સૂરત શહેર તથા જિલ્લામાં આવેલી પરવત પાટીયા ખાતે આવેલી સ્ટેપીંગ સ્ટોન સ્કુલ અને બમરોલી ખાતે આવેલી તિરૂપતિ સ્કુલ તથા સચિન વિસ્તારની મનોજ વીરેન્દ્ર પ્રતાપસિંહ સ્કુલની ગુજરાત માધ્યમિક અને ઉ.મા.શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ઉપરોકત ત્રણેય સ્કુલોની માન્યતા રદ્દ કરવામાં આવી છે. જેથી આ શાળાઓમાં જુન-2020થી કોઈ વાલીઓએ પોતાના સંતાનોનો માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં પ્રવેશ મેળવવો નહી. જો પ્રવેશ મેળવશે તો તેની જવાબદારી વાલીની રહેશે તેમ સુરત જિલ્લા શિક્ષણાધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
સૂરત શહેર-જિલ્લાની ત્રણ શાળાઓની માન્યતા રદ્દ કરાઈ
