ઈન્શા અલ્લાહ: સલમાને આલિયા ભટ્ટના કારણે ફિલ્મ છોડી કે સંજય લીલાના કારણે?

સલમાન ખાન આજકાલ દબંગ-3ની તૈયારીમાં લાગી ગયો છે. આ ઉપરાંત સલમાન ખાન 2020 ઈદના પર્વે ઈન્શાઅલ્લાહ દ્વારા પરદા પર ધમાલ મચાવવાનો હતો. પણ ભાઈજાને એક ટવિટ કરીને આલિયા ભટ્ટ સાથેની જોડીને પરદા પર જોવાથી અટકાવી દીધી છે, તો સાથે જ ફેન્સનું સપનું પણ તોડી નાંખ્યું છે. તાજેતરમાં જ ઈન્શા અલ્લાહ અને સલમાન સાથે સંબંધિત ન્યૂઝ આવ્યા હતા કે ભાઈજાને સંજય લીલા ભણશાલીના કારણે ઈન્શા અલ્લાહને છોડી દીધી છે.

સલમાન ખાન અને ઈન્શા અલ્લાહ સાથે જોડાયેલા લોકોનું કહેવું છેકે સલમાને ફિલ્મની સ્ક્રીપ્ટ અને આલિયા ભટ્ટ સાથેના કિસીંગ સીનના કારણે ફિલ્મ છોડી દીધી છે. પણ ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું છે કે સલમાન અને ભણશાલી અનેક ફિલ્મોમાં સાથે કરી ચૂક્યા છે અને બન્ને વચ્ચે સારો એવો મનમેળ છે. ભણશાલીને જાણ છે કે ઈન્શા અલ્લાહમાં ફિલ્માંકન થાનાર કિસીંગ સીનને લઈ સલમાન તૈયાર થશે નહીં. આ કારણે સલમાને ઈન્શા અલ્લાહ કિસીંગ સીન કે આલિયા ભટ્ટના કારણે ફિલ્મ છોડી હોવાનું લોકો કહી રહ્યા છે તો કેટલાક કહે છે આ કારણોસર સલમાને ઈન્શાઅલ્લાહ છોડી નથી.આની પાછળના અન્ય કારણો છે.

હવે સલમાનના સ્થાને ઈન્શા અલ્લાહમાં ઋત્વિક રોશનને લેવામાં આવે તેવી શક્યતા છે. જોકે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સલમાનની વાત કરીએ તો આ જ વર્ષે 20મી ડિસેમ્બરે જબંગ-3 રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં સલમાનની સાથે સોનાક્ષીસિંહા મુખ્ય ભૂમિકામાં છે.