નવસારીના સાંસદ સીઆર પાટીલની લોકસભા હાઉસ કમિટીના ચેરમેન તરીકે નિમણૂંક

2019ની ચૂંટણીમાં સમગ્ર દેશમાં સૌથી વધુ મતોથી વિજેતા થયેલા નવસારીના સાંસદ સીઆર પાટીલની લોકસભા હાઉસ કમિટીના ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલા દ્વારા તેમને આ નિમણૂંક આપવામાં આવી છે.

આ કમિટી લોકસભાના સાંસદોના રહેણાંક સંબંધિત બાબતોનું કામકાજ સંભાળે છે. પેનલમાં સ્પીકર દ્વારા નિયુક્ત 12 સભ્યોનો સમાવેશ થાય છે અને એક વર્ષનો સમયગાળો હોય છે.

લોકસભા સ્પીકર દ્વારા નિયુક્ત આ કમિટીમાં 12 સભ્યોનો સમાવેશ થાય છે અને એક વર્ષનો સમયગાળો હોય છે.