મોદી કેબિનેટની શપથવિધિ, મનસુખ માંડવિયાએ છબરડો વાળ્યો, જાણો શું થયું

રાષ્ટ્રપતિ ભવનમાં મોદી પ્રધાન મંડળનો શપથવિધિ સમારંભ ચાલી રહ્યો છે. રાજ્યમંત્રી તરીકે શપથ લઈ રહેલા અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયા દ્વારા છબરડો વાળવામાં આવ્યો હતો અને રાષ્ટ્રપતિ દ્વારા તે ભૂલ તરફ સુધારો કરવો પડ્યો હતો.

મનસુખ માંડવિયાએ મોદી પ્રધાનમંડળમાં બીજી વાર પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા ત્યારે શપથ દરમિયાન મનસુખ માંડવિયાએ હિન્દીમાં શપથ લેવાનું શરૂ કર્યું અને રાષ્ટ્રપિત કોવિંદે મૈં કહ્યું તો મનસુખ માંડવિયાએ મૈં બોલ્યા વિના જ શપથ વાંચવાનું શરૂ કર્યું હતું. મૈં મનસુખ માંડવિયા આખું નહીં બોલાતા રાષ્ટ્રપતિ કોવિંદે તરત જ ભૂલ તરફ ધ્યાન દોરી કહ્યું કે મૈં મનસુખ માંડવિયા તો રાજ્યમંત્રી બનેલા માંડવિયાએ ભૂલ સુધારી હતી અને ખિસયાણા પડી જઈને છબરડો થઈ ગયો હોવાનો અહેસાસ થતાં પાછળથી મૈં મનસુખ માંડવિયા વાંચીને શપથ ગ્રહણ કર્યા હતા.

આવી જ ભૂલ અન્ય રાજ્યમંત્રી કલષતે દ્વારા પણ થઈ હતી. તો રાષ્ટ્રપતિએ તેમને પણ ટકોર કરી કહ્યું કે મંત્રી કલષતે જી મૈં બોલાનું છે. આ ઉપરાંત ગંગા પરમ કિસન રેડ્ડીએ પણ શપથમાં ભૂલો કરી હતી અને હિન્દીમાં શપથ લેતી વખતે વિધિ અનુસાર બોલાનું જ ચૂકી ગયા હતા અને રાષ્ટ્રપતિ કોવિંદે તરત જ તેમને પણ અટકાવ્યા હતા અને ફરીથી શપથ ગ્રહણ કરવાનું કહ્યું હતું.

રાજ્યમંત્રી તરીકે શપથ લેતા પુરુષોત્તમ રૂપાલા

જ્યારે પુરુષોત્તમ રૂપાલાએ પણ રાજ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા, તેમણે હિન્દીમાં શપથ વાંચી હતી.