રણબીર-આલિયાના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ? શું છે હકીકત, જાણો

બોલીવુડની હિરોઈન આલિયા ભટ્ટ અને હીરો રણબીર કપૂર હાલમાં સૌથી વધુ ટ્રેન્ડિીંગ જોડી છે. ચર્ચામાં રહેતી જોડી ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. ચર્ચાઓ એવી પણ છે કે આલિયા ભટ્ટે પોતાના લગ્નના લહેંગા માટે જાણીતા ડિઝાઇનર સબ્યાસાચી સાથે મુલાકાત પણ કરી લીધી છે. આલિયા પણ પોતાના લગ્નમાં અન્ય બોલીવુડ અભિનેત્રીઓની જેમ સબ્યાસાચીનો લહેંગો પહેરેલી જોવા મળી શકે છે.

આમ તો આલિયા ભટ્ટ ઘણીવાર સબ્યાસાચીના ડિઝાઇન કરાયેલા કપડામાં જોવા મળી ચૂકી છે, પણ લગ્નના લહેંગાની વાત જ જુદી છે અને આ વખતે આલિયાએ ખાસ રીતે તેને ડિઝાઇન કરાવવા વિશે વિચાર્યું છે. એક અંગ્રેજી વેબસાઇટ પ્રમાણે આલિયાએ એપ્રિલમાં જ લહેંગાને લઇને ડિઝાઇનર સાથે વાત કરી હતી. જો કે હજી સુધી આ ચર્ચા પર કોઇપણ સેલિબ્રિટીએ કોઈપણ નિવેદન આપ્યું નથી. જણાવીએ કે અનુષ્કા શર્માથી લઇને દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાએ પણ પોતાના લગ્નમાં સબ્યાસાચીના ડિઝાઇન કરેલા લહેંગા પહેર્યા હતા.
આલિયા-રણબીરના લગ્નની ચર્ચાને વેગ મળી રહ્યો છે અને હવે કહેવામાં આવી રહ્યું છે કે આલિયા અને રણબીર આવતાં વર્ષ એટલે કે 2020 ના ફર્સ્ટ હાફમાં લગ્નગ્રંથિથી જોડાઇ શકે છે. જો કે તાજેતરમાં જ આલિયાની માતાએ લગ્નને લઇને થતી ચર્ચાઓને અફવા છે તેવું કહ્યું હતું.
આલિયા – રણબીરના લગ્નમાં હજી સમય છે અને હજી સુધી બન્ને પરિવારો તરફથી કોઇ જ માહિતી આપવામાં આવી નથી. પણ ચર્ચાઓ સતત થઈ રહી છે અને કેટલીય ઇવેન્ટ્સમાં બન્ને એકસાથે જોવા મળે છે. આ વર્ષે થયેલા ફિલ્મફેરમાં આલિયાએ બધાની સામે પોતાના મનની વાત કહી દીધી હતી અને રણબીરને પ્રપોઝ કરી દીધું હતું.