T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન! આ ખેલાડીઓનો થયો સમાવેશ,પહેલો હાઈ વોલ્ટેજ મુકાબલો પાકિસ્તાન સામે

ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. ભારતીય સિલેક્ટર્સે 15 ખેલાડીઓની પસંદગી કરી છે, જે ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયાની જમીન પર આઈસીસી ટી-20 વર્લ્ડ કપ જીતવા માટે રમશે.

ટી-20 વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલી ટીમની કેપ્ટન્સી રોહિત શર્માના હાથમાં છે અને વાઈસ કેપ્ટની જવાબદારી કે. એલ. રાહુલને સોંપવામાં આવી છે. મહત્ત્વની વાત એ છે કે ટીમમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઋષભ પંતના ફોર્મને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા હતાં, પરંતુ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સાથે દિનેશ કાર્તિકને પણ તક આપવામાં આવી છે.

મહોમ્મદ શમીના કમબેક અંગે ચર્ચા થઈ રહી હતી, પરંતુ તેની પસંદગી કરવામાં આવી નથી. ટી-20 વર્લ્ડ કપ નું આયોજન 22 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી છે. ભારત પહેલી મેચ પાકિસ્તાન સામે 23 ઓક્ટોબરના મેલબર્નમાં રમાશે.

ટી-20 વર્લ્ડ કપ ની ટીમ

રોહિત શર્મા, કે. એલ. રાહુલ, વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, દીપક હુડા, દિનેશ કાર્તિક, આર. અશ્વીન, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ

મોહમ્મદ શમી, શ્રેયસ ઐયર, રવિ બિશ્નોઈ અને દિપક ચહર જેવા ખેલાડીઓ સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે.

નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાએ ICCનો ખિતાબ વર્ષ 2013માં જીત્યો હતો. હવે નવ વર્ષ બાદ ભારતને ફરી એક વાર આ ખિતાબ જીતવાનો મોકો મળ્યો છે, તેથી 140 કરોડ હિંદુસ્તાનીઓની નજર આ વર્લ્ડ કપ પર રહેશે.