ભારતીય વાયુસેના દ્વારા બાલકોટ એર સ્ટ્રાઈક અને કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવ્યા બાદથી પાકિસ્તાન સંપૂર્ણ રીતે બેબાકળું બની ગયું છે. સમગ્ર વિશ્વમાં ભારત સામે પ્રચાર ફેલાવવામાં સામેલ છે. જોકે તેને તેમાં સફળતા મળી રહી નથી. દરમિયાન, ગયા મહિને પાકિસ્તાને કંઈક એવું કર્યું હતું જેનાથી બંને દેશો વચ્ચે તણાવ વધી શકતું હતું. હકીકતમાં, પાકિસ્તાનના લડાકુ વિમાનોએ કાબુલ જતા ભારતીય વિમાનને તેના હવાઇ ક્ષેત્રમાં લગભગ એક કલાક સુધી ઘેરી લીધું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ સ્પાઇસ જેટની ફ્લાઇટને પાકિસ્તાનની એફ -16 લડાકુ વિમાનોથી ઘેરી લેવામાં આવી હતી અને વિમાનના પાઇલટને ઉંચાઇ ઘટાડવાનું કહી ફ્લાઇટની વિગતો માંગવામાં આવી હતી. આ ઘટના 23 સપ્ટેમ્બરના રોજ બની હતી. સ્પાઇસ જેટનું એસજી -21 વિમાન દિલ્હીથી કાબુલ જઈ રહી હતી. આ વિમાનમાં 120 મુસાફરો હતા. આ ઘટના ત્યારે બની જ્યારે પાકિસ્તાની એરસ્પેસ માટે ભારત બંધ ન હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય વિમાનના પાઇલટે એફ -16 વિમાનના પાઇલટને કહ્યું હતું કે ‘આ સ્પાઇસ જેટની કર્મશિયલ ફ્લાઈટ છે. તેમાં મુસાફરી કરતા મુસાફરો કાબુલ જઇ રહ્યા છે.
જ્યારે પાકિસ્તાની લડાકુ વિમાનએ ભારતીય વિમાનને ઘેરી લીધું હતું, ત્યારે એફ -16 વિમાનના મુસાફરોએ આ બધું જોયું હતું. એક મુસાફરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે એફ -16 વિમાનના પાઇલટે હાથથી ભારતીય વિમાનના પાઇલટને વિમાનને નીચે લાવવા કહ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ, દરેક ફ્લાઇટમાં કોડ હોય છે, જેમ કે સ્પાઇસ જેટ વિમાનનો કોડ ‘SG’ હતો. આને કારણે, પાકિસ્તાની એટીસી મૂંઝવણમાં આવી ગઈ અને સ્પાઈસ જેટને ‘IA’ ગણાવી અને તેને ભારતીય સૈન્ય અથવા ભારતીય વાયુસેના તરીકે માનવામાં આવ્યું હતું.
જ્યારે પાકિસ્તાની એટીસીને જાણ થઈ હતી કે ભારત તરફથી એક વિમાન IA કોડ સાથે આવી રહ્યું છે, ત્યારે પાકિસ્તાને તેને ઘેરી લેવા એફ -16 વિમાન મોકલ્યું હતું. ડીજીસીએ અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યારે મૂંઝવણની સ્થિતિ સમાપ્ત થઈ ત્યારે, પાકિસ્તાની લડાકુ વિમાન ભારતીય વિમાનને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રની બહાર છોડી દીધું હતું. એક મુસાફરે કહ્યું કે જ્યારે પાકિસ્તાની એફ -16 વિમાન અમારી ફ્લાઇટની નજીક હતું, ત્યારે તમામ મુસાફરોને તેમની બારી બંધ રાખવાનું કહેવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવ્યા બાદથી પાકિસ્તાન ખૂબ બેબાકળું છે. આંતરરાષ્ટ્રીય મોરચે, જ્યારે તેની દાળ ગળી રહી નથી ત્યારે પાકિસ્તાન આવી પ્રવૃત્તિઓ કરીને બંને દેશો વચ્ચે તણાવ વધારી રહ્યું છે.