારી શ્રેણીમાં ભારતીય ટીમના નવા કોચ તરીકે જોડાશે. હાલમાં ઝિમ્બાબ્વે પ્રવાસ પર, નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ના ડિરેક્ટર વીવીએસ લક્ષ્મણ વચગાળાના મુખ્ય કોચની ભૂમિકા ભજવી રહ્યા છે.
ગૌતમ ગંભીરના માર્ગદર્શન હેઠળ KKRએ IPLમાં ઝંડો ફરકાવ્યો હતો.
રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થવાના સમાચારની સાથે જ ગૌતમ ગંભીરના મુખ્ય કોચ બનવાની પણ ચર્ચા હતી. હવે તેના પર જય શાહે સત્તાવાર મહોર મારી દીધી છે. હાલમાં, ભારતીય ટીમ શુભમન ગિલની કેપ્ટન્સીમાં ઝિમ્બાબ્વેના પ્રવાસ પર છે અને તે પછી શ્રીલંકાના પ્રવાસ પર જશે, જ્યાં ગંભીર તેની નવી ભૂમિકા સંભાળશે.
It is with immense pleasure that I welcome Mr @GautamGambhir as the new Head Coach of the Indian Cricket Team. Modern-day cricket has evolved rapidly, and Gautam has witnessed this changing landscape up close. Having endured the grind and excelled in various roles throughout his… pic.twitter.com/bvXyP47kqJ
— Jay Shah (@JayShah) July 9, 2024
IPL 2024 પહેલા ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો મેન્ટર બન્યો હતો અને તેની મેન્ટરશિપ હેઠળ KKRએ ચેમ્પિયનશિપ જીતી હતી. મુખ્ય કોચ પદ માટે અરજી કરનાર ગંભીર એકમાત્ર ઉમેદવાર હતો. કોચ પદ માટેના ઈન્ટરવ્યુ પહેલા તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા.
ગૌતમ ગંભીર સામે પડકાર
T20 વર્લ્ડ કપ 2024 જીતીને, ભારતીય ટીમે 11 વર્ષ લાંબા ICC ટ્રોફીના દુષ્કાળનો અંત લાવ્યો. હવે તેનું આગામી લક્ષ્ય આગામી એક વર્ષમાં યોજાનારી બે ICC ટ્રોફી જીતવાનું છે. નવા મુખ્ય કોચ તરીકે ગંભીર માટે આ જવાબદારી મોટી હશે. ટીમ ઈન્ડિયાએ 2025ની શરૂઆતમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવાની છે અને જો ભારતીય ટીમ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહે છે તો તેને પણ જીતવાનું લક્ષ્ય હશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જૂન 2025માં રમાશે.