કુંભ જનારાઓ માટે ગુજરાત એન્ટ્રીને લઈ આ છે ફરજિયાત નિયમો, જાણો શું કહ્યું મુખ્યમંત્રી રુપાણીએ

કોરોનાની સ્થિતિ અને એના નિયંત્રણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી, જામનગર ખાતે આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ છે. સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે કુંભમાં ગયેલી એકપણ વ્યક્તિને તેમના ગામમાં સીધો પ્રવેશ આપવામાં આવશે નહીં. તેમના આરટીપીસીઆર ટેસ્ટ કરાશે અને તેમને ફરજિયાતપણે આઇસોલેટ થવું પડશે. તેમના માટે ગામમાં નાકાબંધી લગાવવા પ્રાંતમાં કલેક્ટરોને સૂચના આપી દેવામાં આવી છે.

કુંભમાં ગયેલા લોકો કોરોના સ્પ્રેડર ન બને એ માટે આપણે અલગ વ્યવસ્થા ઊભી કરી
મુખ્યમંત્રી વિજય રુપાણીએ જામનગરની નિરીક્ષણ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે કુંભમેળામાં ગયેલા શ્રદ્ધાળુઓ ગુજરાત પરત ફરશે ત્યારે દરેક જિલ્લામાં કલેક્ટરને સૂચના આપવામાં આવી છે કે એ તમામ લોકોને આઇસોલેટ કરવામાં આવે, એ તમામના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે અને તેમાંથી જે કોઇપણ સંક્રમિત હોય તેને તાત્કાલિક સારવાર આપવામાં આવે. કુંભમાં ગયેલી કોઇપણ વ્યક્તિને સીધેસીધા પોતાના ગામમાં પ્રવેશ નહીં મળે, તેમના માટે ગામમાં નાકાબંધીની સૂચના પ્રાંતમાં કલેકટરને આપવામાં આવી છે. કુંભમાં ગયેલા લોકો કોરોના સ્પ્રેડર ન બને એ માટે આપણે અલગ વ્યવસ્થા ઊભી કરી છે.

જામનગરને વધુ 370 બેડ સોમવાર સુધીમાં કાર્યરત થશે

જામનગરમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે જયારે જામનગરમાં 370 બેડની સોમવાર સુધીમાં કરાશે વ્યવસ્થા અને તે ઓક્સિજન સાથે બેડ પર કરવામાં આવશે. ખંભાળિયા હોસ્પિટલમાં 200 બેડનો વધારો કરાશે અને કોરના દર્દીની સારવાર માટે બેડ તૈયાર થશે. જેમાં પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના દર્દીઓ સારવાર લઇ શકશે. અને બીજી બાજુ દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા ખાતે હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગ લેબ ઊભી કરવામાં આવશે.

જેમાં મુખ્યમંત્રીએ જામનગર શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસ, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, કોવિડ હોસ્પિટલો, બેડની સંખ્યા, ઓકિસજનની સુવિધા, વેન્ટિલેટર, રેમડેસિવિર ઈન્જેકશન, સારવારની સુવિધા, આરોગ્ય સ્ટાફ સહિતની વિગતો મેળવીને કોરોના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં મંત્રી આર.સી.ફળદુ, મેયર બીનાબેન કોઠારી, સાંસદ પૂનમ માડમ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, ભાજપના જિલ્લા પ્રમુખ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ, ખાસ ફરજ પરના અધિકારી, જિલ્લા કલેક્ટર, મહાનગરપાલિકા કમિશનર,જિલ્લા વિકાસ અધિકારી, રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા સહિત પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહીને તેમણે કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા- વિચારણા કરી હતી.

મુખ્યમંત્રી સાથે જામનગર જિલ્લાની કોરોના પરિસ્થિતિને અનુલક્ષી સમીક્ષા બેઠક યોજાઈ
મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કેબિનેટ મંત્રી આરસી ફળદુ અને રાજ્યમંત્રી હકુભા, સાંસદ પૂનમબેન માડમ તેમજ આરોગ્ય સચિવ જયંતી રવિની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.