સુરત: મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જાહેર કરી નવી ગાઈડલાઈન: બસ, કલસ્ટર ઝોન વિશે નવી જાહેરાત

સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ સુરતમાં કોરોના કલસ્ટર અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. નવી ગાઈડલાઈન આ પ્રમાણે જાહેર કરવામાં આવી છે.

  • જે વિસ્તાર, સોસાયટીમાં ત્રણ કે વધુ પોઝીટીવ કેસ હોય તે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતી તેમજ સરકારની ગાઈડ લાઈન ધ્યાને લઈ ક્લસ્ટર તરીકે જાહેર કરાશે.
  • જે વિસ્તાર, સોસાયટી કે એપાર્ટમેન્ટમાં એક કેસ આવે તો ફ્લેટ કે ઘર અને તેના આજુબાજુમાં જે કોન્ટેકમાં હોય તેને ફરજીયાત હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવશે.
  • સ્લમ કે સ્લમ લાઈક વિસ્તારમાં પોઝીટીવ કેસ આવે તો ભૌગોલિક પરિસ્થિતી વસતીની ગીચતાને તેમજ સરકારની ગાઈડલાઈન ધ્યાને લઇ ક્લસ્ટર જાહેર કરવામાં આવશે.
  • રસ્તા પર લારી ( શાકભાજી / ફુટ સિવાય ) પાથરણા કે છુટક વેચાણ બંધ રહેશે.
  • બી.આર.ટી.એસ.નો ઉધના – સચીન જી.આઇ.ડી.સી. રૂટ કાલથી શરુ કરવામાં આવશે. ઓપરેશન સમય સવારે સાત કલાકથી સાંજે સાત કલાક સુધી રહેશે.
  • બસમાં મુસાફરોને કુલ સીટના 50 ટકા મુજબ બેસાડવામાં આવશે. મુસાફરોએ સોશિયલ ડિસ્ટન્સીગનું પાલન કરવાનું રહેશે. મુસાફરોએ ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે.