મિસાઇલ K-4નું સફળ પરીક્ષણ: અડધા ચીન અને આખા પાકિસ્તાન સુધી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે આ મિસાઈલ

ભારતે સબમરીનથી ઝીંકવામાં આવતી બેલાસ્ટિક મિસાઇલ K-4નુ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતેથી વધુ પરીક્ષણ કરવામાં આવ્યુ છે. એક પછી એક બે સફળ પરીક્ષણ બાદ ભારતે દુશ્મન દેશના પરમાણુ હુમલા બાદ પોતાના જવાબી હુમલાની ક્ષમતામાં અનેક ગણો વધારો કરી લીધો છે. આશરે 3500 કિલોમીટર સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવનાર આ મિસાઇલનુ પરીક્ષણ કરવામાં આવ્યા બાદ ભારતની તાકાતમાં પણ અનેક ગણો વધારો થઇ ગયો છે. આ મિસાઇલની હદમાં સમગ્ર પાકિસ્તાન અને અડધાથી વધુ ચીનના હિસ્સા આવી ગયા છે.

ન્યુક્લિયર બોમ્બ લઇ જવામાં સક્ષમ K-4 મિસાઇલ સ્વદેશી ટેકનિકથી બનાવવામાં આવી રહી છે. આ મિસાઇલ પરમાણુ સબમરીન અરિહંતમાં ગોઠવવામાં આવનાર છે. K-4 અને બ્રહ્યોસની જોડીથી હવે ભારત પોતાના દુશ્મનોને યોગ્ય જવાબ આપવા માટે તૈયાર છે. આ સફળ પરીક્ષણ બાદ ભારત ન્યુક્લિયર ટ્રાયડની દિશામાં એક પગલુ રહેલુ છે.

ભારતને હવે ન્યુક્લિયર ટ્રાયડ એટલે જમીન, હવા અને દરિયામાં પ્રહાર કરી શકે છે. કોઇ પણ જગ્યાએ પરમાણુ મિસાઇલ ઝીંકવાની ક્ષમતા છે. પાણીની નીચે સબમરીનથી ઝીંકવામાં આવેલી મિસાઇલો પરમાણુ હુમલા થવાની સ્થિતીમાં જવાબી હુમલા માટે સૌથી સારા હથિયાર તરીકે ગણવામાં આવે છે. વર્ષ 1998માં પરમાણુ બોંબનુ પરીક્ષણ કરવામાં આવ્યા બાદ ભારત ન્યુક્લિયર ટ્રાયડની ક્ષમતા વિકસિત કરવા પર કામ કરી રહ્યુ છે.