ઉદ્વવ ઠાકરે સરકારે સંકટ વચ્ચે ઔરંગાબાદનું નામ બદલ્યું, ઉસ્માનાબાદ હવે આ નામથી ઓળખાશે

ભલે મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી (MVA) સરકાર અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી હોય, પરંતુ તેમ છતાં, બુધવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં રાજ્યના ઔરંગાબાદ શહેરનું નામ ‘સંભાજીનગર’ રાખવામાં આવ્યું. અને ઉસ્માનાબાદ શહેરને ‘ધારાશિવ’ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. વધુમાં, કેબિનેટે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ પણ સ્વર્ગસ્થ ડી.બી. પાટીલ ઈન્ટરનેશનલ એરપોર્ટને પણ મંજૂરી આપવામાં આવી છે

ઔરંગાબાદનું નામ મુઘલ સમ્રાટ ઔરંગઝેબ જ્યારે પ્રદેશના ગવર્નર હતા ત્યારે તેમના નામ પરથી રાખવામાં આવ્યું હતું અને શિવસેના લાંબા સમયથી શહેરનું નામ બદલવાની માંગ કરી રહી હતી. ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ શિવાજી મહારાજના મોટા પુત્ર સંભાજીનગર રાખવામાં આવ્યું છે. નોંધનીય છે કે શિવસેનાનું નામ પણ છત્રપતિ શિવાજી મહારાજના નામ પર રાખવામાં આવ્યું છે.

સીએમ ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં કેબિનેટે એ પણ નિર્ણય લીધો છે કે રાજ્ય માટે હળદર સંશોધન અને પ્રક્રિયા નીતિ લાગુ કરવામાં આવશે અને હિંગોલી જિલ્લામાં બાળાસાહેબ ઠાકરે હરિદ્રા (હળદર) સંશોધન અને તાલીમ કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે.

આ ઉપરાંત, કરજત (જિલ્લો અહેમદનગર) ખાતે સિવિલ જજ (વરિષ્ઠ સ્તર) કોર્ટની સ્થાપના કરવામાં આવશે. અહેમદનગર-બીડ-પાર્લી વૈજનાથ નવી રેલ્વે લાઇન પ્રોજેક્ટના પુનઃનિર્માણને મંજૂરી આપવામાં આવશે અને રાજ્ય સરકાર તેના માટે યોગદાન આપશે.

ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે ઘરકુલ યોજના ગ્રામીણ વિસ્તારોમાં વિશેષ પછાત વર્ગો અને અન્ય પછાત વર્ગો માટે લાગુ કરવામાં આવશે.