મહારાષ્ટ્રમાં રાજકીય ખેંચતાણ વચ્ચે ગુરુવારે શિવસેના સાંસદ સંજય રાઉતે ફરી એક વાર ભાજપ સામે વાયદો નહીં નીભાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે, ભાજપ સાથે 50-50 ફોમ્ર્યૂલા વિશે વાત થઈ હતી. ઉદ્ધવ ઠાકરે અને અમિત શાહ વચ્ચે જે રુમમાં વાત થઈ હતી તે સામાન્ય રૂમ નહતો. તે પૂજ્ય બાળાસાહેબનો રૂમ હતો. જેને અમે મંદિર માનીએ છીએ. અમે બાળાસાહેબના સમ ખઈએ છીયે. અમે જુઠ્ઠું નથી બોલતા.
તેમણે એવુ પણ કહ્યું છે કે, શિવસેના પ્રાણ જાય પણ વચન ના જાય એ સિદ્ધાંત વાળી પાર્ટી છે. આ મહારાષ્ટ્રના સન્માનની વાત છે. આ એ જ રૂમ છે જ્યાંથી બાળાસાહેબ નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપતા હતા. આ એજ રુમ છે જ્યાં દુનિયામાંથી કોઈ પણ નેતા આવે તો તેઓ ઈચ્છે કે તેઓ આ રૂમમાં બાળાસાહેબને નમન કરતા હતા.