અલ્પેશ ઠાકોર-ધવલસિંહ ઝાલાનો માર્ગ મોકળો? બાકીની સીટો પર ભાજપમાં આ નામોની ચર્ચા

ગુજરાતમાં 21મી ઑક્ટોબરે 6 વિધાનસભામાં પેટાચૂંટણીઓ યોજવામાં આવી રહી છે. અમદાવાદની અમરાઈવાડી, સાબરકાંઠાની ખેરાલુ, બનાસકાંઠાની થરાદ, મહિસાગરની લુણાવાડા, તેમજ પાટણની રાધનપુર, અરવલ્લીની બાયડ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીઓ થશે. આ બેઠકો માટે ભાજપે કેટલાક નામોને આખરી ઓપ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાજપની પ્રદેશ નેતાગીરીએ ચોક્કસ નામો પર ચર્ચા કરી હતી.

હાલ તો નજર રાધનપુર પર મંડાયેલી છે. રાધનપુરમાં ભાજપ દ્વારા અલ્પેશ ઠાકોરને ટીકીટ આપવામાં આવે તેવા પાક્કા અનુમાન છે. અલ્પેશ ઠાકોરે પ્રચાર તો ક્યારનોય શરૂ કરી દીધો છે. જ્યારે બાયડ વિધાનસભામાંથી કોંગ્રેસમાંથી આવેલા ધવલસિંહને ટીકીટ આપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે.

અમદાવાદની અમરાઈવાડી વિધાનસભા બેઠક માટે અમદાવાદ મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પ્રવીણ પટેલ, પૂર્વ નાયબ મેયર, અમદાવાદ ભાજપના મહામંત્રી કમલેશ પટેલ અને રમેશ પટેલ ઉર્ફે રમેશ કાંટાવાળાના નામની ચર્ચા ચાલી રહી છે. થઈ હતી.ગુજરાત સરકારના મંત્રીના વિશ્વાસુ હોવાના કારણે રમેશ કાંટાવાળા પ્રબળ દાવેદાર તરીકે ઉભરી રહ્યા છે. અમરાઈવાડીમાંથી ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ પર એક દાવેદાર છે.

બનાસકાંઠાની થરાદ બેઠક પર ભાજપ પૂર્વ મંત્રી શંકર ચૌધરી, અથવા તો સાંસદ પરબત પટેલના પુત્ર શૈલેષ પરબત પટેલના નામની અટકળો જોરમાં છે. સાંસદ પરબત પટેલ મંત્રી હતા પરંતુ તેમને સંસદમાં લઈ જવાતા આ બેઠક પર તેમના પુત્રને ટિકિટ મળે તેના માટે ભરપૂર પ્રયાસો થઈ રહ્યા છે.

ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભી પાટલના સાંસદ તરીકે વિજયી થતાં આ બેઠક ખાલી પડી છે. પાર્લામેન્ટરીન બૉર્ડમાં આ બેઠક માટે ધારાસભ્યના ભાઈ રામસિંહ ડાભી અને રમીલા દેસાઈના નામની ચર્ચા કરવામાં આવી છે. દાવેદારો અને નેતાઓએ પેટાચૂંટણીમાં ટિકિટ માટે કેન્દ્રીય નેતૃત્વ પર દબાણ સર્જવાની શરૂઆત કરી છે. જોકે, ભારતીય જનતા પાર્ટીમાં કોને ટિકિટ મળશે તેનો નિર્ણય પાર્ટીનું શિર્ષ નેતૃત્વ જ કરતું હોય છે.

ખેરાલુ બેઠક પર પાટણના હાલના સાંસદ ભરતસિંહ ડાભી ધારાસભ્ય હતા. આ બેઠક વર્ષોથી ભરતસિંહ ડાભીના પરિવાર પાસે રહેલી છે, પહેલા તેમના પિતા આ બેઠક પર ચૂંટણી લડતા હતા. જે બાદ ભરતસિંહ ડાભી ચૂંટણી લડતા હતા. હવે તેઓ સાંસદ થઈ જતા તેમણે તેમના ભાઈ રામસિંહ ડાભી માટે ટિકિટ માંગી છે. આ બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રમીલાબેન ચૌધરીને પણ દાવેદાર માનવામાં આવે છે.

લુણાવાડા આદિવાસી વિસ્તારની બેઠક છે. આ બેઠકના મતદારો આમ તો કોંગ્રેસના વફાદાર મતદારો માનવામાં આવે છે. ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન અપક્ષ ઉમેદવાર જીત્યા હતા. આ બેઠક પર પણ અનેક ઉમેદવારો રેસ માં હોવાનું સામે આવ્યું છે. જેમાં સૌથી આગળ જે. પી. પટેલનું નામ ચાલી રહ્યં છે. તેઓ મહીસાગર જીલ્લા પ્રમુખ છે. આ ઉપરાંત મનોજ પટેલ પણ આ બેઠક પર રેસમાં છે. તેઓ ગત વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. આ બેઠક પર આદિવાસી, ઓબીસી અને પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે.