નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ બુધવારે બોલિવૂડની અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન સહિતના કોઈપણને ક્લિનચીટ આપવાના મુદ્દાને ફગાવી દીધો હતો. અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં મોતનાં મામલે જે ડ્રગ્સ એંગલ સામે આવ્યું છે તે અંગે આ બધાની પૂછપરછ કરવામાં આવી રહી છે. એજન્સીએ તેમને ક્લિન ચિટ આપવાના દાવાને નકારી કાઢ્યો છે.
મીડિયા રિપોર્ટના દાવો કરવામાં આવ્યો હતો કે એનસીબીએ દીપિકા, તેના પૂર્વ મેનેજર કરિશ્મા પ્રકાશ, સારા, શ્રદ્ધા અને અન્ય લોકોને ડ્રગ્સ સંબંધિત કેસમાં ક્લિનચીટ આપી છે. આ જોતાં તપાસ એજન્સીએ તેની ટિપ્પણી આપી છે. શનિવારે મુંબઇમાં દીપિકા, શ્રદ્ધા અને કરિશ્માની એનસીબી દ્વારા તેમની વ્હોટ્એપ ચેટને લઈને કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી જેમાં તેઓ કથિત રીતે ડ્રગ્સ વિશે વાત કરતા હતા.
એનસીબીએ સારા અલી ખાનની પાંચ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ પણ કરી હતી. એનસીબીએ તેની તપાસના સંદર્ભમાં શુક્રવારે અભિનેત્રી રકુલ પ્રીતસિંહની પણ ચાર કલાક પૂછપરછ કરી હતી. જો કે, એજન્સીએ તેમની પૂછપરછ પછી મેળવેલા તારણોનો હજી સુધી ખુલાસો કર્યો નથી.
સૂત્રોએ નેશનલ ન્યૂઝ ચેનલને આપેલી માહિતી અનુસાર હવે એનસીબીના રડારમાં બોલિવૂડના ત્રણ મોટા નામ સામેલ થયા બાદ હવે એનસીબી આ સ્ટાર્સના ડ્રગ્સના ઉપયોગના પુરાવા એકત્રિત કરી રહી છે. પુરાવા મળ્યા બાદ એનસીબી આ સ્ટાર્સને 15 દિવસમાં સમન્સ મોકલી શકે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ડ્રગ્સના કેસની તપાસ કરતી વખતે એનસીબીની એસઆઈટીને બોલિવૂડના ત્રણ ખૂબ મોટા નામ મળી આવ્યા છે. તે બોલિવૂડનો મોટા સુપરસ્ટાર છે. એમ કહી શકાય કે આ ત્રણેય બોલિવૂડના રાજા છે. આ સુપરસ્ટાર્સ ડ્રગ્સનો ઉપયોગ કરે છે અને તમામને આગામી 15 દિવસમાં સમન્સ મોકલી શકાય છે.