અક્સ્માત ઝોન બનેલો અંબાજીના ત્રિશુલીયા ઘાટનો રસ્તો બંધ, આ છે કારણ

યાત્રાધામ અંબાજી જતો રસ્તો પહેલી ડિસેમ્બર એટલે કે આજથી બંધ થઈ રહ્યો છે. ત્રિશુલીયો ઘાટ પર ગમખ્વાર અકસ્માતને લઈને સરકાર જાગી છે. સૂર્ય ઘાટ સહિત દાંતા અંબાજી માર્ગ પહોળો કરવાની કામગીરી હાથ ધરાઇ છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર વારંવાર થતા અકસ્માતોને લઇ ઘાટને કાપીને પહોળો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પહેલી ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આ માર્ગ બંધ રહેશે.અંબાજી દાતા માર્ગ ફોર લેન કરવામાં આવશે. વાહનચાલકો અને માઇ ભક્તો પણ આ કામગીરીને લઇને ખુશ છે. ત્રિશુલીયો ઘાટ પર ગમખ્વાર અકસ્માતને લઈને સરકાર જાગી છે.

બ્લાસ્ટિંગ કરીને ત્રિસુલીયા ઘાટને તોડવામાં આવી રહ્યો છે. બનાસકાંઠા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને માર્ગ બંધ રહેવાની જાહેરાત કરી છે.