સચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ: અમદાવાદના પાલડીમાં કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન 

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે અમદાવાદના પાલડીમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના પૂતળાનું દહન કરી વિરોધ દર્શાવ્યો છે.

ગેરરીતિના પુરાવાઓ છતાં સરકાર પગલાં ના ભરતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.કોંગ્રેસે આજે બિનસચિવાલય ક્લાર્કની ભરતી મામલે ગેરરિતીનો વીડિયો જાહેર કર્યો હતો. ત્યારે ઠેર ઠેર વિદ્યાર્થીઓએ અને વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ શરૂ કર્યો છે. ત્યારે રાજકોટમાં પણ એનએસયુઆઇ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને અસિત વોળાના પૂતળાનું દહન કરી વિરોધ કર્યો હતો.

કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સુરેન્દ્રનગરના બે સેન્ટરોના પર બિન સચિવાલય ક્લાર્કની ભરતીના સીસીટીવી ફૂટેજ જારી કર્યા હતા. ત્યારબાદ રાજ્યભરના વિદ્યાર્થીઓ સરકાર સામે રોષે ભરાયા છે. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે તે વિદ્યાર્થીઓ સરકાર પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે. પરીક્ષાર્થીઓનું કહેવું છે કે અમે નોકરી મેળવવા રાત દિવસ એક કરીને પરીક્ષા આપીએ છીએ.પરંતુ સરકારની ભ્રષ્ટાચારની નીતિને કારણે અમને સરકારી નોકરી મળતી નથી. અમે મહેનત કરીને દોઢસોમાંથી ૧૨૦થી ૧૨૫ માર્કસ લાવીએ છીએ. પણ સરકારમા સેટિંગવાળા લોકોને ૧૫૦માંથી ૧૫૦ માર્કસ લાવીને પાસ થઇ જાય છે.