આખરે આતુરતાનો અંત આવ્યો છે. ‘ધ લેગસી ઑફ જિનેશ્વર’નું બહુપ્રતિક્ષિત ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે. આ કાર્યક્રમ સિને પોલિસ મુંબઈ ખાતે નિર્માતા અભિષેકમાલુ, પ્રોજેક્ટ હેડ વિવેક કુલશ્રેષ્ઠ, અભિનેતા સુરેન્દ્રપાલ અને અન્ય ઘણા લોકોની હાજરીમાં યોજાયો હતો.
આ દરમિયાન એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ ફિલ્મ જૈન ધર્મની સંસ્કૃતિ અને ક્યારેય ન સ્પર્શયા હોય એવા પાસાઓને સૌની સામે મજબૂત રીતે રજૂ કરશે. આ ફિલ્મ ૧૯ એપ્રિલ ૨૦૨૪ના રોજ મહાવીર જયંતિના શુભ અવસર પર રિલીઝ થશે.
અનેક પડકારો ઝીલ્યા બાદ આખરે ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું છે. હવે આ ફિલ્મ સિલ્વર સ્ક્રીન પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. વર્તમાન ખરતરગચ્છાચાર્યશ્રી જિનપીયૂષ સાગર સૂરીશ્વરજીના આશીર્વાદઅને ખરતરગચ્છ સહસ્રબાદી મહોત્સવ સમિતિના સહયોગથી, નિર્માતા અભિષેક માલુએ દર્શકોને અદ્ભુત સિને મેટિક અનુભવનું વચન આપ્યું છે.
‘ધ લેગસી ઑફ જિનેશ્વર’
જૈન પરંપરાની અકથિત વાર્તાને ઉજાગર કરવાનું વચનઆપે છે, જે ભગવાન મહાવીરના મહત્ત્વપૂર્ણ ઉપદેશો અને તીર્થંકરના આધ્યાત્મિક વારસાને પ્રકાશિત કરે છે. પ્રેક્ષકો રાજા ઋષભદેવથી લઈને ભગવાન મહાવીર સુધીની સફર તેમજ ખરતરગચ્છ (જૈન ધર્મનો એક સંપ્રદાય)ની સ્થાપનાનેર સપ્રદ અને વર્ણનાત્મક સ્વરૂપમાં પ્રસ્તુત થતી જોશે.
આ પ્રોજેક્ટના ડિરેક્ટર વિવેક સુધિન્દ્રકુલશ્રેષ્ઠના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ અને નિર્દેશક પ્રદીપ પી.જાધવ અને વિવેક ઐયર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ જૈન ધર્મના સારને પ્રામાણિકતા અને આદર સાથે જીવંત કરે છે.પ્રખ્યાત લેખક અને ગીતકાર પ્રશાંતબેબર, સંગીતકારો વિવિયન રિચર્ડ અને વિપિન પટવા સાથે ફિલ્મને ભાવપૂર્વક સંગીતથી ભરી દે છે, જે માત્ર મનોરંજન જ નહીં, પરંતુ પ્રેરણા પણ આપે છે.
પદ્મશ્રી ગાયક કૈલાશ ખેર, જાવેદઅલી અને દિવ્યા કુમારે મધુર કૉમ્પૉઝિશનમાં પોતાનો અવાજ આપ્યો છે, પ્રેક્ષકો ફિલ્મના પાવર ફૂલ સાઉન્ડ ટ્રેકથી મંત્રમુગ્ધ થવાની અપેક્ષા રાખી શકે છે.
‘ધલેગસીઑફજિનેશ્વર’
પાછળની ટીમ પ્રેક્ષકોને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા અને જૈન પરંપરાની સમૃદ્ધ ટૅપિસ્ટ્રીમાં ડૂબી જવા માટે ૧૯મી એપ્રિલ ૨૦૨૪ના રોજ થિયેટરોમાં તેમની સાથે જોડાવા આમંત્રણ આપે છે.