2019ની ચૂંટણીમાં સમગ્ર દેશમાં સૌથી વધુ મતોથી વિજેતા થયેલા નવસારીના સાંસદ સીઆર પાટીલની લોકસભા હાઉસ કમિટીના ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલા દ્વારા તેમને આ નિમણૂંક આપવામાં આવી છે.
આ કમિટી લોકસભાના સાંસદોના રહેણાંક સંબંધિત બાબતોનું કામકાજ સંભાળે છે. પેનલમાં સ્પીકર દ્વારા નિયુક્ત 12 સભ્યોનો સમાવેશ થાય છે અને એક વર્ષનો સમયગાળો હોય છે.
લોકસભા સ્પીકર દ્વારા નિયુક્ત આ કમિટીમાં 12 સભ્યોનો સમાવેશ થાય છે અને એક વર્ષનો સમયગાળો હોય છે.