શું દરિયામાં ગરક થઈ જશે મુંબઈ? 2050 સુધીમાં શું થશે? વાંચો કંપારી છોડાવતો રિપોર્ટ

નવા સંશોધન મુજબ દરિયાની વધતી જળ સપાટી 2050 સુધીમાં અંદાજિત સંખ્યા કરતા ત્રણ ગણી વસ્તીને અસર કરી શકે છે. આને કારણે ભારતની આર્થિક રાજધાની મુંબઈનો ‘સંપૂર્ણ નાશ’ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ સંશોધન પેપર ન્યૂ જર્સીની ‘ક્લાયમેટ સેન્ટ્રલ’ નામની વિજ્ઞાન સંસ્થા દ્વારા તૈયાર કરાયું છે અને તે ‘નેચર કમ્યુનિકેશન્સ’ જર્નલમાં પ્રકાશિત થયું છે.

જોકે, આ સંશોધન પેપર ભવિષ્યની વસ્તી વૃદ્ધિ પર અપેક્ષિત નથી. ધ ન્યૂ યોર્ક ટાઇમ્સના અહેવાલમાં જણાવાયું છે કે લેખકોએ “ઉપગ્રહ વાંચનના આધારે જમીનની ઉંચાઇની ગણતરી કરવાની એક વધુ સચોટ પદ્ધતિ વિકસાવી છે, જે વિશાળ વિસ્તારો પર સમુદ્ર-સપાટીના પ્રભાવોનો અંદાજ લગાવવાની એક પ્રમાણભૂત પદ્ધતિ છે, અને જાણવા મળ્યું કે ભૂતકાળની સંખ્યા વાસ્તવિકતાથી ઘણી દૂર હતી.”

નવા સંશોધન મુજબ હાલમાં લગભગ 150 કરોડ લોકો આવી જમીનો પર વસવાટ કરી રહ્યા છે જે ભવિષ્યમાં ભારે ભરતીની આવી જશે. નવા અંદાજ મુજબ ભારતની આર્થિક રાજધાની મુંબઇ સંપૂર્ણ રીતે નષ્ટ થવાનો ભય છે. ખાસ કરીને મુંબઈની નીચલા કિનારા પર સૌથી મોટો ખતરો છે.

તમને જણાવી દઈએ કે અગાઉ ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે સમુદ્રની સપાટી વધતા અને આબોહવા પરિવર્તનને કારણે દેશની આર્થિક રાજધાની મુંબઈ પર જોખમ ઉભું થયું છે અને મુંબઈનો દરિયામાં ગરક થવાનો ભય ઉભો થયો છે.