સુરતના સરથાણા રોડ પર આવેલા તક્ષશિલા આર્કેડમાં ગયા મહિનાની 24મી તારીખે અગ્નિકાંડ સર્જાયો હતો અને આ ઘટનાને એક મહિનાનો સમય વિત્યો ત્યાં તો સુરતના જ ભટાર રોડ પર આવેલી જ્ઞાન ગંગા હિન્દી સ્કૂલમાં આગની ઘટના બની હતી. જોકે, આગની ઘટના સ્કૂલની બાજુમાં અને નીચેના ભાગ તરફ આવેલા પ્લાસ્ટીકના દાણા અને ફ્લેક્સ બેનર બનાવતા કારખાનામાં લાગી હતી. આગ લાગી ત્યારે સ્કૂલમાં 150 બાળકો અભ્યાસ કરી રહ્યા હતા.
સુરતના સરથાણા રોડ પર આવેલા તક્ષશિલા આર્કેડમાં ગયા મહિનાની 24મી તારીખે અગ્નિકાંડ સર્જાયો હતો અને આ ઘટનાને એક મહિનાનો સમય વિત્યો ત્યાં તો સુરતના જ ભટાર રોડ પર આવેલી જ્ઞાન ગંગા હિન્દી સ્કૂલમાં આગની ઘટના બની હતી. જોકે, આગની ઘટના સ્કૂલની બાજુમાં અને નીચેના ભાગ તરફ આવેલા પ્લાસ્ટીકના દાણા અને ફ્લેક્સ બેનર બનાવતા કારખાનામાં લાગી હતી. આગ લાગી ત્યારે સ્કૂલમાં 150 બાળકો અભ્યાસ કરી રહ્યા હતા.
ફાયર બ્રિગેડના જાણ કરવામા આવતા તાત્કાલિક ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બાળકોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનામાં કોઈને ઈજા પહોંચી હોવાના અહેવાલ મળી રહ્યા નથી.
તક્ષશિલા અગ્નિકાંડમાં 22 બાળકોના મોત થયા હતા અને પોલીસ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ હજુ પણ આવી કેટલીક શાળાઓ ફાયર સેફટીના સાધનો વિના ધમધમી રહી હોવાના પુરાવા મળી રહ્યા છે ત્યારે સુરત મહાનગર પાલિકાના તંત્ર સામે ફરી એક વાર પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. તંત્રની નફ્ફટાઈ સામે આવી રહી છે.