ગુજરાતનું 2019નુ બજેટ રજૂ કરતા નાણા મંત્રી નીતિન પટેલે જણાવ્યું કે વડાપ્રધાન મોદીના સંકલ્પ પ્રમાણે વર્ષ-2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા પૂરતું વળતર મળે તે માટે સરકારે ઝીરો ટકાના દરે પાક ધિરાણ ટેકાના ભાવે ખરીદી, પાક વીમો, કિસાન સન્માન નિધિ, ખેડૂતોને સમયસર વીજળીની સુવિધા, સિંચાઈ માટે યોગ્ય વ્યવસ્થા, કૃષિ યાંત્રીકરણ માટે સહાય, ખેડૂતોના પાકના સંગ્રહ માટે નવા ગોડાઉન અને કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે મોટા પાયે નાણાકીય સહાય આપી રહી છે.
રાજ્યના લાખો ગ્રામજનો જેમાં મોટા પ્રમાણમાં આવક મેળવી રહ્મા છે તેવા પશુ પાલન વ્યવસાયને વધુ વિકસાવવા અને ગુજરાતના 1600 સ્કલોમીટર લાંબા દરીયા કિનારાનો ઉપયોગ કરી લાખો માછીમારોની આવકમાં વધારો કરવા તેમને વધુને વધ સુવિધાઓ પ્રાપ્ત કરાવવામાં આવી છે. તેમની આવક વધે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે દર અષાઢી બીજે જગન્નાથની રથયાત્રા નીકળે છે. ગુજરાત સરકારે નિર્ધાર કર્યો છે કે અત્યાર સુધીમાં જેટલા ખેડુતોએ વીજ જોડાણ માટે અરજી કરી છે તેવા તમામને આવતી અષાઢી બીજ સુધી વીજ કનેક્શન આપી દેવામાં આવશે.અત્યારે પડતર તમામ 1 લાખ 25 હજાર માંગણીઓને નવા વીજ કનેકશન આપી દેવામાં આવશે.