PM નિવાસ પાસે લાગી આગ, ફાયરના 17 બંબા દોડ્યા, મેળવ્યો આગ પર કાબૂ

દિલ્હીના લોકકલ્યાણ માર્ગ પર આવેલા પીએમ મોદીના નિવાસસ્થાન નજીક સાંજે 7.20 વાગ્યે આગ ફાટી નીકળી હતી. આ બનાવની માહિતી મળ્યા બાદ 17 ફાયરના બંબાઓને સ્થળ પર રવાના કરાયા હતા. ફાયરે આગને કાબૂમાં લીધી હતી. ફાયર વિભાગના જણાવ્યા મુજબ આગ યુપીએસ બેટરીના શોર્ટ સર્કિટને કારણે લાગી હતી.

PMOએ પણ આ ઘટના અંગે ટવિટ કર્યું છે. આ ટવિટમાં આગની પુષ્ટિ કરવામાં આવી છે. એવું પણ લખવામાં આવ્યું હતું કે આગ 9-કલ્યાણ માર્ગ પર શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. આ ન તો વડાપ્રધાનનું નિવાસસ્થાન છે અને ન તો તેમની ઓફિસ. ટવિટમાં કહેવામાં આવ્યું છે કે આ આગ એસપીજીના રિસેપ્શનમાં હતી. જે એલકેએમ સંકુલમાં છે.