ભારત-શ્રીલંકા વચ્ચેની ટી-20 અને વનડે સિરીઝનું ટાઈમ ટેબલ જાહેર, આ તારીખથી શરુ થશે સિરીઝ

શ્રીલંકા ક્રિકેટ ટીમમાં કોરોનાના બે કેસ સામે આવ્યા બાદ શ્રીલંકા-ભારત વચ્ચે યોજાનારી 6 મેચોની સીમિત ઓવરોની સિરીઝ 13 જુલાઈના સ્થાને 18 જુલાઈથી શરૂ થશે. બીસીસીઆઈના અધિકારીએ કરી પુષ્ટિભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સિનિયર અધિકારીએ પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, આ સિરીઝ 13 જુલાઈના સ્થાને હવે 18 જુલાઈથી યોજાશે. આ નિર્ણય ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ સાથે વાતચીત કરીને લેવામાં આવ્યો છે.

સંપૂર્ણ ટાઈમ ટેબલ

  •  પ્રથમ વન ડે- 18 જુલાઈ –
  • બીજી વનડે-20 જુલાઈ
  • ત્રીજી વનડે-23 જુલાઈ
  • પ્રથમ T20-25 જુલાઈ –
  •  બીજી T20-27 જુલાઈ
  • ત્રીજી T20-29 જુલાઈ

શ્રીલંકા ક્રિકેટ ટીમના બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર અને ડેટા એનાલિસ્ટ જીટી નિરોશન બ્રિટનથી પરત ફર્યા બાદ કોરોના સંક્રમિત થયા હતા. જ્યારબાદ તમામ ખેલાડીઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. જોકે, હાલમાં ખેલાડીઓ પોતાના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.