ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વણસશે તો વધુ શહેરોમાં કફર્યુ: રૂપાણી

કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવવા સીએમ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કચ્છ જિલ્લાની મુલાકાતે પણ તેઓ પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જ્યાર બાદ સીએમએ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડોક્ટર્સ, પેરા મેડિકલ સ્ટાફ તેમજ નર્સિંગ સ્ટાફ સાથે મુલાકાત કરી હતી અને તેઓની કામગીરીને બિરદાવીને અભિનંદન આપ્યા હતાં. ત્યાર બાદ સીએમએ દર્દીઓના સગાં-વ્હાલાંઓ સાથે રૂબરૂ મુલાકાત કરીને સારવાર સંદર્ભે પૂછપરછ કરીને પરિવારજનો ઝડપથી સ્વસ્થ બનશે એવી શુભેચ્છા આપી હતી.

જો કે, સીએમ રૂપાણીએ કચ્છની મુલાકાત દરમિયાન રાજ્યમાં વધતા જતા કોરોનાના સંક્રમણને કારણે રાત્રિ કરફ્યુને લઇને મોટું નિવેદન આપ્યું હતું. તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે જો રાજ્યમાં સ્થિતિ વધારે વણસી તો 20 શહેર ઉપરાંત રાત્રિ કર્ફ્યુ લગાવાશે. કચ્છને 2000 બેડની હોસ્પિટલ ફાળવાશે.

આ સાથે સીએમએ કચ્છમાં જ્યાં કેસો ઓછાં આવી રહ્યાં છે. ત્યાં સમીક્ષા બેઠક પછી ટેસ્ટ વધારવા માટે સૂચન કર્યાં હતાં અને છઝઙઈછ ટેસ્ટ કચ્છમા વધારી કચ્છને નવુ મશીન રાજ્ય સરકાર આપશે તેવી જાહેરાત કરી હતી. આ સાથે જ 24 કલાકમાં રિપોર્ટ આવી જાય તેવી વ્યવસ્થા માટે પણ સૂચના આપી હતી.

આ ઉપરાંત કચ્છમાં વેન્ટિલેટર ઓછા હોવાની ફરિયાદો ધારાસભ્યો અને અધિકારીઓ તરફથી મળી હતી. જેના લીધે કચ્છમાં નવા 80 વેન્ટિલેટર આપવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરી હતી. જિલ્લા મથક ઉપરાંત તમામ તાલુકા મથકોએ નવા ર000 બેડની સુવિધા ઉભી કરવાનો નિર્ણય આજની બેઠકમાં કરાયો છે.