નાગરિકતા સંશોધન બિલ લોકસભામાંથી પાસ થયા બાદ આજે સવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્યસભામાં બિલ પર આક્રમક ચર્ચા ચાલી રહી છે. વિપક્ષ દ્વારા બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, બિલને સંવિધાનના ઉલ્લંઘન કરવા સમાન ગણવામાં આવી રહ્યું છે. બિલના વિરોધમાં આસામ સહિત અને પૂર્વોત્તર રાજ્યોમાં પ્રદર્શન ચાલી રહ્યા છે.
શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે લોકશાહીમાં જુદા જુદા અવાજો હોય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે આ બિલનું જે સમર્થન નથી કરતા તે દેશદ્રોહી છે, જે બિલની સાથે છે તે દેશભક્ત છે. આ પાકિસ્તાનની વિધાનસભા નથી, જો તમને પાકિસ્તાનની ભાષા પસંદ ન આવે તો પાકિસ્તાનનો અંત લાવો, અમે તમારી સાથે છીએ સંજય રાઉતે કહ્યું કે જો ત્યાં અમારા ભાઈઓ પર જુલમ થાય છે તો તમે મતબૂત છો તેમનું સાથ આપો.
રાઉતે કહ્યું કે અમેન કોઈની પાસેથી દેશભક્તિનું પ્રમાણપત્ર લેવાની જરૂર નથી કે અમે કેટલા ચૂસ્ત હિન્દુ છીએ. તમે જે શાળામાં ભણશો ત્યાં અમે હેડમાસ્તર છીએ. સંજય રાઉતે કહ્યું કે ઘુસણખોરોને આ દેશમાંથી હાંકી કાઢવા જોઈએ. પાકિસ્તાનમાં લઘુમતીઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જો લાખો અને કરોડો અહીં લાવવામાં આવી રહ્યા છે, તો શું તેમને મત આપવાનો અધિકાર મળશે, જો તેમને 20-25 વર્ષ સુધી મત આપવાનો અધિકાર નહીં મળે તો સંતુલન રહેશે.
બસપાના સતીષચંદ મિશ્રાએ કહ્યું કે સરકારે પાકિસ્તાન-અફઘાનિસ્તાન-બાંગ્લાદેશના લઘુમતીઓ વિશે વિચાર્યું, તેમને અભિનંદન, પણ અમે તેનું સમર્થન નથી કરી રહ્યા. અમે પૂછવા માંગીએ છીએ કે 31 ડિસેમ્બર 2014 ની કટઓફ તારીખ કેમ રાખવામાં આવી છે. બસપાના સાંસદે કહ્યું કે આ બિલ 14, 15, 21ની કલમનું ઉલ્લંઘન કરે છે.
AIADMK એ આ બિલને ટેકો આપ્યો હતો. વિજિલા સત્યનંતે કહ્યું કે જયલલિતાએ શ્રીલંકાથી તમિળ લોકોને બેવડી નાગરિકતા આપવાની વાત કરી હતી, તે શરૂઆતથી જ તેમના હક માટે લડતા હતા. આ જ કારણ છે કે અમારી પાર્ટી આ બિલને ટેકો આપી રહી છે.