પાટણ: આત્મહત્યા કરનારી મહિલા 14 વર્ષ બાદ નીકળી જીવતી અને ખૂલ્યું હત્યાનું રહસ્ય, વાંચો સનસનાટીપૂર્ણ ઘટનાને…

ગુજરાતના પાટણ સ્થિત બાલવા ગામમાં એક એવો સનસનાટીપૂર્ણ બનાવ સામે આવ્યો છે કે વાંચીને ચોંકી જવાય છે. હકીકતે 14 વર્ષ પહેલાં બલવા ગામની વિવાહિતાએ આત્મહત્યા કરી હોવાનું નોંધાયું હતું. પણ આજે 14 વર્ષ બાદ એ જ મહિલા જીવતી નીકળી છે. પોલીસે જ્યાર મહિલાની ધરપક જ કરી તો આખીય ઘટના પરથી પરદો ઉંચકાયો હતો.

ઘટના એવી છેક આજથી 17 વર્ષ પહેલાં નજીકના ગામની ભીખીબેન પંચાલના લગ્ન થયા હતા. લગ્નકાળમાં30 વર્ષીય ભીખીબેને પુત્રને જન્મ આપ્યો હતો. આ દરમિયાન ભીખીબેનની મુલાકાત આ જ ગામના વિજુભા રાઠોડ સાથે થઈ હતી. બન્ને વચ્ચે પ્રેમ થયો. પણ ભીખીબેન પહેલાંથી વિવાહિત હોવાથી બીજા લગ્ન કરવાનું મુશ્કેલ હતું. જેથી કરીને બન્નેએ એક ખતરનાક ખેલ કર્યો અને પ્લાન બનાવ્યો.

6 ફેબ્રુઆરી-2005માં ભીખીબેન અને તેના પતિ વચ્ચે સામાન્ય ઝઘડો થયો. ભીખીબેન નારાજ થઈને પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ હતી. પણ જ્યારે રાત્રે ઘરના લોકો ભીખીબેનને જોવા ગયા તો તે રૂમમાં ન હતી. શોધખોળ કરી તો ઘરની પાછળથી મહિલાની લાશ મળી. મહિલાનો ચેહેરો ઓળખી શકાય એમ ન હતો. પણ કપડા ભીખીબેનના પહેર્યા હતા. જેના કારણે પરિવારના લોકએ લાશ ભીખીબેનની હોવાનું માની લીધું. પરિવારજનોને લાગ્યું કે ભીખીબેને ઝઘડાના કારણે કેરોસીન છાંટી અગન પિછોડી ઓઢી લીધી છે.

તે સમયે પોલીસે આત્મહત્યાનો ગુનો દાખલ કર્યો હતો. પરિવારના લોકો પણ આત્મહત્યા માની રહ્યા હતા. પણ અચાનક કેટલાક દિવસ બાદ ભીખીબેનના પતિના મિત્ર મહેસાણા ખાતે કોઈ કામ માટે આવ્યા હતા. ત્યારે તેમણે ભીખીબેનને જોઈ. મહેસાણામાં ભીખીબેન પ્રેમી વિજુભા રાઠોડ સાથે ઓળખ બદલીને 2005થી રહેતી હતી.

પોલીસે ભીખીબેનની ધરપકડ કરી. પૂછપરછમાં બહાર આવ્યું કે વિજુભા રાઠોડ અને તેના મિત્રોએ મળીને માનસિક રીતે બિમાર મહિલાનું અપહરણ કર્યું હતું અને ગળું દબાવી તેની હત્યા કરી હતી. ત્યાર બાદ તેના ચહેરા પર કેરોસીમ છાંટી સળગાવી દેવામાં આવી હતી, જેથી કરીને કોઈ ઓળખી શકે નહીં. હવે 14 વર્ષ બાદ ભીખીબેન, વિજુભા રાઠોડ સહિત તેના બે મિત્રોની પોલીસે હત્યા ગુનામાં ધરપકડ કરી છે.