મહારાષ્ટ્રમાં રાજ્યપાલ પાસે છે ચાર વિકલ્પો, જાણો શું થઈ શકે છે?

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલા તનાવને પગલે નવી સરકાર અંગે અનિશ્ચિતતા ઉભી થઈ છે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ શનિવારે જ સમાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જો ભાજપ અને તેના સાથી પક્ષ શિવસેનાએ જ્યાં સુધીમાં મતભેદોનું સમાધાન નહીં કરે તો શું થશે? આ સ્થિતિમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ બી.એસ. કોશ્યારી પાસે કયા છે. બંધારણ નિષ્ણાત સુભાષ કશ્યપે નિર્દેશ કર્યો કે રાજ્યપાલ પાસે ચાર મોટા વિકલ્પો છે.

  1. રાજ્યપાલ હાલના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને નવા મુખ્યમંત્રી બને નહીં ત્યાં સુધી કેરટેકર સીએમ તરીકે કાર્યરત રાખી શકે છે, કારણ કે મુખ્યમંત્રીની મુદત વિધાનસભા સાથે પૂરી થાય તે જરૂરી નથી
  2. ગવર્નર કોશ્યારી રાજ્યપાલ હાલના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને નવા મુખ્યમંત્રી બને નહીં ત્યાં સુધી કેરટેકર સીએમ તરીકે કાર્યરત સૌથી મોટી પાર્ટીના નેતાને સીએમ તરીકે નિમંત્રણ આપી શકે છે. (ભાજપ પાસે 288 માંથી 105 બેઠકો છે). ગૃહમાં બહુમતી સાબિત કરવા માટે સમય આપી શકે છે, ભલે પછી તેઓ ફ્લોર ટેસ્ટમાં નિષ્ફળ જાય.
  3. ગવર્નર વિધાનસભાને ગૃહના નેતાની ચૂંટણી કરવાનું કહી શકે છે. જો કોઈ વિવાદ હોય તો બેલેટ પેપર્સનો ઉપયોગ કરી શકાય છે. (1998માં, સુપ્રીમ કોર્ટે સીએમ જગદમ્બિકા પાલ અને તેમની હકાલપટ્ટી દરમિયાન પુરોગામી કલ્યાણ સિંહ વચ્ચે નિર્ણય લેવા યુપી વિધાનસભામાં મત આપવા કહેવામાં આવ્યું હતું.)
  4. જો કોઈ બહુમતી સાથે સરકાર બનાવવાનો દાવો નથી કરતો તો પ્રથમ ત્રણેય વિકલ્પો ફેલ થઈ જાય છે અને રાજ્યપાલ રાષ્ટ્રપતિના શાસનની ભલામણ કરી શકે છે.