ગુજરાતમાં રિલાયન્સના 160 પમ્પ પર પેટ્રોલનું વેચાણ બંધ, જાણો આ છે આ કારણ

ક્રૂડના વૈશ્વિક ભાવો વધતા ગુજરાતમાં રિલાયન્સના ૧૬૦ પેટ્રોલપંપ બંધ કરાયા હોવાનું જાણવા મળે છે.

ક્રૂડની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારાને કારણે રાજ્યભરમાં આવેલા રિલાયન્સના ૧૬૦ પેટ્રોલ પંપ પરથી પેટ્રોલનું વેચાણ બંધ કરાયું છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત વધતા દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવો આસમાને પહોંચ્યા છે. વધતા ભાવોની આડઅસર જોવા મળી રહી છે. રવિવારે અમદાવાદ સહિત રાજ્યના રિલાયન્સ પેટ્રોલ પરથી પેટ્રોલનું વેચાણ બંધ કરવામાં આવ્યું હતું.

સમગ્ર રાજ્યમાં રિલાયન્સના ૧૬૦ પેટ્રોલ પંપ છે. અમદાવાદમાં રિલાયન્સ પેટ્રોલ પમ્પ પર ટુ-વ્હીલરમાં માત્ર એક લીટર જ્યારે ફોર-વ્હીલરમાં ૫૦૦ રૃપિયાનું પેટ્રોલ પૂરી આપવામાં આવ્યું હતું. સૂત્રોએ આ અંગે જણાવ્યું હતું કે રિલાયન્સ ઉપરાંત ખાનગી ક્ષેત્રના એસ્સાર કંપની અને સેલ કંપનીના પણ પેટ્રોલ પમ્પ છે. જે મુશ્કેલી રિલાયન્સને પડી રહી છે તે આ કંપનીઓને પણ પડવાની છે.

રાજ્યમાં એસ્સારના આશરે ૧૫૦૦ અને સેલના આશરે ૬૦ પેટ્રોલ પમ્પ છે. રાજ્યમાં આશરે ૪ હજાર સરકારી કંપનીના પેટ્રોલ પમ્પ છે. હાલ સરકારી પેટ્રોલ પમ્પ પર ઝાઝી અસર જોવા મળશે નહીં. ૨૦૦૮માં પણ રિલાયન્સ પેટ્રોલ પમ્પ બંધ થયા હતાં.