ગૃહ મંત્રાલયે જમાત-એ-ઇસ્લામી પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવ્યો, 2019માં મૂકાયો હતો પ્રતિબંધ 

ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીર સ્થિત સંગઠન જમાત-એ-ઈસ્લામી પરનો પ્રતિબંધ આગામી પાંચ વર્ષ માટે લંબાવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પોતાના X એકાઉન્ટ પર માહિતી શેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લખ્યું છે કે, ‘આતંકવાદ અને અલગતાવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ સરકારે જમાત-એ-ઈસ્લામ પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવ્યો છે’.

એવું પણ કહેવામાં આવ્યું છે કે સંગઠન રાષ્ટ્રની સુરક્ષા, અખંડિતતા અને સાર્વભૌમત્વ વિરુદ્ધ તેની પ્રવૃત્તિઓ ચાલુ રાખતું હોવાનું જાણવા મળ્યું છે. સંસ્થાને સૌપ્રથમ 28 ફેબ્રુઆરી 2019ના રોજ ‘ગેરકાયદેસર સંગઠન’ જાહેર કરવામાં આવ્યું હતું.