કોરોના ક્યારે કાબૂમાં આવશે? આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કરી આ મોટી વાત

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે દિવાળી સુધીમાં કોવિડ-19 મહામારી એટલે કે કોરોનાના સંક્રમણને મહદ્અંશે અંકુશમાં લેવામાં આપણે સફળ થશું. તેમણે કહ્યું કે આશા છે કે આગામી થોડા મહિનાઓમાં સંભવતઃ દિવાળી સુધીમાં આપણે કોરોના વાઈરસના સંક્રમણના ફેલાવાને મહદ્અંશે નિયંત્રિત કરી લેશું.

ડો. હર્ષવર્ધન અનંતકુમાર ફાઉન્ડેશન દ્વારા આયોજીત ‘નેશન ફર્સ્ટ’ વેબિનારમાં બોલી રહ્યા હતાં. તેમણે કહ્યું કે ડો. દેવીપ્રસાદ શેટ્ટી અને ડો. સી.એમ. મંજુનાથ જેવા વિશેષજ્ઞો એ વાત પર સંભવતઃ સહમત હશે કે થોડા સમય પછી કોરોના પણ ભૂતકાળમાં આવેલા અન્ય વાઈરસની જેમ માત્ર સ્થાનિક સમસ્યા બનીને જ રહી જશે, પરંતુ આ વાઈરસે આપણને બોધપાઠ આપ્યો છે કે આપણે બધાએ આપણી જીવનશૈલી પ્રત્યે વધુ સજાગ અને સાવધાન રહેવું પડશે.