કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે પર સ્યાહી ફેંકાઈ, પછી થયું કશુંક આવું

બિહારમાં પટના મેડીકલ કોલેજ-હોસ્પિટલમાં દર્દીઓની સ્થિતિનો ક્યાસ કાઢવા ગયેલા  કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેને  શરમજનક મામલાનો સામનો કરવાનો વારો આવ્યો હતો.  અશ્વિની ચૌબે હોસ્પિટલની બહાર હતા અને કારની અંદર બેઠા હતા ત્યારે કોઈએ તેની ઉપર સ્યાહી ફેંકી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સ્યાહી ફેંકનાર સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. આ ઘટના બાદ અશ્વિની ચૌબેએ કહ્યું કે આ સ્યાહી લોકો પર ફેંકી દેવામાં આવી છે. સ્યાહી દેશની લોકશાહી અને લોકશાહીના સ્તંભ પર ફેંકી દેવામાં આવી છે.

અશ્વિની ચૌબે દર્દીઓની હાલત જાણવા અહીં પહોંચ્યા હતા, તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે તેમના ઉપર સ્યાહી ફેંકી હતી. જોકે આરોપીને સુરક્ષા જવાનોને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ તેને પકડી શક્યા ન હતા.

નોંધનીય છે કે પટનામાં ભારે પાણી ભરાતા લોકો વચ્ચે રોગચાળો સતત ફેલાય રહ્યો છે. મળતી માહિતી મુજબ રવિવાર સુધીમાં ડેન્ગ્યુના કુલ 177 દર્દીઓની ઓળખ થઈ હતી. તે જ સમયે, ચિકનગુનિયાના 17 કેસ નોંધાયા છે. આ સિઝનમાં ડેન્ગ્યુના કુલ દર્દીઓની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 1273 ડેન્ગ્યુના દર્દીઓ નોંધાયા છે. તે જ સમયે, ચિકનગુનિયાના દર્દીઓની સંખ્યા 139 પર પહોંચી ગઈ છે.

પટનામાં પાણી ભરાઇ જવાથી શહેરમાં રોગચાળો ફેલાઇ રહ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નગર નિગમ અને જિલ્લા વહીવટી તંત્ર તમામ પગલા લઈ રહ્યા છે. મચ્છરોનો સફાયો કરવા માટે ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ પાણી ભરાવાના કારણે વિવિધ સ્થળોએ મચ્છરો ઉત્પન્ન થઈ રહ્યા છે.