પુષ્પા ફિવર! કોરોના મહામારીમાં લોકોને જાગૃત કરવા કેન્દ્રીય મંત્રાલયે શેર કર્યા અલ્લુ અર્જુનનાં મીમ્સ

દેશમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે લોકોને કોરોના સંબંધિત નિયમોનુ પાલન કરાવવા માટે સૂચના અને પ્રસારણ મંત્રાલયે સુપરસ્ટાર અલ્લૂ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝ’નો સહારો લીધો છે. ફિલ્મની લોકપ્રિયતાને જોતા મંત્રાલયે અલ્લૂ અર્જુનની ફિલ્મના ફેમસ ડાયલોગ પર આધારિત એક મીમ્સ શેર કર્યો છે.

મંત્રાલયના ટ્વિટર પેજ પર એક મીમ પોસ્ટ કરવામાં આવ્યુ છે જેમાં અલ્લૂ અર્જુન માસ્ક સાથે દેખાય છે. ફિલ્મમાં એક ફેમસ ડાયલોગ છે ‘પુષ્પા, પુષ્પા રાજ…મેં ઝુકેગા નહીં’ આ ડાયલોગને બદલીને ‘ડેલ્ટા હો યા ઓમિક્રોન, માસ્ક ઉતારેગા નહીં’ એમ કરવામાં આવ્યો છે.

ટ્વીટમાં આગળ કહેવામાં આવ્યુ છે કે કોરોના સામે દેશની લડાઈ જારી છે તેથી લોકોએ માસ્ક પહેરવાનુ શરુ રાખવુ જોઇએ, હાથ સાફ રાખવા જોઇએ, સોશિયલ ડિસ્ટન્સિંગનુ ધ્યાન રાખવુ જોઇએ અને રસી લેવી જોઇએ. મીમના માધ્યમથી મંત્રાલયે લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો છે.