પશ્ચિમી દિલ્હીની લોકસભાની બેઠકના ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રવેશ સાહિબસિંહ વર્માએ શનિવારે કહ્યું હતું કે ભાજપ દિલ્હીની સત્તામાં આવશે તો સરકારી જમીન પર બંધાયેલા ધાર્મિક સ્થળોના અતિક્રમણને દુર કરવામાં આવશે.
પ્રવેશ સિહેબસિંહ વર્માએ જણાવ્યું હતું કે સરકારી જમીન પર અતિક્રમણ કરી મસ્જિદોને તોડી પાડવામાં આવશે. દિલ્હીની 70 સીટ માટે આઠમી ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને 11મીએ પરિણામ જાહેર કરવામાં આવશે.
दिल्ली में भाजपा की सरकार बनते ही सरकारी जमीनों पर बने धार्मिक स्थलों को सरकारी जमीन से खाली कराया जाएगा ।दिल्ली में 54 से ज़्यादा मस्जिद, मदरसे सरकारी जमीन पर बने होने की शिकायत अभी तक आई है। सूची दिल्ली के उपराज्यपाल को पहले ही दी जा चुकी है।#PTI
— Parvesh Sahib Singh (@p_sahibsingh) January 18, 2020
તેમણે કહ્યું હતું કે જો દિલ્હીમાં સરકારી જમીન પર મંદિર કે ગુરુદ્વાર બનાવવાની ફરીયાદ મળે છે તો તે અંગે વહીવટીતંત્ર સમક્ષ લઈ જવામાં આવશે. પણ એકેય મંદિર કે ગુરુદ્વાર સરકાર જમીન પર બનાવવામાં આવ્યું નથી. માત્ર મસ્જિદો જ સરકારી જમીન પર બાંધવામાં આવી છે.